૧૫.૨૨

માછલીથી માથુર કૃપાશંકર

માછલી

માછલી (Fish) કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના…

વધુ વાંચો >

માછલીનું તેલ

માછલીનું તેલ : માછલીના દેહમાંથી મળતું ચરબીયુક્ત તેલ. સામાન્ય રીતે તે ખોરાક તરીકે તેમજ રંગ તથા વાર્નિશ ઉદ્યોગમાં શુષ્કન તેલ (drying oil) તરીકે અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે. હૅલિબટ, રૉકફિશ, મુસી (dog-fish) તથા સૂપફિન શાર્કનાં યકૃતતેલ (liver oil) વિટામિન Aના મહત્વના સ્રોતો છે. ટ્યૂના, બાંગડા (mackerel), છૂરિયો (saw fish) જેવી માછલીઓના…

વધુ વાંચો >

માજિદ જહાંગીરખાન

માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ…

વધુ વાંચો >

માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી

માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ…

વધુ વાંચો >

માઝન્દરાની, મુહમ્મદ અશરફ

માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા…

વધુ વાંચો >

માઝારીન ઝૂલ

માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા…

વધુ વાંચો >

માટિર માનુષ

માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.…

વધુ વાંચો >

માટી-ઉદ્યોગ

માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ…

વધુ વાંચો >

માટીકામ

માટીકામ : માટીનું ખોદાણ કે માટીનું પુરાણ. કોઈ પણ સિવિલ ઇજનેરી રચના માટે કરવામાં આવતું પાયાનું ખોદકામ એ માટીકામનો એક પ્રકાર છે. કોઈ પણ સિવિલ ઇજનેરી રચનાના બાંધકામની શરૂઆત કરવા માટે નિયત લેવલ ધરાવતી સપાટી(formation level)ની આવશ્યકતા રહેલી છે. આ નિયત લેવલનું મૂલ્ય રચના કરનાર ઇજનેર નક્કી કરે છે. રચનાના…

વધુ વાંચો >

માટી ખાવી

માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી,…

વધુ વાંચો >

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ

Jan 22, 2002

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ : માટીમાંથી શિલ્પો અને આકૃતિઓ (figurines) બનાવી પકવવાની કલા, અંગ્રેજીમાં તેને ટેરાકોટા કહે છે. જૂના વખતમાં માટી ઘાટ ઘડવા માટે વપરાતી. તે સુલભ હતી, માટે નહિ, પણ તેનાથી ઘાટ ઘડવાનું વધારે સરળ હતું માટે. આથી સામાન્ય માણસની નવા ઘાટ ઘડવાની વૃત્તિ કંઈક અંશે સંતોષાતી. તેમાંથી…

વધુ વાંચો >

માટી-નિક્ષેપો

Jan 22, 2002

માટી-નિક્ષેપો (Clay-deposits) : મૃદખનિજ-બંધારણવાળા નિક્ષેપો. ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા સિલિકેટ-ખડકોનું ચોક્કસ પ્રકારની આબોહવાના સંજોગો હેઠળ વિઘટન થવાથી પરિવર્તન થાય છે અને અવશિષ્ટ નિક્ષેપો તૈયાર થાય છે. ક્યારેક કેટલાક નિક્ષેપો ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી પણ બને છે. આ નિક્ષેપોમાં રહેલાં ખનિજોનાં કણકદ 0.01 મિમી.થી 0.004 મિમી. કે તેથી પણ ઓછાં હોય છે. તે…

વધુ વાંચો >

માડગૂળકર, ગ. દિ.

Jan 22, 2002

માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા. 1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ…

વધુ વાંચો >

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર

Jan 22, 2002

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું.…

વધુ વાંચો >

માડાગાસ્કર

Jan 22, 2002

માડાગાસ્કર : આફ્રિકા ખંડનો એક દેશ. આફ્રિકા ખંડના પૂર્વ કિનારા નજીક મોઝામ્બિકની ખાડીથી અલગ પડતો હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 12°થી 26° દ. અ. અને 43° થી 50° 30´ પૂ. રે. વચ્ચેના 5,87,041 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એક વિશાળ ટાપુથી તેમજ નજીક આવેલા…

વધુ વાંચો >

માણસનું મરણોત્તર અસ્તિત્વ

Jan 22, 2002

માણસનું મરણોત્તર અસ્તિત્વ : માણસનું મરણોત્તર અસ્તિત્વ ટકી રહે છે કે કેમ તે અંગેની જગતના ધર્મોમાં સ્વીકૃત માન્યતાઓ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારાયો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ પરત્વે આ ધર્મો…

વધુ વાંચો >

માણસા

Jan 22, 2002

માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે. માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ…

વધુ વાંચો >

માણસાઈના દીવા

Jan 22, 2002

માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મેઘાણી-લિખિત ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા–પાટણવાડિયા કોમના બહારવટિયા–લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓનો સંગ્રહ. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલા તેમના વિવિધ અનુભવો અહીં ઝવેરચંદ મેઘાણીએ પ્રસંગકથારૂપે આલેખ્યા છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે બોલચાલના લય-લહેકા અને કથનશૈલી રવિશંકર મહારાજનાં જ રાખ્યાં છે. આમ છતાં…

વધુ વાંચો >

માણસા સત્યાગ્રહ

Jan 22, 2002

માણસા સત્યાગ્રહ (1938) : જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ. હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું. માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો. 1937માં થયેલી આકારણીમાં બેથી અઢીગણો વધારો કરવામાં આવ્યો, જે ખેડૂતો માટે ઘણો…

વધુ વાંચો >

માણાવદર

Jan 22, 2002

માણાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 30´ ઉ. અ. અને 70° 08´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 592 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં…

વધુ વાંચો >