૧૪.૦૯

ભક્તિબાથી ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ

ભગત, ધનરાજ

ભગત, ધનરાજ (જ. 20 ડિસેમ્બર 1917, લાહોર) : ભારતના આધુનિક શૈલીના શિલ્પી. તેમણે લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પનો ડિપ્લોમાં મેળવ્યો હતો. આ જ કૉલેજમાં તેમણે થોડાં વરસ અધ્યાપન કર્યું. આ પછી તેઓ નવી દિલ્હીની કૉલેજ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં તે પછીથી શિલ્પવિભાગના અધ્યક્ષ પણ હતા. ત્યાંથી 1976માં…

વધુ વાંચો >

ભગત, નિરંજન નરહરિ

ભગત, નિરંજન નરહરિ (જ. 18 મે 1926, અમદાવાદ; અ. 1 ફેબ્રુઆરી 2018) :  ગુજરાતી કવિ અને વિવેચક. અર્વાચીન ગુજરાતી કવિતામાં સુન્દરમ્  ઉમાશંકરની કવિ પેઢી પછીના 2 અગ્રણી કવિઓ તે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. પિતા નરહરિ અમદાવાદની લાલભાઈ દલપતભાઈની પેઢીમાં. માતા મેનાંબહેન. મોસાળમાં ઉછેર. અરુણ અને અજિત બે ભાઈ. અજિતનું…

વધુ વાંચો >

ભગત, વજુભાઈ

ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી…

વધુ વાંચો >

ભગવત રસિક

ભગવત રસિક (જ. ઈ. સ. 1738; અ. –) : વિરક્ત પ્રેમયોગી સાધુ. એમના પૂર્વજીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નિંબાર્ક સંપ્રદાયના ટટ્ટી સંસ્થાનના ગાદીપતિ સ્વામી લલિતમોહિનીદાસના તેઓ શિષ્ય હતા. નિર્ભીક, નિસ્પૃહ, સત્યવાદી અને ત્યાગી મહાત્મા તરીકે એમની ખ્યાતિ પ્રસરી હતી. ઈ. સ. 1802માં સ્વામી લલિતમોહિનીદાસનું નિધન થતાં તેમના મુખ્ય શિષ્ય…

વધુ વાંચો >

ભગતસિંહ

ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ…

વધુ વાંચો >

ભગવતી આરાધના

ભગવતી આરાધના : પ્રાચીન ભારતમાં જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ. તેનાં ‘આરાધના’ અથવા ‘મૂલારાધના’ એવાં પણ નામો છે. તેના કર્તા શિવાર્ય કે શિવકોટિ છે. તેમણે પૂર્વાચાર્યોની રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. તેનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેના વિષય-વર્ણનના આધારે તે શ્વેતામ્બર આગમ ગ્રંથો જેટલો જ પ્રાચીન જણાય…

વધુ વાંચો >

ભગવતી, એન. એચ.

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. આખું નામ નટવરલાલ હરિલાલ ભગવતી. માતાનું નામ બકુબહેન. પિતા અને માતા બંને શિક્ષક હતાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. શાળાકીય કારકિર્દી દરમિયાન રામાયણ, મહાભારત અને ઉપનિષદોનું અધ્યયન…

વધુ વાંચો >

ભગવતીચરણ

ભગવતીચરણ (જ. 1907, લાહોર; અ. 28 મે 1930, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. પિતા શિવચરણ વહોરા ગુજરાતના નાગર બ્રાહ્મણ; લાહોરમાં રેલવે અધિકારી અને ‘રાયસાહેબ’નો ખિતાબ ધરાવતા હતા. ભગવતીચરણ લાહોરની નૅશનલ કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે ભગતસિંહ, યશપાલ, સુખદેવ વગેરે તેમના સહાધ્યાયીઓ અને નિકટના સાથીઓ હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમના રસના વિષયો…

વધુ વાંચો >

ભગવતી, જગદીશ એન.

ભગવતી, જગદીશ એન. (જ. 27 જુલાઈ 1934, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મૂળ ભારતીય અર્થશાસ્ત્રી. પિતાનું નામ નટરવલાલ જેઓ ન્યાયવિદ્ હતા અને માતાનું સરસ્વતી. મૅટ્રિકની પરીક્ષામાં તેમણે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી. 1956માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી; 1967માં અમેરિકાની મૅસેચુસેટ્સ…

વધુ વાંચો >

ભગવતી, પી. એન.

ભગવતી, પી. એન. (જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. પિતા અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. માતાનું નામ સરસ્વતીબહેન. 1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખા ઇલાકામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

ભક્તિબા

Jan 8, 2001

ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…

વધુ વાંચો >

ભક્તિભાવના

Jan 8, 2001

ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું…

વધુ વાંચો >

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

Jan 9, 2001

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…

વધુ વાંચો >

ભક્તિરસામૃતસિંધુ

Jan 9, 2001

ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે. આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય…

વધુ વાંચો >

ભક્ના, સોહનસિંહ

Jan 9, 2001

ભક્ના, સોહનસિંહ (જ. જાન્યુઆરી 1870, ખુત્રાખુર્દ, જિ. અમૃતસર; અ. 20 ડિસેમ્બર 1968) : ભારતીય ક્રાંતિકારી, અમેરિકામાં ગદર પક્ષના પ્રથમ પ્રમુખ. વતન ભક્ના ગામ પરથી ‘ભક્ના’ અટક રાખી. કુટુંબની સ્થિતિ સારી હતી. તેમની એક વર્ષની ઉંમરે પિતા કરમસિંહનું અવસાન થયું. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું…

વધુ વાંચો >

ભક્ષકકોષો

Jan 9, 2001

ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…

વધુ વાંચો >

ભક્ષણ

Jan 9, 2001

ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…

વધુ વાંચો >

ભગત, કહળસંગ

Jan 9, 2001

ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…

વધુ વાંચો >

ભગત, કૃત્તિકા કેશવલાલ

Jan 9, 2001

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…

વધુ વાંચો >

ભગત ચુનીલાલ આશારામ

Jan 9, 2001

ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી

વધુ વાંચો >