ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલુગુ મહાભારતમુ

તેલુગુ મહાભારતમુ (અગિયારથી બારમી સદી) : તેલુગુ મહાકાવ્ય. ‘તેલુગુમહાભારતમુ’ અથવા ‘આંધ્ર મહાભારતમુ’ તેલુગુની પ્રથમ કૃતિ છે. એની પૂર્વે કોઈ તેલુગુ રચના લિખિત રૂપમાં મળતી નથી. એની એક વિશેષતા એ છે કે એ ત્રણ જુદે જુદે સમયે થઈ ગયેલા કવિની સહિયારી રચના છે. વ્યાસકૃત સંસ્કૃત મહાભારતને આધારે અગિયારમી સદીમાં નન્નય ભટે…

વધુ વાંચો >

તેહરાન

તેહરાન : ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40’ ઉ. અ. અને 51° 26’ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું…

વધુ વાંચો >

તેહરાન પરિષદ

તેહરાન પરિષદ (28 નવેમ્બર – 1 ડિસેમ્બર, 1943) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ સાથી સત્તાઓના વડાઓની પ્રથમ પરિષદ. વિન્સ્ટન ચર્ચિલ, જોસેફ સ્ટાલિન તથા ફ્રૅન્ક્લિન ડી. રૂઝવેલ્ટે ઈરાનના પાટનગર તેહરાન ખાતે આ પરિષદમાં ભાગ  લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુસરવામાં આવનાર લશ્કરી તથા રાજકીય નીતિઓની ચર્ચા આ પરિષદમાં હાથ ધરાઈ. નેતાઓ…

વધુ વાંચો >

તેહરી ગઢવાલ

તેહરી ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના 19 જિલ્લા પૈકીનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે. આ પ્રદેશ આઝાદી પહેલાં એક દેશી રજવાડું હતો જેને 1947–48માં સંયુક્ત પ્રાન્ત(હાલના ઉત્તરપ્રદેશ રાજ્ય)માં ભેળવી દેવામાં આવ્યું હતું. જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3796 ચોકિમી. જેટલું  છે. તેનું વહીવટી…

વધુ વાંચો >

તેંગ, હેશિયો પિંગ

તેંગ, હેશિયો પિંગ (જ. 22 ઑગસ્ટ 1904, ઝીચ્વાન પ્રાંત; અ. 19 ડિસેમ્બર 1999, બેજિંગ) : રશિયા સાથેના વૈચારિક સંઘર્ષમાં આગેવાની લેનાર અને પશ્ચિમ સાથેના ચીનના સંબંધો પુન: સ્થાપવાની હિમાયત કરનાર ચીનનો પ્રભાવક નેતા. ફ્રાન્સમાં અભ્યાસકાળ દરમિયાન (1921–24) અને 1925–26માં રશિયાની મુલાકાત દરમિયાન સામ્યવાદી આંદોલનમાં સક્રિય. તેમણે દક્ષિણ ચીનમાં સામ્યવાદી સેનાના…

વધુ વાંચો >

તેંડુલકર, વિજય

તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને…

વધુ વાંચો >

તેંડુલકર, સચિન રમેશ

તેંડુલકર, સચિન રમેશ (જ. 24 એપ્રિલ 1973, મુંબઈ) : ભારતનો અત્યંત શક્તિશાળી, નાની ઉંમરમાં મહત્વની સિદ્ધિ મેળવનાર જમણેરી બૅટ્સમૅન, જમણેરી ધીમો ગોલંદાજ તથા ભારતીય ટીમનો સુકાની (1996). રમતવિશ્વમાં ક્વચિત્ એવી પ્રતિભાનું પ્રાગટ્ય થાય છે કે જે એની સર્વતોમુખી શક્તિથી અદ્વિતીય સ્થાન મેળવે છે. 1985–86માં મુંબઈની શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી મુંબઈની આંતરસ્કૂલ-ટૂર્નામેન્ટ…

વધુ વાંચો >

તૈત્તિરીય પ્રાતિશાખ્ય

તૈત્તિરીય પ્રાતિશાખ્ય : જુઓ, કલ્પસૂત્ર

વધુ વાંચો >

તૈત્તિરીય બ્રાહ્મણ

તૈત્તિરીય બ્રાહ્મણ : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાનો બ્રાહ્મણ ગ્રંથ. ત્રણ કાંડોના બ્રાહ્મણ ગ્રંથમાં 10 અધ્યાયોનો આરણ્યક ભાગ પણ જોડવામાં આવ્યો છે. પહેલા કાંડમાં 8 પ્રપાઠકો અને 78 અનુવાકો, બીજા કાંડમાં 8 પ્રપાઠકો અને 96 અનુવાકો અને ત્રીજા કાંડમાં 12 પ્રપાઠકો અને 134 અનુવાકો રહેલા છે. આરણ્યક ભાગના 10…

વધુ વાંચો >

તૈત્તિરીય સંહિતા

તૈત્તિરીય સંહિતા : જુઓ, યજુર્વેદ

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >