૪.૨૮

કાલ્ડોર, નિકોલસથી કાશ્મીરી ભાષા અને સાહિત્ય

કાવ્ય (સંસ્કૃત)

કાવ્ય (સંસ્કૃત) : કવિનું કર્મ, કવિના રચનાવ્યાપાર ફલિત રૂપનું તે કાવ્ય. કાવ્યશાસ્ત્રીઓએ ‘કાવ્ય’ને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : 1. કવિવ્યાપારની ર્દષ્ટિએ અને 2. લક્ષણનિર્દેશની ર્દષ્ટિએ. રાજશેખર, વિદ્યાધર, અભિનવગુપ્ત, મમ્મટ આદિ આલંકારિકો સ્પષ્ટપણે ‘કવિનો રચનાવ્યાપાર તે કાવ્ય’ એમ કહે છે. રાજશેખર કહે છે, ‘કવિ શબ્દ कवृ ધાતુમાંથી નિષ્પન્ન થયો…

વધુ વાંચો >

કાવ્યન્યાય

કાવ્યન્યાય (poetic justice) : સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત. તેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો અંગ્રેજ વિવેચક ટોમસ રાઇમરે. તેમનાં ‘ટ્રેજેડિઝ ઑવ્ ધ લાસ્ટ એજ કન્સિડર્ડ’(1678)માં કૃતિના અંતે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોના વિનાશની કલ્પના દર્શાવવા માટે અથવા તો વિવિધ પાત્રોના સુકૃત્ય કે દુષ્કૃત્યનો બદલો આપવાનું…

વધુ વાંચો >

કાવ્યપાક

કાવ્યપાક : ભારતીય કાવ્યશાસ્ત્ર અનુસાર કવિએ પ્રયોજેલા શબ્દોને સ્થાને પર્યાયો મૂકતાં કાવ્યનું સૌંદર્ય જળવાય નહિ એવું રચનાકૌશલ. કવિએ પોતાની કાવ્યરચનામાં કરેલા એવા શબ્દોનો પ્રયોગ જેમને સ્થાને તેમના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનું મૂળ સૌન્દર્ય ખંડિત થાય એવી રચનામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર ‘કાવ્યપાક’ સિદ્ધ થયો કહેવાય. પોતાનો ઇષ્ટાર્થ વ્યક્ત કરવા સારુ કવિ…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશ

કાવ્યપ્રકાશ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘વાગ્દેવતા’ના અવતારરૂપ ગણાતા કાશ્મીરી વિદ્વાન મમ્મટનો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. આ ગ્રંથમાં નાટ્ય સિવાયના કાવ્યને લગતા બધા જ વિષયોનું નિરૂપણ છે. કુલ દસ ઉલ્લાસ (પ્રકરણ) ધરાવતા આ ગ્રંથમાં પ્રથમ ઉલ્લાસમાં કાવ્ય-નિર્માણ, કાવ્ય-હેતુ, કાવ્ય-પ્રયોજન, કાવ્યનું લક્ષણ તથા તેના ભેદો, દ્વિતીય ઉલ્લાસમાં અભિધા, લક્ષણા અને…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશખંડન

કાવ્યપ્રકાશખંડન (1646) : આચાર્ય મમ્મટરચિત સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની સિદ્ધિચન્દ્રગણિકૃત આ ટીકામાં ‘કાવ્યપ્રકાશ’ જેવા કઠિન ગ્રંથના પોતાને અસ્વીકાર્ય એવા કેટલાક મુદ્દાઓનું ટીકાકારે ખંડન કર્યું છે. ટીકાનું કદ લઘુ છે. જોકે સિદ્ધિચન્દ્રે ‘કાવ્યપ્રકાશ’ પર બૃહદ્ ટીકા લખી હતી પરંતુ હાલ તે પ્રાપ્ત ન હોવાથી ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ એવું નામ પણ આપ્યું છે. પરંતુ…

વધુ વાંચો >

કાવ્યપ્રયોજન

કાવ્યપ્રયોજન : કાવ્ય દ્વારા સર્જક ભાવકને થતી ફલપ્રાપ્તિ. નાટ્યશાસ્ત્રના આદિ સર્જક ભરતમુનિએ કહ્યું છે કે વાચક-પ્રેક્ષકનો મનોવિનોદ એટલે કે આનંદ એ જ કાવ્યસર્જનનું પ્રયોજન છે. નાટ્યશાસ્ત્રના વિખ્યાત વિવેચક અભિનવગુપ્તે પ્રીતિ એ જ રસ છે અને તે જ કાવ્યનો આત્મા છે એમ કહીને પ્રીતિ, રસ તથા આનંદને સમાનાર્થી બનાવી દીધાં છે.…

વધુ વાંચો >

કાવ્યમંગલા

કાવ્યમંગલા (1933) : ગુજરાતી કવિ સુન્દરમ્(1908-1991)નો પ્રથમ કાવ્યસંગ્રહ. 1938, 1953, 1958, 1961, 1962, 1964, 1974, 1977 અને 1980માં એની આવૃત્તિઓ થઈ. 2002માં તેનું પુનર્મુદ્રણ થયું છે. ગાંધીયુગની કવિતાના પ્રારંભિક ઘડતરમાં સુન્દરમ્-ઉમાશંકરનો ફાળો મુખ્ય છે. ગાંધીજીના પ્રભાવથી દીન-પીડિત જનસમુદાય પ્રત્યેની સહાનુભૂતિનો ભાવ ‘કાવ્યમંગલા’માં વ્યક્ત થયેલ છે. સુન્દરમ્ એ ભાવોને રસાત્મક રૂપ…

વધુ વાંચો >

કાવ્યમીમાંસા

કાવ્યમીમાંસા (ઈ. દશમી શતાબ્દી) : સંસ્કૃત અલંકાર-સંપ્રદાયમાં કવિઓ માટે વ્યાવહારિક માર્ગદર્શન આપનાર કવિશિક્ષા-વિષયક જાણીતો ગ્રંથ. એના લેખક રાજશેખર (ઉપનામ યાયાવરીય) મહારાષ્ટ્રીય વિદ્વાન હતા. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ ગ્રંથ 18 અધિકરણો કે ભાગોમાં લખ્યો હતો, પરંતુ તેમાંથી ‘કવિરહસ્ય’ નામનું પ્રથમ અધિકરણ જ ઉપલબ્ધ છે. તેમાં કુલ 18 અધ્યાયો છે. એમાં કાવ્યશાસ્ત્રના ઉદભવનું વર્ણન,…

વધુ વાંચો >

કાવ્યસાહિત્ય (પ્રાકૃત)

કાવ્યસાહિત્ય (પ્રાકૃત) : ઈ. સ.ની પહેલી સદીથી અઢારમી સદી સુધીમાં વિકાસ પામેલું પ્રાકૃત કાવ્યસાહિત્ય. સંસ્કૃત મહાકાવ્યોની શૈલીના પ્રભાવ નીચે વિકસેલા આ સાહિત્યમાં શૃંગારરસને અને છન્દોબદ્ધ પદ્ય તેમજ મુક્તક કાવ્યસ્વરૂપને ઉચિત સ્થાન મળ્યું છે. એમાં ક્વચિત્ ગેયતત્વનો પણ સમાવેશ થયો છે. આ સાહિત્યની નોંધપાત્ર રચનાઓ નીચે મુજબ છે : (1) ‘ગાહાસત્તસઈ’…

વધુ વાંચો >

કાવ્યહેતુ

કાવ્યહેતુ : કાવ્યસર્જનના ઉદભવનું કારણ. કવિ થવા માટે યોગ્યતાનો નિશ્ચય કરી સંસ્કૃતના કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યહેતુ બતાવ્યો છે. આ હેતુ તેમના મત અનુસાર પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણ પાયા પર આધારિત છે. મમ્મટાચાર્યે આ ત્રણેને સ્વતંત્ર હેતુઓ ન ગણતાં ત્રણેયના સમન્વયને એક હેતુ કહ્યો છે. પ્રતિભા પૂર્વજન્મના સંસ્કારોથી આ જન્મમાં મળેલી…

વધુ વાંચો >

કાલ્ડોર, નિકોલસ

Jan 28, 1992

કાલ્ડોર, નિકોલસ (જ. 1908, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1986, લંડન) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી અર્થશાસ્ત્રી તથા કરવેરાના નિષ્ણાત. તેમણે 1930માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ સંસ્થામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1930-47ના ગાળા દરમિયાન તે જ સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. દરમિયાન 1943-45ના બે વર્ષના ગાળામાં નૅશનલ…

વધુ વાંચો >

કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો

Jan 28, 1992

કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો (જ. 17 જાન્યુઆરી 1600, માડ્રિડ; અ. 25 મે 1681, માડ્રિડ) : સ્પેનના મહાન નાટ્યકાર. પિતા ઉગ્ર સ્વભાવના અને સરમુખત્યારવાદી હતા. કૌટુંબિક સંબંધોની તંગદિલીની તેમના યુવાન માનસ પર ઘેરી અસર પડી હતી. તેમનાં ઘણાં નાટકોમાં કુટુંબજીવનની કૃત્રિમતાની માનસિક તથા નૈતિક અસરોની વાત આવ્યા કરે છે. શાળાનો અભ્યાસ…

વધુ વાંચો >

કાલ્પનિક માંદગી (hypochondriasis)

Jan 28, 1992

કાલ્પનિક માંદગી (hypochondriasis) : શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવી વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય જ બની ગયું હોય છે. શરીર કંઈક સહેજ બગડે કે તેમાં ગરબડ થાય તો…

વધુ વાંચો >

કાવાબાતા યાસુનારી

Jan 28, 1992

કાવાબાતા યાસુનારી (જ. 1899, ઓસીકા; અ. 1972, કામાકુરા) : નોબેલ પારિતોષિક-વિજેતા જપાની નવલકથાકાર અને સમીક્ષક. આ સમર્થ સર્જકે બાળવયે માતાપિતા ગુમાવ્યાં, પછી દાદાદાદી પાસે ઊછર્યા. વતનમાં પ્રાથમિક અને ટોકિયોમાં માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી 1925માં જપાની અને અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વાર્તાઓનું સર્જન આરંભ્યું અને પ્રસિદ્ધ…

વધુ વાંચો >

કાવાલિની, પિયેત્રો

Jan 28, 1992

કાવાલિની, પિયેત્રો (જ. આશરે 1250, રોમ, ઇટાલી; અ. આશરે 1330, ઇટાલી) : ભીંતચિત્રો ચીતરનાર અને મોઝેક તૈયાર કરનાર રોમન ચિત્રકાર. ગૉથિક યુગમાં બાયઝેન્ટાઇન કલાની અક્કડ લઢણોમાંથી મુક્ત થવાનો અને વાસ્તવ-આભાસી આકૃતિઓ ચીતરવાનો સંગીન પ્રયાસ કરનાર પ્રથમ કલાકાર. 1277થી 1290ના ગાળામાં તેમણે રોમ ખાતેના સાન્તા પાઓલો ફૂરી લે મુરા (Santa Paolo…

વધુ વાંચો >

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા

Jan 28, 1992

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર. બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia…

વધુ વાંચો >

કાવાસાકી

Jan 28, 1992

કાવાસાકી : જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પૂર્વ કિનારાના મધ્ય ભાગમાં કાનાગાવા જિલ્લામાં, ટોકિયોની દક્ષિણે અને યોકોહામાની ઉત્તરે આવેલું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર. ભૌગોલિક સ્થાન : 35o 32′ ઉ. અ. અને 139o 43′ પૂ. રે.. તેની પૂર્વમાં ટોકિયોનો અખાત આવેલો છે. સ્થાપના 1150. મૂળ માછીઓનું ગામ. ટોકુગાવા વંશના શાસન (1608-1868) દરમિયાન…

વધુ વાંચો >

કાવેરી

Jan 28, 1992

કાવેરી : દક્ષિણ ભારતની નદી. તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની મોટી નદીઓમાં ગોદાવરી અને કૃષ્ણા પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ 764 કિમી. તથા તેનું જલસ્રાવ ક્ષેત્ર 72,500 ચોકિમી. છે. કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લાના બ્રહ્મગિરિ ડુંગરની 1,425 મી. ઊંચાઈ પર તેનું ઉદગમસ્થાન છે, જે અરબી સમુદ્રથી…

વધુ વાંચો >

કાવેરી નદી (ગુજરાત)

Jan 28, 1992

કાવેરી નદી (ગુજરાત) : ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલી બે નદીઓ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ધોલી ગામ પાસેથી નીકળી ઉછેટિયા પાસે નર્મદાને કાવેરી મળે છે. તે પશ્ચિમવાહિની છે અને તેના ઉપર ઉચેડિયા, નાના ઓજા, ગુમાનદેવ, કવલસાડી, ફૂલવાડી, મોતીપુરા, નિકોલી, રાજપોર, વાસણા, ભોજપોર, બોરીપીડા, કોટિયામલ, ઝરિયા, બાલેશ્વર અને મોટા અણધારા…

વધુ વાંચો >

કાવેરીપટનમ્

Jan 28, 1992

કાવેરીપટનમ્ : તામિલનાડુના તાંજાવુર જિલ્લામાં બંગાળની ખાડી ઉપર કાવેરી નદીની ઉત્તર શાખા પર આવેલું પ્રાચીન સમયનું બંદર અને ચૌલ વંશના શાસકોનું પાટનગર. ટોલેમીએ તેનો ખબેરીસ વિક્રયકેન્દ્ર (emporium) તરીકે ઉલ્લેખ કરેલો છે. ઈ. સ.ની શરૂઆતમાં તે ઘણું મોટું વેપારી કેન્દ્ર હતું. બંદર અને શહેર એમ તેના બે ભાગ હતા. વચ્ચેની ખુલ્લી…

વધુ વાંચો >