૧૪.૦૯

ભક્તિબાથી ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ

ભક્તિબા

ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…

વધુ વાંચો >

ભક્તિભાવના

ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું…

વધુ વાંચો >

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…

વધુ વાંચો >

ભક્તિરસામૃતસિંધુ

ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે. આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય…

વધુ વાંચો >

ભક્ના, સોહનસિંહ

ભક્ના, સોહનસિંહ (જ. જાન્યુઆરી 1870, ખુત્રાખુર્દ, જિ. અમૃતસર; અ. 20 ડિસેમ્બર 1968) : ભારતીય ક્રાંતિકારી, અમેરિકામાં ગદર પક્ષના પ્રથમ પ્રમુખ. વતન ભક્ના ગામ પરથી ‘ભક્ના’ અટક રાખી. કુટુંબની સ્થિતિ સારી હતી. તેમની એક વર્ષની ઉંમરે પિતા કરમસિંહનું અવસાન થયું. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું…

વધુ વાંચો >

ભક્ષકકોષો

ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…

વધુ વાંચો >

ભક્ષણ

ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…

વધુ વાંચો >

ભગત, કહળસંગ

ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…

વધુ વાંચો >

ભગત, કૃત્તિકા કેશવલાલ

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…

વધુ વાંચો >

ભગત ચુનીલાલ આશારામ

ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી

વધુ વાંચો >

ભગવતી, હીરાલાલ

Jan 9, 2001

ભગવતી, હીરાલાલ (જ. 14 મે 1910, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 4 માર્ચ 2004, અમદાવાદ) : અગ્રણી સામાજિક કાર્યકર અને વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના પીઢ આગેવાન. પિતાનું નામ હરિલાલ અને માતાનું નામ સંતોકબા. પિતા શિક્ષક હતા. પ્રાથમિક શિક્ષણ મહેસાણા ખાતે તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી તથા ટ્યૂટૉરિયલ હાઇસ્કૂલમાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી…

વધુ વાંચો >

ભગવદગીતા

Jan 9, 2001

ભગવદગીતા : જુઓ ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

વધુ વાંચો >

ભગવદગોમંડલ

Jan 9, 2001

ભગવદગોમંડલ : ગુજરાતી ભાષાનો પ્રથમ બૃહત્ શબ્દકોશ. સાહિત્યવ્યાસંગી ગોંડળનરેશ મહારાજા ભગવતસિંહજી (1865–1944) અને તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ(1889–1964)ના સહિયારા ખંતીલા પુરુષાર્થથી તૈયાર થયેલી કોશ-શ્રેણી. તેના કુલ 9 ખંડમાં રૉયલ 4 પેજી કદનાં અને 3 કૉલમવાળાં કુલ 9,270 પાનાંમાં સરવાળે 2,81,377 શબ્દોના 5,49,455 અર્થો અપાયા છે. પ્રસંગ પ્રમાણે શબ્દના એકથીય…

વધુ વાંચો >

ભગવાનદાસ, ડૉ.

Jan 9, 2001

ભગવાનદાસ, ડૉ. (જ. 12 જાન્યુઆરી 1869, વારાણસી; અ. 18 સપ્ટેમ્બર 1958, વારાણસી) : આધુનિક ભારતના અગ્રણી તત્વચિંતક, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, સમાજસેવક અને સ્વાતંત્ર્યસેનાની. સમગ્ર શિક્ષણ વતન વારાણસી ખાતે. તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. તથા એમ.એ.ની પદવીઓ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કર્યા પછી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

ભગવાનલાલ ઇન્દ્રજી (પંડિત)

Jan 9, 2001

ભગવાનલાલ ઇન્દ્રજી (પંડિત) (જ. 7 નવેમ્બર 1839, જૂનાગઢ; અ. 16 માર્ચ 1888, મુંબઈ) : ભારતના મહાન પુરાતત્વવિદ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, પિતા ઇન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃત ભણ્યા હતા. તેમને ગિરનારની તળેટીમાં આવેલ અશોકનો શિલાલેખ ઉકેલવાની જિજ્ઞાસા થઈ. જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ, સૌરાષ્ટ્રના તત્કાલીન પૉલિટિકલ એજન્ટ…

વધુ વાંચો >

ભગંદર

Jan 9, 2001

ભગંદર (fistula-in-ano) (આયુર્વિજ્ઞાન) : ગુદામાર્ગ (anal canal) કે મળાશય(rectum)ને બહારની ચામડી જોડે જોડતી કૃત્રિમ નળી બનાવતો વિકાર. આવી નળીને સંયોગનળી (fistula) કહે છે, જેની અંદરની દીવાલ દાણાદાર પેશી(granulation tissue)ની બનેલી હોય છે અને તેનો બહારનો છેડો ગુદાછિદ્ર(anus)ની આસપાસ હોય છે. સામાન્ય રીતે તે ગુદા અને મળાશયની બહાર બનતું ગુદામળાશયી ગૂમડું…

વધુ વાંચો >

ભગંદર (fistula in ano) (આયુર્વેદ)

Jan 9, 2001

ભગંદર (fistula in ano) (આયુર્વેદ) : ગુદા અને તેની આસપાસની પેશીઓમાં થતો કષ્ટસાધ્ય રોગ. આચાર્ય સુશ્રુતે તે દુ:શ્ચિકિત્સ્ય હોવાથી તેની અષ્ટ મહાવ્યાધિમાં ગણના કરેલ છે. ‘ભગંદર’ શબ્દની વ્યુત્પત્તિમાં મુખ્યત્વે ભગ + દર (દારણ) શબ્દનો સમાવેશ થાય છે. આચાર્ય સુશ્રુતના મતાનુસાર દારણવત્ પીડા અર્થાત્ પેશીઓમાં કંઈક કપાતું હોય તેવી પીડા ભગવિસ્તારમાં…

વધુ વાંચો >

ભગિની નિવેદિતા

Jan 9, 2001

ભગિની નિવેદિતા : જુઓ નિવેદિતા, ભગિની

વધુ વાંચો >

ભગીરથ

Jan 9, 2001

ભગીરથ : પુરાણો અનુસાર સૂર્યના પુત્ર મનુના ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલો પ્રસિદ્ધ રાજા. સગર રાજાના પુત્ર સમ્રાટ દિલીપનો તે પુત્ર હતો. સગર રાજાએ 100મો અશ્વમેધ યજ્ઞ કરવા અશ્વને છૂટો મૂક્યો ત્યારે ઇન્દ્રે પોતાનું (ઇન્દ્ર) પદ બચાવવા, અશ્વને ચોરીને પાતાળમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે જઈને ત્યાં ખબર ન પડે તેમ…

વધુ વાંચો >

ભગોષ્ઠ ખૂજલી

Jan 9, 2001

ભગોષ્ઠ ખૂજલી (pruritus vulvae) : સ્ત્રીનાં બાહ્ય જનનાંગોમાં અનુભવાતી ખૂજલીનો વિકાર. સારવાર લેવા આવતી આશરે 10 % સ્ત્રીઓને તેની તકલીફ હોય છે. તેને ભગખૂજલી પણ કહે છે. સામાન્ય રીતે ત્યાં દુખાવો, કોઈ વિકાર દર્શાવતી વિકૃતિ કે સ્પર્શવેદના (tenderness) હોતી નથી. સંવેદનાઓને વિશિષ્ટ પ્રકારની ચેતાઓ વડે મગજ સુધી લઈ જવામાં આવે…

વધુ વાંચો >