ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇંધનકોષ

ઇંધનકોષ (fuel cell) : રૂઢિગત ઇંધનની રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં સતત રૂપાંતર કરવાની વીજરાસાયણિક (electro- chemical) પ્રયુક્તિ (device). ઇંધનકોષો એક પ્રકારના ગૅલ્વેનિક કોષો છે, જેમાં સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાની ઊર્જાનું ઉપયોગી એવી વિદ્યુતમાં રૂપાંતર થાય છે. આવા કોષો પ્રાથમિક વિદ્યુતકોષ અથવા બૅટરીથી એ અર્થમાં જુદા પડે છે કે બૅટરીમાં વીજધ્રુવો પોતે…

વધુ વાંચો >

ઇંધન-નિક્ષેપ

ઇંધન-નિક્ષેપ : આંતરદહન એન્જિન (Internal combustion engine)ના સિલિન્ડરમાં બાહ્ય પંપ (External pump) દ્વારા ઇંધન (Fuel) દાખલ કરવાની ખાસ પ્રક્રિયા. ડીઝલ એંજિનમાં સ્ફુલિંગ પ્લગ (Spark plug) હોતો નથી. સિલિંડરમાં દબાયેલી હવાથી ઉત્પન્ન થતી ગરમીની મદદથી ઇંધન પ્રજ્વળી ઊઠે છે. આ ઇંધનનો, સિલિંડરમાંની ગરમ હવામાં છંટકાવ કરવામાં આવે છે. સ્ફુલિંગ-દહન એંજિનમાં કેટલીક…

વધુ વાંચો >

ઇંધનો

ઇંધનો (Fuels) રાસાયણિક કે ન્યૂક્લિયર પ્રક્રિયાથી ઉષ્મા-ઊર્જા (heat energy) પેદા કરવા વપરાતાં દ્રવ્યો. જે દ્રવ્યો મધ્યમ તાપમાને પ્રજ્વલિત થાય, ઠીક ઠીક ઝડપથી બળે અને વાજબી કિંમતે મળી શકતાં હોય તેમને સામાન્ય રીતે ઇંધનો ગણવામાં આવે છે. નાભિકીય (nuclear, ન્યૂક્લીયર) ઇંધનોમાં દહન (combustion) જેવી કોઈ પ્રક્રિયા થતી ન હોઈ તેમને વિશિષ્ટ…

વધુ વાંચો >

ઈ.આર.ટી.એસ.

ઈ.આર.ટી.એસ. (E.R.T.S. – Earth Resource Techno-logical Satellite) : ભૂ-સંપત્તિ સર્વેક્ષણ માટેનો કૃત્રિમ ઉપગ્રહ. આ પ્રકારના ઉપગ્રહોમાં અમેરિકાના ‘લૅન્ડસેટ’ શ્રેણીના લૅન્ડસેટ-1 અને લૅન્ડસેટ-2 દ્વારા ઘણી અગત્યની માહિતી મળી શકી છે. લૅન્ડસેટ-1નું પ્રયાણ 23 જુલાઈ, 1972માં; લૅન્ડસેટ-2નું 1 ઑગસ્ટ, 1972માં. પૃથ્વીની સપાટીથી 920 કિમી. ઊંચાઈએ વર્તુલાકારી ધ્રુવીય અને સૌર-સમકાલિક (polar & sun…

વધુ વાંચો >

ઈઓસિનકોષિતા, ફેફસી

ઈઓસિનકોષિતા, ફેફસી : ઉષ્ણ કટિબંધમાં હાથીપગાના જંતુના ઍલર્જન સામેની અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રહ્યતા-(hypersensitivity)થી થતો ફેફસાંનો ઍલર્જિક વિકાર. તેને ઉષ્ણકટિબંધીય ઈઓસિનકોષિતા (tropical eosinophilia) પણ કહે છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન તે એક સ્વતંત્ર વિકાર તરીકે સ્વીકારાયો છે. પરોપજીવી જંતુના વિષમોર્જન (allergen) સામેનો પ્રતિભાવ સમગ્ર શરીરને તથા ખાસ કરીને ફેફસાંને અસર કરે છે.…

વધુ વાંચો >

ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ

ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ (eosinophilic syndrome) : લોહીમાંના ઈઓસિનરાગી શ્વેતકોષો(ઈઓસિનકોષો)ની અધિકતા દર્શાવતા વિકારો. વિષમોર્જા (allergy) તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ(immune response)ના સમયે પેશીમાં તથા ઘણી વખત લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ વધે છે. લોહીમાં સામાન્યત: તેમની સંખ્યા 100-700/ડેસી લિ. અથવા કુલ શ્વેતકોષોના 3 %થી 8 % જેટલી હોય છે. જો આ સંખ્યા વધીને 2,000/ડેસી. લિ.…

વધુ વાંચો >

ઈકાઇનોપ્સ

ઈકાઇનોપ્સ : જુઓ ઉત્કંટો

વધુ વાંચો >

ઈકો ઉપગ્રહ

ઈકો ઉપગ્રહ : જુઓ એકો ઉપગ્રહ.

વધુ વાંચો >

ઈકોક્લાઇન

ઈકોક્લાઇન (ecocline – પારિસ્થિતિક ઢાળ) : સજીવો અને પર્યાવરણના એકમેક સાથે તાલબદ્ધ રીતે સંકળાયેલ ફેરફારોનો ક્રમબદ્ધ સંક્રમણ-ઢાળ (gradient). ઈકોક્લાઇન સજીવોની અનુકૂલનશીલતા(adaptability)નો નિર્દેશ કરે છે. પર્યાવરણ ભૌગોલિક રીતે સતત પરિવર્તન પામે છે. કોઈ એક વિસ્તારનું પર્યાવરણ ક્રમશ: બદલાતાં તેની પાડોશમાં આવેલા અન્ય વિસ્તારના પર્યાવરણમાં ફેરફાર થાય છે; દાખલા તરીકે, જમીનનો બદલાતો…

વધુ વાંચો >

ઈકોટાઇપ

ઈકોટાઇપ (પારિસ્થિતિક પ્રરૂપ) : વિશાળ ભૌગોલિક વિસ્તારમાં થતી જાતિઓની સ્થાનત: અનુકૂલિત (locally adapted) વસ્તી. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓ સાથે સમાયોજિત (adjusted) સહિષ્ણુતાઓની મર્યાદાઓ (limits of tolerances) ધરાવે છે. તાપમાન, પ્રકાશ અથવા અન્ય પરિબળોની પ્રવણતાઓ (gradients) સાથેનું પ્રતિપૂરણ (compensation) જનીનીય ઉપજાતિઓ(subspecies)ને, બાહ્યાકારકીય અભિવ્યક્તિ સાથે કે સિવાય, સાંકળે છે અથવા માત્ર દેહધર્મવિદ્યાકીય પર્યનુકૂલન…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >