૧૪.૦૯

ભક્તિબાથી ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ

ભચાઉ

ભચાઉ : કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ અને બે મહાલો પૈકીનો એક તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા-મથક. કચ્છના પૂર્વ ભાગમાં આવેલા વાગડ વિસ્તારનો તે એક ભાગ છે. તેની ઉત્તરે કચ્છના મોટા રણનો ભાગ તથા રાપર તાલુકો, પૂર્વમાં કચ્છનું નાનું રણ તેમજ સૌરાષ્ટ્રના માળિયા-મોરબી અને હળવદ તાલુકાઓ, દક્ષિણે કચ્છનું નાનું…

વધુ વાંચો >

ભચેચ, શુકદેવ

ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત…

વધુ વાંચો >

ભજન

ભજન : ગુજરાતી લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિજ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પદકવિતાનો એક પ્રકાર. ‘ભજન’ શબ્દ સંસ્કૃત भज् ધાતુ પરથી આવેલો છે. ‘ભજન’નો અર્થ છે પરમતત્વ કે ઇષ્ટદેવનો આશ્રય લેવો, એની સેવા કે ઉપાસના કરવી, એનાં ગુણગાન ગાવાં. ભજનમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, કીર્તન, પ્રાર્થના વગેરેના ભાવ-અર્થો સમાવિષ્ટ છે.…

વધુ વાંચો >

ભજનલાલ (ચૌધરી)

ભજનલાલ (ચૌધરી) [જ. 6 ઑક્ટોબર 1930, કોરનવાલી (હાલના પાકિસ્તાનમાં આવેલું ગામ)] : હરિયાણા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને અગ્રણી રાજકારણી. ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યું. 1960થી સક્રિય રાજકારણમાં ભાગ લેવાની શરૂઆત કરી અને 1964થી 1968નાં વર્ષો દરમિયાન હરિયાણામાં આવેલા હિસ્સારની નગર પંચાયત સમિતિના…

વધુ વાંચો >

ભટનાગર, શાંતિસ્વરૂપ

ભટનાગર, શાંતિસ્વરૂપ (જ. 21 ફેબ્રુઆરી 1894, ભેરા, જિ. શાહપુર; અ. 1 જાન્યુઆરી 1955, દિલ્હી) : ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવંતા કવિ. તેમણે શાળાનું શિક્ષણ લાહોરમાંથી લીધું. અભ્યાસમાં તેજસ્વી હતા અને ખાસ કરીને ઉર્દૂ ભાષાના સારા અભ્યાસી હતા. 1916માં બીએસ.સી.ની ઉપાધિ મેળવી. દયાળસિંઘ કૉલેજ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…

વધુ વાંચો >

ભટ, રમજાન

ભટ, રમજાન (જ. 1885, તા. બડગામ, કાશ્મીર; અ. 1917) : કાશ્મીરી લેખક. એમનાં જન્મ અને મૃત્યુનાં વર્ષ વિશે પણ કાશ્મીરી સાહિત્યના ઇતિહાસકારોએ એમનાં લખાણ પરથી અને બીજા સાહિત્યમાં એમના વિશેના ઉલ્લેખો પરથી અનુમાન કર્યું છે. એમની કાશ્મીરી સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રચના ‘અકનંદૂન’ છે. આલોચકોએ તેને પ્રશિષ્ટ લેખી છે. એ રચના…

વધુ વાંચો >

ભટ, રવીન્દ્ર

ભટ, રવીન્દ્ર (જ. 1930, પુણે; અ. 22 નવેમ્બર 2008, પુણે) : જાણીતા મરાઠી સાહિત્યકાર. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. સર પરશુરામ ભાઉ કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. સાહિત્યની જેમ અધ્યાત્મમાં પણ તેમની સક્રિય રુચિ હતી. તેમણે ચૌદ જેટલી નવલકથાઓ લખી છે; જેમાં ‘ઇન્દ્રાયણી કાઠી’, ‘સાગરા પ્રાણ તળમળલા’, ‘ભગીરથ’, ‘આભાળાચે ગાણે’,…

વધુ વાંચો >

ભટ, સુરેશ

ભટ, સુરેશ (જ. 15 એપ્રિલ 1932, અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2003, નાગપુર) : જાણીતા મરાઠી કવિ –ગીતકાર અને ગઝલકાર. સમગ્ર શિક્ષણ અમરાવતી ખાતે. નાગપુર વિદ્યાપીઠમાંથી ભાષા અને સાહિત્ય વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. શાળા અને મહાવિદ્યાલયના શિક્ષણ દરમિયાન તેમનામાં રહેલી સર્જનશક્તિ પૂર્ણ કળાએ ખીલવા લાગી હતી. મહાવિદ્યાલયનાં સામયિકોમાં તેમની…

વધુ વાંચો >

ભટાર્ક

ભટાર્ક (ઈ.સ.ની પાંચમી સદી) : સૌરાષ્ટ્રમાં મૈત્રક વંશની રાજસત્તાનો સ્થાપક. સ્કન્દગુપ્તના મૃત્યુ (ઈ.સ. 467) બાદ ગુપ્ત સામ્રાજ્યની પડતી થઈ ને સૌરાષ્ટ્ર જેવા દૂરના પ્રાંતમાં સ્થાનિક રાજસત્તા સ્થપાઈ. આ સત્તા સ્થાપનાર ભટાર્ક સેનાપતિ હતો. એણે ગિરિનગરમાં રહેલા ગુપ્ત સામ્રાજ્યના ગોપ્તાની સત્તાનું ઉન્મૂલન કરી વલભીમાં પોતાની સ્વતંત્ર સત્તા પ્રવર્તાવી. ‘એણે પ્રતાપથી વશ…

વધુ વાંચો >

ભટિંડા

ભટિંડા : પંજાબ રાજ્યનો મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 33´ થી 30° 36´ ઉ. અ. અને 74° 38´થી 75° 46´ પૂ. રે. વચ્ચેનો 3,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મોગા જિલ્લો, પૂર્વમાં સંગરૂર જિલ્લો, અગ્નિમાં મનસા જિલ્લો,…

વધુ વાંચો >

ભક્તિબા

Jan 8, 2001

ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…

વધુ વાંચો >

ભક્તિભાવના

Jan 8, 2001

ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું…

વધુ વાંચો >

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

Jan 9, 2001

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…

વધુ વાંચો >

ભક્તિરસામૃતસિંધુ

Jan 9, 2001

ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે. આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય…

વધુ વાંચો >

ભક્ના, સોહનસિંહ

Jan 9, 2001

ભક્ના, સોહનસિંહ (જ. જાન્યુઆરી 1870, ખુત્રાખુર્દ, જિ. અમૃતસર; અ. 20 ડિસેમ્બર 1968) : ભારતીય ક્રાંતિકારી, અમેરિકામાં ગદર પક્ષના પ્રથમ પ્રમુખ. વતન ભક્ના ગામ પરથી ‘ભક્ના’ અટક રાખી. કુટુંબની સ્થિતિ સારી હતી. તેમની એક વર્ષની ઉંમરે પિતા કરમસિંહનું અવસાન થયું. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું…

વધુ વાંચો >

ભક્ષકકોષો

Jan 9, 2001

ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…

વધુ વાંચો >

ભક્ષણ

Jan 9, 2001

ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…

વધુ વાંચો >

ભગત, કહળસંગ

Jan 9, 2001

ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…

વધુ વાંચો >

ભગત, કૃત્તિકા કેશવલાલ

Jan 9, 2001

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…

વધુ વાંચો >

ભગત ચુનીલાલ આશારામ

Jan 9, 2001

ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી

વધુ વાંચો >