૪.૨૮

કાલ્ડોર, નિકોલસથી કાશ્મીરી ભાષા અને સાહિત્ય

કાલ્ડોર, નિકોલસ

કાલ્ડોર, નિકોલસ (જ. 1908, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1986, લંડન) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી અર્થશાસ્ત્રી તથા કરવેરાના નિષ્ણાત. તેમણે 1930માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ સંસ્થામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1930-47ના ગાળા દરમિયાન તે જ સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. દરમિયાન 1943-45ના બે વર્ષના ગાળામાં નૅશનલ…

વધુ વાંચો >

કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો

કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો (જ. 17 જાન્યુઆરી 1600, માડ્રિડ; અ. 25 મે 1681, માડ્રિડ) : સ્પેનના મહાન નાટ્યકાર. પિતા ઉગ્ર સ્વભાવના અને સરમુખત્યારવાદી હતા. કૌટુંબિક સંબંધોની તંગદિલીની તેમના યુવાન માનસ પર ઘેરી અસર પડી હતી. તેમનાં ઘણાં નાટકોમાં કુટુંબજીવનની કૃત્રિમતાની માનસિક તથા નૈતિક અસરોની વાત આવ્યા કરે છે. શાળાનો અભ્યાસ…

વધુ વાંચો >

કાલ્પનિક માંદગી (hypochondriasis)

કાલ્પનિક માંદગી (hypochondriasis) : શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવી વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય જ બની ગયું હોય છે. શરીર કંઈક સહેજ બગડે કે તેમાં ગરબડ થાય તો…

વધુ વાંચો >

કાવાબાતા યાસુનારી

કાવાબાતા યાસુનારી (જ. 1899, ઓસીકા; અ. 1972, કામાકુરા) : નોબેલ પારિતોષિક-વિજેતા જપાની નવલકથાકાર અને સમીક્ષક. આ સમર્થ સર્જકે બાળવયે માતાપિતા ગુમાવ્યાં, પછી દાદાદાદી પાસે ઊછર્યા. વતનમાં પ્રાથમિક અને ટોકિયોમાં માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી 1925માં જપાની અને અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વાર્તાઓનું સર્જન આરંભ્યું અને પ્રસિદ્ધ…

વધુ વાંચો >

કાવાલિની, પિયેત્રો

કાવાલિની, પિયેત્રો (જ. આશરે 1250, રોમ, ઇટાલી; અ. આશરે 1330, ઇટાલી) : ભીંતચિત્રો ચીતરનાર અને મોઝેક તૈયાર કરનાર રોમન ચિત્રકાર. ગૉથિક યુગમાં બાયઝેન્ટાઇન કલાની અક્કડ લઢણોમાંથી મુક્ત થવાનો અને વાસ્તવ-આભાસી આકૃતિઓ ચીતરવાનો સંગીન પ્રયાસ કરનાર પ્રથમ કલાકાર. 1277થી 1290ના ગાળામાં તેમણે રોમ ખાતેના સાન્તા પાઓલો ફૂરી લે મુરા (Santa Paolo…

વધુ વાંચો >

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર. બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia…

વધુ વાંચો >

કાવાસાકી

કાવાસાકી : જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પૂર્વ કિનારાના મધ્ય ભાગમાં કાનાગાવા જિલ્લામાં, ટોકિયોની દક્ષિણે અને યોકોહામાની ઉત્તરે આવેલું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર. ભૌગોલિક સ્થાન : 35o 32′ ઉ. અ. અને 139o 43′ પૂ. રે.. તેની પૂર્વમાં ટોકિયોનો અખાત આવેલો છે. સ્થાપના 1150. મૂળ માછીઓનું ગામ. ટોકુગાવા વંશના શાસન (1608-1868) દરમિયાન…

વધુ વાંચો >

કાવેરી

કાવેરી : દક્ષિણ ભારતની નદી. તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની મોટી નદીઓમાં ગોદાવરી અને કૃષ્ણા પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ 764 કિમી. તથા તેનું જલસ્રાવ ક્ષેત્ર 72,500 ચોકિમી. છે. કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લાના બ્રહ્મગિરિ ડુંગરની 1,425 મી. ઊંચાઈ પર તેનું ઉદગમસ્થાન છે, જે અરબી સમુદ્રથી…

વધુ વાંચો >

કાવેરી નદી (ગુજરાત)

કાવેરી નદી (ગુજરાત) : ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલી બે નદીઓ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ધોલી ગામ પાસેથી નીકળી ઉછેટિયા પાસે નર્મદાને કાવેરી મળે છે. તે પશ્ચિમવાહિની છે અને તેના ઉપર ઉચેડિયા, નાના ઓજા, ગુમાનદેવ, કવલસાડી, ફૂલવાડી, મોતીપુરા, નિકોલી, રાજપોર, વાસણા, ભોજપોર, બોરીપીડા, કોટિયામલ, ઝરિયા, બાલેશ્વર અને મોટા અણધારા…

વધુ વાંચો >

કાવેરીપટનમ્

કાવેરીપટનમ્ : તામિલનાડુના તાંજાવુર જિલ્લામાં બંગાળની ખાડી ઉપર કાવેરી નદીની ઉત્તર શાખા પર આવેલું પ્રાચીન સમયનું બંદર અને ચૌલ વંશના શાસકોનું પાટનગર. ટોલેમીએ તેનો ખબેરીસ વિક્રયકેન્દ્ર (emporium) તરીકે ઉલ્લેખ કરેલો છે. ઈ. સ.ની શરૂઆતમાં તે ઘણું મોટું વેપારી કેન્દ્ર હતું. બંદર અને શહેર એમ તેના બે ભાગ હતા. વચ્ચેની ખુલ્લી…

વધુ વાંચો >

કાવ્યાદર્શ

Jan 28, 1992

કાવ્યાદર્શ (ઈ. 600 લગભગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો કવિ દંડીરચિત સુપ્રસિદ્ધ ગ્રંથ. દંડીના જીવન વિશેની કેટલીક માહિતી તેમની અન્ય કૃતિ ‘અવન્તિસુંદરીકથા’માં મળી આવે છે, તે પ્રમાણે દંડી દક્ષિણ ભારતના હતા. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી, ‘કાવ્યાલંકાર’ના રચયિતા ભામહ અને ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીના સ્થિતિકાલના પૌર્વાપર્ય વિશે વિદ્વાનોમાં ભારે મતભેદ છે. ‘કાવ્યાદર્શ’માં…

વધુ વાંચો >

કાવ્યાનુશાસન (બારમી સદી)

Jan 28, 1992

કાવ્યાનુશાસન (બારમી સદી) : કાવ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ. કર્તા કલિકાલસર્વજ્ઞ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર (1088-1172). તેમના આવા જ બીજા જાણીતા શાસ્ત્રીય ગ્રંથો તે ‘શબ્દાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’. ‘કાવ્યાનુશાસન’ની રચના ‘શબ્દાનુશાસન’ પછી અને ‘છન્દોનુશાસન’ પહેલાં, પ્રાય: રાજા કુમારપાલના રાજ્યકાલમાં થઈ હતી. ‘કાવ્યાનુશાસન’માં કુલ આઠ અધ્યાય છે અને કુલ 208 સૂત્રો છે. તેમાં…

વધુ વાંચો >

કાવ્યાર્થચિંતન (1982)

Jan 28, 1992

કાવ્યાર્થચિંતન (1982) : શિવરુદ્રપ્પારચિત કાવ્યશાસ્ત્ર-વિષયક કન્નડ ગ્રંથ. તેમાં ભારતીય તેમજ પશ્ચિમના દેશોના કાવ્યતત્વ વિશેના સિદ્ધાંતો અને મંતવ્યોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરેલું છે. પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિદોના સિદ્ધાંતોના સામ્યભેદ તેમણે દર્શાવ્યા છે. વળી એ સિદ્ધાંતોનાં મૂળની પણ એમાં તપાસણી કરવામાં આવી છે. એની એક વિશેષતા એ છે કે પોતાના વક્તવ્યના સમર્થનમાં લેખકે…

વધુ વાંચો >

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ)

Jan 28, 1992

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ) : અલંકારશાસ્ત્રનો ભામહરચિત સંસ્કૃત ગ્રંથ. ભામહથી પૂર્વે ભરતમુનિરચિત ‘ભરતનાટ્યશાસ્ત્ર’માં જોકે અલંકાર અંગેનું વિવેચન અલ્પ માત્રામાં થયેલું છે. ભરતે તો મુખ્યત્વે નાટ્યને લગતા વિષયોને જ પ્રાધાન્ય આપ્યું છે, તેથી અલંકારશાસ્ત્રના વિવેચ્ય વિષયોની વાસ્તવિક ચર્ચાનો આરંભ તો ભામહની આ કૃતિથી થયેલો ગણાય છે. કાશ્મીરનિવાસી ભામહના પિતા…

વધુ વાંચો >

કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી)

Jan 28, 1992

કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી) : આચાર્ય રુદ્રટપ્રણીત અલંકારશાસ્ત્રનો મહત્વનો સંસ્કૃત ગ્રંથ. તેમાં સોળ અધ્યાયો છે. મોટેભાગે આર્યા છંદમાં કાવ્ય અને કાવ્યશાસ્ત્રને લગતા વિવિધ વિષયોની હૃદયંગમ ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ અને કવિમહિમાનું વર્ણન છે; બીજામાં કાવ્યલક્ષણ, શબ્દભેદ, રીતિ, વક્રોક્તિ (શ્લેષ તથા કાકુ), અનુપ્રાસ, તેના ભેદ તથા…

વધુ વાંચો >

કાવ્યાલંકારસૂત્રવૃત્તિ

Jan 28, 1992

કાવ્યાલંકારસૂત્રવૃત્તિ (ઈ. 750-850 આશરે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વામને રચેલો ગ્રંથ. વામન અલંકારશાસ્ત્રમાં ‘રીતિ’ નામના સંપ્રદાયના પ્રવર્તક હતા. કાવ્યનો આત્મા રીતિ (વિશિષ્ટ પદોની રચના) છે તેમ વામને આ ગ્રંથમાં સ્થાપિત કર્યું છે. ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ ગ્રંથમાં સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણો એમ ત્રણ ભાગ છે. તેમાં સૂત્ર તથા વૃત્તિના લેખક તો વામન પોતે જ…

વધુ વાંચો >

કાશહૃદ

Jan 28, 1992

કાશહૃદ : દસક્રોઈ તાલુકાનું હાલનું કાસિંદ્રા. વલભીના મૈત્રક રાજા ધરસેન (ધ્રુવસેન 650-655) ત્રીજાનું કરજનું તામ્રપત્ર સાબરમતી નદીના પશ્ચિમ તટે આવેલા કાસિંદ્રામાંથી મળ્યું છે. તેમાં ખેટક આહારના કાશહૃદ પેટા વિભાગના એક અનભિજ્ઞાત ગામનો ઉલ્લેખ આવે છે. આ પરથી કાશહૃદ વિષય મોટો વહીવટી વિભાગ અને નાનો કાશહૃદ વિભાગ ખેટક આહાર(ખેડા પેટાજિલ્લો)નો પંથક…

વધુ વાંચો >

કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી)

Jan 28, 1992

કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી) : પાણિનિના સૂત્રગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ પર વૃત્તિ (વિવરણ) રૂપે રચાયેલો સંસ્કૃત ગ્રંથ. તેના રચયિતાઓ જયાદિત્ય અને વામન છે. અષ્ટાધ્યાયીના પહેલા, બીજા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયો પરની વૃત્તિ જયાદિત્યની છે અને ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા અધ્યાયો પરની વૃત્તિ વામનની હોવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથની રચના કાશીમાં થઈ…

વધુ વાંચો >

કાશીદ

Jan 28, 1992

કાશીદ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia siamea Lam. (મ. કાસ્સોદ; ત. મંજે-કોન્ને; ગુ. કાશીદ; તે. – ક. સિમાતંગેડુ) છે. ગુજરાતમાં કેસિયાની 20 જેટલી જાતિઓ થાય છે. તેમાં ચીમેડ, કાસુંદરો, પુંવાડિયો, મીંઢીઆવળ, આવળ, ગરમાળો, સોનામુખી વગેરેનો સમાવેશ થાય છે. કાશીદ મોટા સદાહરિત વૃક્ષ-સ્વરૂપે જોવા…

વધુ વાંચો >

કાશીનો દીકરો

Jan 28, 1992

કાશીનો દીકરો (રજૂઆત – 1979) : સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલનિર્મિત ગુજરાતી રંગીન ચલચિત્ર. વિનોદિની નીલકંઠની નવલિકાને આધારે તૈયાર થયેલા આ બોલપટમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. કથામાં આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ…

વધુ વાંચો >