ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >ધ્રુવ
ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક…
વધુ વાંચો >ધ્રુવ અને ધ્રુવી
ધ્રુવ અને ધ્રુવી (Pole and Polar) : સમતલ (plane) પરનાં બિંદુ અને રેખાઓનું સાયુજ્ય (correlation) દર્શાવતો ખ્યાલ. સમતલમાં આવેલા આધાર વર્તુળ (base circle) C નું કેન્દ્ર O છે. P સમતલ પરનું બિંદુ છે અને વર્તુળ C ના સંદર્ભમાં P બિંદુને સાપેક્ષ બિંદુ Q આવેલું છે, જેથી OP.OQ = r2 થાય…
વધુ વાંચો >ધ્રુવ, આનંદશંકર
ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…
વધુ વાંચો >ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’
ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…
વધુ વાંચો >ધ્રુવદેવી
ધ્રુવદેવી : ધ્રુવદેવી ઉર્ફે ધ્રુવસ્વામિનીદેવી ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય : 381 થી 412)ની મહારાજ્ઞી હતી. વિશાખદત્ત-કૃત ‘દેવીચંદ્રગુપ્તમ્’ નાટકના ત્રુટિત અંશમાંથી તેમજ બીજાં કેટલાંક સાધનોમાંથી તેની વિગત મળે છે. તે પરથી જણાય છે કે પ્રથમ એ ગુપ્તસમ્રાટ રામગુપ્ત(ઈ. સ. 380 થી 81)ની રાણી હતી. રામગુપ્ત પર શક રાજાનું આક્રમણ થતાં તેનો સામનો…
વધુ વાંચો >ધ્રુવનો તારો
ધ્રુવનો તારો (North Star) : ઉત્તર ધ્રુવ ઉપર બરાબર મથાળે આવેલો સ્થિર અને ર્દશ્ય તારો. તેને ધ્રુવતારો (Polaris) પણ કહે છે. ધ્રુવતારાની પાસે આવેલ આ ધ્રુવબિંદુ આકાશના બધા જ્યોતિઓનું ચકરાવા-કેન્દ્ર (center of rotation) છે. ધ્રુવ મત્સ્ય તારકમંડળ(ursa minor constellation)નો સૌથી વધારે તેજસ્વી તારો છે. ધ્રુવતારો ભૌગોલિક ધ્રુવ છે જ્યાં બધાં…
વધુ વાંચો >ધ્રુવ, હરિલાલ હર્ષદરાય
ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…
વધુ વાંચો >ધ્રુવીકરણ
ધ્રુવીકરણ (વૈદ્યુત) (polarisation-electric) : પરાવૈદ્યુત (અવાહક) (dielectric) પદાર્થના દ્વિધ્રુવની વિદ્યુતક્ષેત્રને સમાંતર બનવાની ઘટના. માઇકલ ફૅરેડેએ પ્રાયોગિક રીતે સિદ્ધ કર્યું કે સમાંતર પ્લેટ-સંગ્રાહકની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં જ્યારે પરાવૈદ્યુત પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે તેના વિદ્યુત-ધ્રુવીકરણને કારણે સંગ્રાહકની ધારિતામાં ઘણો વધારો થાય છે. સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રૉન હોવાને કારણે વિદ્યુતક્ષેત્રની હાજરીમાં વિદ્યુતપ્રવાહવહનની…
વધુ વાંચો >ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન
ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન (Polar Satellite Launch Vehicle–PSLV) : ભારતના ઉપગ્રહ પ્રમોચક વાહનની ત્રીજી પેઢીનું વાહન. પહેલી અને બીજી પેઢીમાં અનુક્રમે ઉપગ્રહ પ્રમોચક વાહન (SLV-3) અને સંવર્ધિત (augmented) અંતરીક્ષયાન પ્રમોચક વાહન(ASLV)નો સમાવેશ થાય છે. ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહનની મદદથી, તેના નામને અનુરૂપ 1,000 કિગ્રા. વજનના ઉપગ્રહને 900 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય…
વધુ વાંચો >ધ્રુવીય જ્યોતિ
ધ્રુવીય જ્યોતિ (Aurora) : પૃથ્વીના ધ્રુવ-પ્રદેશના આકાશમાં દેખાતો પ્રકાશ. અધિક સૌર-પ્રક્રિયા (solar activity) તથા ભૂ-ચુંબકીય તોફાનો દરમિયાન ધ્રુવીય જ્યોતિની ઘટના બને છે. સૌર તેજ-વિસ્ફોટ (solar flare) દરમિયાન સૂર્યમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રૉન ભૂ-ચુંબકીય ક્ષેત્રની અસરથી તેના માર્ગમાંથી વિચલિત થઈને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના…
વધુ વાંચો >