ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તૈત્તિરીયોપનિષદ

તૈત્તિરીયોપનિષદ : જુઓ, ઉપનિષદ

વધુ વાંચો >

તૈમુર લંગ

તૈમુર લંગ (જ. 8 એપ્રિલ 1336, કેશ, સમરકંદ; અ. 17 ફેબ્રુઆરી 1405, ઓત્રાર) : મુઘલ-તુર્ક જાતિનો શાસક અને લશ્કરી વિજેતા. 1360માં એના પિતાનું અવસાન થતાં એને એની બરલા નામની તુર્ક જાતિના વડા તરીકે ચૂંટવામાં આવ્યો. 1367 સુધીમાં એણે પડોશી તુર્ક જાતિઓને હરાવીને રશિયન તુર્કસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી…

વધુ વાંચો >

તૈયબજી, અબ્બાસ

તૈયબજી, અબ્બાસ (જ. 1 ફેબ્રુઆરી 1854, વડોદરા; અ. 9 મે 1936) : વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, ગુજરાતના રાષ્ટ્રવાદી નેતા અને ગાંધીજીના નિકટના સાથી. અબ્બાસ તૈયબજીનો જન્મ ખૂબ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ ભાઈમિયાં તૈયબજીએ સ્થાપેલી તૈયબજી ઍન્ડ કું. નામની પેઢીમાં તેમના પિતા શમ્સુદ્દીન ભાગીદાર હતા. આ પેઢીનો…

વધુ વાંચો >

તૈયબજી, બદરુદ્દીન

તૈયબજી, બદરુદ્દીન (જ. 10 ઑક્ટોબર 1844, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1906, લંડન) : હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં મહત્વનો ભાગ લેનાર રાષ્ટ્રવાદી નેતા, કુશળ ધારાશાસ્ત્રી, નીડર ન્યાયાધીશ અને સમાજસુધારક. મુંબઈમાં રૂઢિચુસ્ત સુલેમાની મુસ્લિમ કુટુંબમાં જન્મેલા બદરુદ્દીન તૈયબજીના પિતા ભાઈમિયાં જૂના ખંભાતમાં વસેલા આરબ કુટુંબના નબીરા હતા. ભાઈમિયાં(તૈયબઅલી)એ મુંબઈમાં તૈયબજી ઍન્ડુ કું.…

વધુ વાંચો >

તૈલચિત્ર

તૈલચિત્ર : તેલમિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી. તૈલરંગો વડે સૌપ્રથમ આલેખન કરનારા ચિત્રકારોમાં ઇયાન વાન આઇક (JAN VAN EYCK) છે. તેનો શ્રેણીબદ્ધ વિકાસ યુરોપમાં નવજાગરણ કાળ દરમિયાન પંદરમી સદીમાં થયો. તૈલચિત્રના ઉદભવ અને વિકાસમાં વાસ્તવદર્શી વલણ કારણભૂત છે; આ વલણ…

વધુ વાંચો >

તોક્વિલ, એલૅક્સી દ

તોક્વિલ, એલૅક્સી દ (જ. 29 જુલાઈ 1805, પૅરિસ; અ. 16 એપ્રિલ 1859, કેન, ફ્રાન્સ) : ફ્રેંચ ઇતિહાસકાર, રાજકીય ચિંતક અને રાજનીતિજ્ઞ. ‘ડેમૉક્રસી ઇન અમેરિકા’(1835–1840)ના ચાર ગ્રંથો માટે તેમને પ્રસિદ્ધિ મળેલી. તેમના ઉદારમતવાદી ઉમરાવ પ્રપિતામહ ફ્રાન્સની ક્રાંતિનો ભોગ બન્યા હતા. તેમના પિતા રાજાશાહી તરફી હતા. તોક્વિલે રાજકીય કારકિર્દી પસંદ કરી. તે…

વધુ વાંચો >

તોડી

તોડી : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિનો એક પ્રચલિત રાગ. સંગીતની આ પદ્ધતિમાં રાગોનું વર્ગીકરણ થાટ-પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમુખ દસ થાટોમાંથી એક થાટ તોડી છે, જેનો મુખ્ય રાગ તોડી છે. તે દિવસના પહેલા પ્રહરમાં ગવાય છે. આ રાગમાં રે, ગ, ધ કોમળ સ્વરો છે (રે ગ ધ) તથા મ તીવ્ર…

વધુ વાંચો >

તોણ્ડમંડળ

તોણ્ડમંડળ : મદુરૈની ઉત્તરે (અને હાલના ચેન્નાઈની દક્ષિણે) કાંજીવરમ્(અર્થાત્, પ્રાચીન કાંચીપુર)ની આસપાસ આવેલો પ્રદેશ. ત્રીજી સદીમાં ત્યાં સાતવાહન સત્તાનો હ્રાસ થતાં પલ્લવોએ પોતાની રાજસત્તા સ્થાપી. ‘તોણ્ડ’નો સંસ્કૃત પર્યાય ‘પલ્લવ’ છે. આથી તોણ્ડમંડળ એટલે પલ્લવ-મંડલ. પલ્લવ રાજાઓએ આ પ્રદેશમાં પ્રાકૃત-સંસ્કૃત ભાષા અને આર્યાવર્તની સંસ્કૃતિ પ્રચલિત કરી. તેમના અભિલેખ શરૂઆતમાં પ્રાકૃતમાં અને…

વધુ વાંચો >

તોતડાપણું

તોતડાપણું : વાણીની વિકૃતિ. બાળકની વાણીના વિકાસમાં મુશ્કેલીઓ આવે તો તે ખામીયુક્ત બની શકે છે. વાણીની ખામીઓમાં અપૂરતા શિક્ષણથી પરિણમતી અશુદ્ધ ભાષાથી માંડીને વાણીની વિકૃતિઓ જોવા મળે છે. વાણીની વિકૃતિઓમાં મુખ્યત્વે (1) કાલું બોલવું (lipsing); (2) અસ્પષ્ટ કે ગરબડિયું બોલવું (slurring); (3) તોતડાપણું (stuttering) અને અટકીને બોલવું  – આ ત્રણનો…

વધુ વાંચો >

તોપ

તોપ : લશ્કરની પરિભાષામાં ગોળા ફેંકવાની નળીના અંદરના ભાગમાં 30 મિમી. અથવા તેનાથી વધુ વ્યાસ ધરાવતું શસ્ત્ર. તોપ તરીકે ઓળખાતાં તમામ યુદ્ધ આયુધોનાં વિકાસ, સંચાલન તથા જાળવણીના કૌશલને તોપવિદ્યા (gunnery) કહેવામાં આવે છે. આધુનિક તોપોમાં પ્રવેગક તરીકે સ્ફોટક દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ અગાઉના પ્રક્ષેપકોમાં વળ, તાણ અને પ્રતિભાર(counter…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >