ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇસ્લામી તત્વચિંતન

ઇસ્લામી તત્વચિંતન : ઇસ્લામી તત્વચિંતનનાં બે મુખ્ય સ્વરૂપ છે : (1) કુરાન અને હદીસ ઉપર આધારિત શુદ્ધ ઇસ્લામી તત્વચિંતન, જેમાં પાછળથી બુદ્ધિવાદી મોતઝિલા વિચારધારા અને અધ્યાત્મવાદી સૂફી વિચારધારાઓનો ઉદભવ તથા પરસ્પર સમન્વય થયો હતો. (2) ગ્રીક તત્વચિંતનથી પ્રભાવિત મુસ્લિમ તત્વજ્ઞાનીઓની વિચારધારા, જે વડે ઇસ્લામી તત્વચિંતનનું બૌદ્ધિક પૃથક્કરણ કરવાના પ્રયત્નો થયા…

વધુ વાંચો >

ઇસ્લામી તિથિપત્ર

ઇસ્લામી તિથિપત્ર : ઇસ્લામનું ચાન્દ્રમાસી પંચાંગ. એના રચનાકાળથી આજ સુધી ઇસ્લામી પંચાંગ બાર ચાંદ્રમાસના વર્ષવાળું પંચાંગ રહ્યું છે. ઇસ્લામી પંચાંગનું વર્ષ હિજરી સાલ કહેવાય છે. હિજરી માસની શરૂઆત અમાસ પછીના પ્રત્યક્ષ ચંદ્રદર્શનના દિવસથી થાય છે અને એ કારણે માસનો આરંભ કઈ તારીખે (યા દિવસે) થશે એ અગાઉથી નિશ્ચિત કરી શકાતું…

વધુ વાંચો >

ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી)

ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી) (જ. 950 આસપાસ) : અરબી ભૂગોળવેત્તા. આખું નામ અબૂ ઇસ્હાક ઇસ્તખૂરી. ઇસ્તખૂરના વતની. તેમણે ભૂગોળનો ગ્રંથ ‘મસાલિકુલ-મમાલિક’ રચ્યો હતો. એમાં દરેક દેશનો રંગીન નકશો હતો. અલ્મસ્ઊદી પછી અલ્-ઇસ્તખૂરી બીજા ભૂગોળવેત્તા છે, જેમણે સિસ્તાને પ્રાંતમાં પવનચક્કીનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. અલ્-ઇસ્તખૂરીના સૂચનથી ભૂગોળવેત્તા ઇબ્નહૉકલે ઘણી લાંબી મુસાફરીઓ કરીને…

વધુ વાંચો >

ઇળંગોવડિગળ

ઇળંગોવડિગળ (ઈ. સ.ની બીજી શતાબ્દી) : પ્રાચીન તમિળ કવિ. તે ચેર સમ્રાટ શેંગુટ્ટુવનના નાના ભાઈ હતા, પણ મોટા ભાઈ વૈષ્ણવ અને પોતે જૈન હતા. તેમs છતાં તેમણે અન્ય ધર્મનાં દેવ-દેવીઓનું ભાવપૂર્વક મહિમાગાન કર્યું છે. એમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘શિલ્પદ્દીકારમ્’. તમિળનું એ પ્રથમ મહાકાવ્ય ત્રણ કાંડોમાં વહેંચાયેલું છે : ‘પુહારવકાંડમ્’,…

વધુ વાંચો >

ઇંગળે કેશવબુવા

ઇંગળે કેશવબુવા (જ. 7 એપ્રિલ 1909, ફલટણ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. તેઓ ઇચલકરંજી સંસ્થાનના દરબારી ગાયક હતા. તેમણે 1926થી 1931 સુધી સંગીતની કઠિન સાધના કરી હતી. સંગીત વિષય ઉપર અનેક લેખ પણ લખ્યા છે. પ્રથમ લેખ 1933માં ‘ભારતીય સંગીત’ માસિકમાં છપાયેલો હતો. ઉપરાંત ‘સ્વ. બાલકૃષ્ણબુવા ઇચલકરંજીકરની જીવની’…

વધુ વાંચો >

ઇંગોરિયો

ઇંગોરિયો : દ્વિદળી વર્ગમાં આવેલા બેલેનાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Balanites roxburghii Planch. syn. B. aegyptica (Linn.) Delile var. roxburghii Duthie (સં. ઇંગુદી; અંગવૃક્ષ; મ. હીંગણી, હિંગણ બેટ; હિં. હિંગોટ, ગૌદી; ક. ઇંગળગિડ, ઇંગળા, હિંગુલ; બં. ઇંગોટ; તે. ગરા; અં. ડેઝર્ટ ડેટ) છે. અરડૂસો (Ailanthus excelsa Roxb.) તેનો…

વધુ વાંચો >

ઇંગ્લિશ ખાડી

ઇંગ્લિશ ખાડી : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસની ભૂમિ વચ્ચે ઍટલાંટિક અને ઉત્તર સમુદ્રને જોડતી ખાડી. ભૌગોલિક સ્થાન : તે આશરે 48o 24´થી 50o 50´ ઉ. અ. અને 2o 00´ પૂ. રે.થી 5o 00´ પ. રે. વચ્ચેનો આશરે 89,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 563 કિમી. જેટલી, ઇંગ્લૅન્ડના પશ્ચિમ…

વધુ વાંચો >

ઇંગ્લિશ બૉન્ડ

ઇંગ્લિશ બૉન્ડ : ઈંટના બાંધકામમાં દીવાલની રચનાની એક પદ્ધતિ. તેમાં દીવાલના થરોમાં એક ઉપર એક એમ ઈંટની પાટી(stretch)ની અને તોડા(header)ની ગોઠવણી કરવામાં આવે છે, જેથી બાજુમાંથી જોતાં ઉપર પ્રમાણેની રચના દેખાય. આ જાતની ગોઠવણીમાં ઈંટો ગોઠવવાની સુવિધા હોય છે. પરંતુ દરેક થરમાં સાંધાઓનું પ્રમાણ અલગ હોય છે. ફક્ત તોડાવાળા થરમાં…

વધુ વાંચો >

ઇંગ્લૅન્ડ

ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…

વધુ વાંચો >

ઇંચ

ઇંચ : બ્રિટિશ માપપદ્ધતિના લંબાઈના મૂળભૂત એકમ ફૂટનો બારમો (1/12) ભાગ અથવા વાર(yard)નો છત્રીસમો (1/36) ભાગ. લંડનની ‘સ્ટાન્ડડર્ઝ ઑફિસ ઑવ્ ધ બૉર્ડ ઑવ્ ટ્રેડ’માં 62oF તાપમાને રાખેલા પ્લેટિનમ-ઇરિડિયમ સળિયા પરના બે સમાંતર સોનાના ડટ્ટા (plugs) વચ્ચેના અંતરના ત્રીજા ભાગને પ્રમાણભૂત ફૂટ કહે છે. ઇંચનું લૅટિન નામ uncia છે. તેની વ્યુત્પત્તિ…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >