૧૫.૧૫

મહાકાલેશ્વરથી મહારાજ લાયબલ કેસ

મહાનુભાવ સંપ્રદાય

મહાનુભાવ સંપ્રદાય : ચક્રધરસ્વામીએ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવેલો સંપ્રદાય. વિદર્ભ-મહારાષ્ટ્રના મધ્યકાલીન ધાર્મિક ઇતિહાસમાં આ સંપ્રદાયનું વિશિષ્ટ મહત્વ છે. (1) મહાનુભાવ, (2) મહાત્મા, (3) અચ્યુત, (4) જયકૃષ્ણી, (5) ભટમાર્ગ, (6) પરમાર્ગ – એવાં વિવિધ નામોથી આ સંપ્રદાયને ઓળખવામાં આવે છે. આ પંથના ઉપાસ્ય દેવ વિષ્ણુ કે કૃષ્ણ છે. એના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના…

વધુ વાંચો >

મહાનોર, નામદેવ ધોંડો

મહાનોર, નામદેવ ધોંડો [જ. 16 સપ્ટેમ્બર 1942, પળસખેડે, (અજંતાની ગુફાઓ પાસે), જિ. ઔરંગાબાદ] : મરાઠીમાં દલિત સાહિત્યના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તીચી કહાણી’ માટે 2000ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. માત્ર 200 ઘરની વસ્તીવાળા નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. અનેક મુશ્કેલીઓ વેઠીને પળસખેડે, પિંપળગાંવ, શેંદુર્ણીમાં પ્રાથમિક…

વધુ વાંચો >

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ (જ. 16 ઑગસ્ટ 1906, સોનપુર, જિ. બલાંગીર; અ. 6 એપ્રિલ 1994) : ઊડિયા નવલકથાકાર. પ્રખ્યાત નવલકથાકાર ગોપીનાથ મહાન્તીના તેઓ મોટા ભાઈ થાય. 1923–24ની સાલમાં કટકની પી. એમ. અકાદમીમાં નવમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે સૌથી પહેલી નવલકથા ‘ઉત્સવવ્યસને’ લખી હતી. પણ હસ્તપ્રત ખોવાઈ જતાં તે પ્રકાશિત થઈ…

વધુ વાંચો >

મહાન્તી, ગુરુપ્રસાદ

મહાન્તી, ગુરુપ્રસાદ (જ. 1924) : ઓરિસાના અગ્રણી કવિ. કટકની રૅવન્શૉ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. અનેક કૉલેજોમાં અધ્યાપન કર્યા પછી, ભુવનેશ્વરમાં બી. જે. બી. કૉલેજના આચાર્ય નિમાયા. આધુનિક ઊડિયા કવિતાના તેઓ પ્રણેતા ગણાય છે. 1950નાં પ્રારંભિક વર્ષોમાં તેમણે અને સચી રાઉતરાયે મળીને ઊડિયા કવિતામાં રીતસર આધુનિક ચળવળનો પ્રારંભ કર્યો. તેમનો…

વધુ વાંચો >

મહાન્તી, ગોપીનાથ

મહાન્તી, ગોપીનાથ (જ. 20 એપ્રિલ 1914, કટક, ઓરિસા ) : ઓરિસાના પ્રખ્યાત નવલકથાકાર. તેમને ‘અમૃતર સંતાન’ નામની નવલકથા માટે 1955ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શાળાશિક્ષણ સોનેપુરમાં. 1930માં મૅટ્રિક થયા અને 1935માં કટકની રહેવન યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ.માં વિશેષ ગુણવત્તા મેળવી. આઈ. સી. એસ.…

વધુ વાંચો >

મહાન્તી, વીણાપાણિ

મહાન્તી, વીણાપાણિ (જ. 1936 ચંદોલ, જિ. કટક, ઓરિસા) : ઓરિસાના વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. તેમના વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ માટે તેમને 1990ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. અર્થશાસ્ત્ર સાથે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે કટક ખાતે એસ. બી. યુનિવર્સિટીમાં એ જ વિષયના રીડર તથા વાઇસ-પ્રિન્સિપાલ તરીકે કામગીરી સંભાળી.…

વધુ વાંચો >

મહાન્તી, સુરેન્દ્ર

મહાન્તી, સુરેન્દ્ર (જ. 1922, પુરષોત્તમપુર, કટક; અ. 21 ડિસેમ્બર 1990) : ઊડિયા વાર્તાકાર અને નવલકથાકાર. તેઓ સમાલોચક, નિબંધકાર અને નાટ્યલેખક પણ હતા. તેમનાં લખાણોની જેમ તેમનું જીવન પણ વિવિધતાભર્યું હતું. ‘ભારત છોડો આંદોલન’માં જોડાવા માટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. તેઓ સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને ભારતની લોકસભાના સભ્ય હતા. વતનનાં નદી,…

વધુ વાંચો >

મહાપાત્ર, કેલુચરણ

મહાપાત્ર, કેલુચરણ (જ. 1 ઑગસ્ટ 1925; રઘુરાજપુર, ઓરિસા) : ઑડિસી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર તથા અગ્રણી કલાગુરુ. સંગીત, નૃત્ય અને ચિત્રકલાને વરેલા પરિવારમાં જન્મ. પિતા ઓરિસાના વિશિષ્ટ ચર્મવાદ્ય ખોલા(drum)ના નિષ્ણાત વાદક હતા અને પ્રવાસી નાટ્યમંડળીઓમાં વાદક તરીકે સેવાઓ આપી પોતાની આજીવિકા મેળવતા હતા. બાલ્યાવસ્થામાં જ કેલુચરણને આવી નાટ્યમંડળીઓ દ્વારા પ્રસ્તુત થતી…

વધુ વાંચો >

મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ

મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1898; અ. 1965) : ઊડિયા ભાષાના કવિ, ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર. ઓરિસામાં તેમની કૃતિઓ સૌથી વધુ વંચાય છે. તેમણે કાવ્યલેખનથી પ્રારંભ કર્યો. ‘બનપુર’ (1918), ‘પ્રભાતકુસુમ’ (1920) અને ‘જે ફૂલ ફુટી થિલા’ તેમના પ્રારંભિક કાવ્યસંગ્રહો છે. પછી તેમણે વ્યંગ્યકળા અને કટાક્ષલેખનમાં સારું પ્રભુત્વ દાખવ્યું અને કટાક્ષલક્ષી સામયિકનું…

વધુ વાંચો >

મહાપાત્ર, જયંત

મહાપાત્ર, જયંત (જ. 1928) : ઊડિયા ભાષાના કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિલેશનશિપ’ (1980) માટે 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટકની રેવન્શૉ કૉલેજમાં તથા પટણાની વિજ્ઞાન કૉલેજમાં અભ્યાસ. તેમણે કટક(ઓરિસા)માં શાઈબાબલા વિમેન્સ કૉલેજ ખાતે પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી. કાવ્યસર્જન તેમણે મોડું શરૂ કર્યું. તેઓ કવિ…

વધુ વાંચો >

મહાકાલેશ્વર

Jan 15, 2002

મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…

વધુ વાંચો >

મહાકાવ્ય

Jan 15, 2002

મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં…

વધુ વાંચો >

મહાકોશલ

Jan 15, 2002

મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…

વધુ વાંચો >

મહાકોષી ધમનીશોથ

Jan 15, 2002

મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) : મોટી ઉંમરે એટલે કે 50 વર્ષ કે વધુ વયે શરીરની મધ્યમ કદની કે મોટી ધમનીઓમાં થતો શોથ(inflammation)નો વિકાર. તેમાં લમણામાં આવેલી ગંડકપાલીય ધમની (temporal artery), ડોકના કરોડસ્તંભના મણકામાંથી પસાર થતી મેરુસ્તંભીય ધમની (vertebral artery) તથા આંખના ભાગોને લોહી પહોંચાડતી નેત્રીય ધમની (ophthalmic artery) સૌથી…

વધુ વાંચો >

મહાક્ષત્રિય

Jan 15, 2002

મહાક્ષત્રિય : કન્નડ ભાષાના સાહિત્યકાર દેવુડુ (નરસિંહ શાસ્ત્રી)(1896–1962)ની નવલકથા. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. નરસિંહ શાસ્ત્રી કન્નડ ભાષાના નામાંકિત નવલકથાકાર અને સાહિત્યકાર હતા. તેમના બહુવિધ શોખના વિષયોમાં સાહિત્ય, તત્વજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, લલિત કળાઓ તથા રંગભૂમિ-પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ‘મહાક્ષત્રિય’ એ તેમની નવલત્રયીમાંની એક કૃતિ છે,…

વધુ વાંચો >

મહાગુજરાતનું આંદોલન

Jan 15, 2002

મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો…

વધુ વાંચો >

 મહાજન, પ્રમોદ

Jan 15, 2002

 મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર)  :  પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત…

વધુ વાંચો >

મહાજન શક્તિદળ

Jan 15, 2002

મહાજન શક્તિદળ : ગુજરાતની યુવતીઓ અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પૂજ્ય મોટા તરફથી મળેલી સહાયથી 1965માં સ્થપાયેલી સંસ્થા. મહાજન શક્તિદળની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જવાબદારી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને સોંપવામાં આવી છે. એટલે જ એનું મુખ્ય કાર્યાલય રાજપીપળા મુકામે રાખવામાં આવ્યું છે. ગુજરાતની બહેનો શારીરિક ઘડતરનું મહત્વ સમજે અને ઘરની ચાર…

વધુ વાંચો >

મહાજલપ્રપાત

Jan 15, 2002

મહાજલપ્રપાત (cataract) : વિશાળ પાયા પરનો જલધોધ. જે જલધોધમાં વિપુલ જલરાશિ એકીસાથે સીધેસીધો નીચે તરફ લંબદિશામાં પડતો હોય અથવા ઊંચાણવાળા ભાગમાંથી ઊભરાઈને આવતું પાણી બધું જ એકસરખી રીતે નીચે પડતું હોય તેને મહાજલપ્રપાત કહે છે. તેનાથી નાના પાયા પરના જલધોધને નાનો ધોધ (cascade) કહે છે. તેમાં આંતરે આંતરે એક પછી…

વધુ વાંચો >

મહાતરંગ

Jan 15, 2002

મહાતરંગ (storm surge) : ચક્રવાત (વાવાઝોડાં) જેવા સમુદ્રી તોફાન દરમિયાન પવનના જોર અને વાતાવરણના ઓછા દબાણને કારણે સમુદ્રની સામાન્ય સપાટીમાં પેદા થતો વધારો. જો આ ઘટના સમુદ્રની ભરતીના સમયે થાય તો મહાતરંગ વધારે ઊંચા અને વિનાશક થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા મોટા ચક્રવાતી તોફાન દરમિયાન વાતાવરણના ઓછા દબાણને કારણે…

વધુ વાંચો >