ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઈ. કોલિ (Escherichea coli)

ઈ. કોલિ (Escherichea coli) : ઑક્સિજનની ગેરહાજરીમાં અવાયુજીવન પસાર કરનાર ગ્રામ-ઋણી (gramnegative) ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળના દંડાકાર બૅક્ટેરિયાની એક જાત. સૂક્ષ્મજીવવિજ્ઞાની ઇશેરિકે આ સૂક્ષ્મજંતુઓને સૌપ્રથમ ઈ. સ. 1885માં બાળકોના મળમાં જોયા. તંદુરસ્ત મનુષ્યનાં આંતરડાંમાં તે હજારોની સંખ્યામાં જોવા મળે છે. સામાન્યપણે તે અરોગકારક (non-pathogenic) હોય છે. અજારક શ્વસનથી તે ગ્લુકોઝ જેવાં કાર્બોદિતોનું…

વધુ વાંચો >

ઈક્લિસ, જ્હૉન (સર)

ઈક્લિસ, જ્હૉન (સર) (જ. 27 જાન્યુઆરી 1903, મેલબૉર્ન; અ. 2 મે 1997) : ઑસ્ટ્રેલિયાના શરીરક્રિયાવિદ સંશોધક (રિસર્ચ ફિઝિયૉલૉજિસ્ટ). ફિઝિયૉલૉજી-મેડિસીન શાખાના નોબેલ પારિતોષિક(1963)ના વિજેતા. એલન હોજિકન અને ઍન્ડ્ર્યૂ હકલે તેમના સહવિજેતાઓ હતા. તેમનો વિષય હતો ચેતાકોષોના આવેગોનું સંચરણ (communication) અને નિગ્રહણ (repression) કરતા રાસાયણિક દ્રવ્યનું સંશોધન. તેમણે ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબેરામાં…

વધુ વાંચો >

ઈક્લોગાઇટ

ઈક્લોગાઇટ (Eclogite) : આલ્મેન્ડાઇન પાયરોપ પ્રકારના ગાર્નેટ અને ઘાસ જેવા તેજસ્વી લીલા ઑમ્ફેસાઇટ પ્રકારના પાયરૉક્સિન ખનિજ-ઘટકોના આવશ્યક બંધારણવાળો મોટા કણકદનો દાણાદાર વિકૃત ખડક. અનુષંગી ખનિજ-ઘટકો પૈકી ઍમ્ફિબોલ, સ્ફીન, ઝોઇસાઇટ, રુટાઇલ, એપેટાઇટ અને મૅગ્નેટાઇટનું ગૌણ પ્રમાણ હોઈ શકે છે. આ ઉપરાંત ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, બ્રૉન્ઝાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ અને ઑલિવિન પૈકીનાં કેટલાંક ખનિજો…

વધુ વાંચો >

ઈગલ

ઈગલ : જુઓ બીલી.

વધુ વાંચો >

ઈજાઓ અને દાહ

ઈજાઓ અને દાહ વાગવાથી અથવા અન્ય ભૌતિક કે રાસાયણિક પરિબળના સંપર્કમાં આવવાથી પેશીને થતી હાનિને ઈજા કહે છે અને અતિશય ગરમી કે આગથી પેશીને થતી હાનિને દાહ (દાઝવું) કહે છે. હૃદયવાહિનીના રોગો, કૅન્સર તથા ચેપજન્ય રોગોની માફક ઈજાઓ અને દાહ (દાઝવું) પીડાકારી અને ક્વચિત્ મૃત્યુ નિપજાવનારાં છે. તેમને કારણે વ્યક્તિ…

વધુ વાંચો >

ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા)

ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા) : ભારતમાં સૌથી જૂનું રમતનું મેદાન (1864) અને દેશનું સૌથી વધુ બેઠકોવાળું (અધિકૃત, 90,000) સ્ટેડિયમ. તે બે માળવાળું છે. 1950માં સ્ટેડિયમનો પાયો નંખાયો હતો. 1951માં યંત્રથી ચાલતું સ્કોરબોર્ડ, હવે વીજળીથી ચલાવાય છે. દોઢ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ તેની પાછળ થયેલું. મોટા સ્ટૅન્ડને ‘રણજી સ્ટૅન્ડ’ નામ આપ્યું…

વધુ વાંચો >

ઈડર

ઈડર : ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન શહેર. સમુદ્રની સપાટીથી 229 મી. ઊંચાઈએ આવેલું આ શહેર 23o 05´ ઉ. અ. અને 73 પૂ. રે. ઉપર છે. અહીંનું સર્વોચ્ચ શિખર 437 મી. ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદની ઉત્તરે 104 કિમી. અને હિંમતનગરની ઉત્તરે માત્ર 27 કિમી. દૂર છે. અમદાવાદ-ખેડબ્રહ્મા…

વધુ વાંચો >

ઈડર ગ્રૅનાઇટ

ઈડર ગ્રૅનાઇટ (Idar Granite) : ગુજરાત રાજ્યની ઈશાન સરહદે આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડરની આજુબાજુના કેટલાયે ચોરસ કિલોમીટરમાં પથરાયેલી ટેકરીઓ ‘ગ્રૅનાઇટ’ નામના અંત:કૃત પ્રકારના અગ્નિકૃત ખડકની બનેલી છે. ઈડરમાં અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં સર્વસામાન્યપણે આ જ પ્રકારનો ખડક મળી આવતો હોવાથી ‘ઈડર ગ્રૅનાઇટ’ એવું નામ તેને આપવામાં આવેલું છે. ઈડર…

વધુ વાંચો >

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ : પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ તેમજ એથી ઊલટા પ્રકારે પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષ્યાની ગ્રંથિ. આ…

વધુ વાંચો >

ઈડિપસ રેક્સ

ઈડિપસ રેક્સ (Oedipus Rex); બીજું જાણીતું લૅટિન નામ ઈડિપસ ટાયરેનસ  Tyrannus) : ગ્રીક ટ્રેજેડી. નાટ્યકાર સોફોક્લિસ(ઈ. સ. પૂ. 495-406)ની વિશ્વસાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવનાર આ કૃતિને ટ્રૅજેડીનું સર્વોત્તમ ઉદાહરણ ગણીને ઍરિસ્ટોટલે તેના વિખ્યાત ગ્રંથ ‘પોએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધી છે. પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન સોફોક્લિસે 100થી વધુ નાટકોની રચના કરી હતી. તેમાંથી…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >