ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇસિભાસિયાઇં

ઇસિભાસિયાઇં (ઋષિભાષિતાનિ) : જૈન ધર્મનો એક પ્રાચીન વિશિષ્ટ આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના 45 આગમ ગ્રંથોમાં આનો સમાવેશ નથી થતો, પરંતુ જૈન ધર્મમાં દીક્ષિત ન થયા હોય અને છતાં જે કેવળજ્ઞાની ગણાતા હોય તેવા જૈનેતર ઋષિ કે મુનિને જૈન ધર્મમાં ‘પ્રત્યેકબુદ્ધ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેકબુદ્ધ ઋષિ દ્વારા ભાષિત ઉપદેશ…

વધુ વાંચો >

ઇસિસ

ઇસિસ : પ્રાચીન ઇજિપ્તની એક મહત્વની દેવી, પ્રાચીન ચિત્રલિપિમાં જેનો અર્થ ‘સિંહાસન’ થાય છે. તેના ગ્રીક રૂપના આધારે તેનું નામ પડ્યું હોય તેવો સંભવ છે. પિરામિડના (Pyramid Texts) અભિલેખોમાં તેનો ઉલ્લેખ ‘મુખ્ય શોક પાળનાર’ તરીકે કરવામાં આવ્યો છે. ઓસિરિસ નામના દેવતાની તે પત્ની તથા હોરસ નામના પુત્રની તે માતા છે.…

વધુ વાંચો >

ઇસીકાવા, તાકુબોકુ

ઇસીકાવા, તાકુબોકુ (જ. 28 ઑક્ટોબર 1886, હિનોટો, જાપાન; અ. 13 એપ્રિલ 1912, ટોકિયો) : ટૂંકા કાવ્યપ્રકારના અગ્રણી જાપાની કવિ. ‘ઇસીકાવા તાકુબોકુ’ ઇસીકાવા હજિમેનું તખલ્લુસ છે. તાકુબોકુનું શિક્ષણ અપૂર્ણ હતું, છતાં તેમણે વાચન દ્વારા જાપાની અને પશ્ચિમના સાહિત્યનું સારું એવું અધ્યયન કર્યું હતું. 1905માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકોગરે’ પ્રગટ થયો. 1908માં…

વધુ વાંચો >

ઇસ્તંબુલ

ઇસ્તંબુલ : તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર. સ્થાપના ઈ. સ. પૂ. આશરે 660. તે 1930 સુધી કૉન્સ્ટૅન્ટિનોપલ નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન. : 41o 01´ ઉ. અ. અને 28o 58´ પૂ. રે.. તે બાઇઝેન્ટાઇન તથા ઑટોમન સામ્રાજ્યોનું અને તે પછી તુર્કસ્તાન પ્રજાસત્તાકનું…

વધુ વાંચો >

ઇસ્ફહાનનો રાજમહેલ-અલી કાપુ

ઇસ્ફહાનનો  રાજમહેલ – અલી કાપુ (સફવીદ કાલ સત્તરમી સદી પૂર્વાર્ધ) : ટીમુરિદ સમયની પહેલાંનાં મકાનોના પાયા પરથી ફરીથી બંધાયેલો રાજમહેલ. ઈરાનમાં સફવીદ સમય દરમિયાન રાજમહેલોનું આયોજન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે એક વિશાળ બગીચાના રૂપમાં વિવિધ ઉપયોગ માટે રચાયેલાં અને ઘણુંખરું ઋતુ પ્રમાણે વપરાતાં મકાનોના સમૂહ તરીકે થતું. અલી કાપુ રાજમહેલ વિશાળ…

વધુ વાંચો >

ઇસ્ફહાની, અબુલ ફરજ

ઇસ્ફહાની, અબુલ ફરજ (જ. 897, સીરિયાનું હબલ શહેર; અ. 967) : મહાન અરબી ઇતિહાસકાર. તે છેલ્લા ખલીફા મરવાનનો વંશજ હતો. તેનો ગીતસંગ્રહ ‘કિતાબુલ અગાની’ હોલૅન્ડથી 21 ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. ઇસ્લામી સંસ્કૃતિના અભ્યાસ માટે તે ગ્રંથ એક મહત્વનું સાધન ગણાય છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન તે ગ્રંથને ‘આરબોનું રજિસ્ટર’ કહે…

વધુ વાંચો >

ઇસ્માઇલી સંપ્રદાય

ઇસ્માઇલી સંપ્રદાય : ઇસ્લામ ધર્મનો શિયાપંથી સંપ્રદાય. ઇસ્લામ ધર્મના બે વિભાગો સુન્ની અને શિયા. ઇસ્માઇલી સંપ્રદાયની ઉત્પત્તિ 1400 વર્ષ પૂર્વે હિજરી સન 11(ઈ. સ. 632)માં હજરતઅલી(અલયહીસલામ)ની ઇમામ તરીકે તખ્તનશીનીથી થઈ. તેનો કાળક્રમે વિકાસ ચાર વિભાગોમાં થયો : (1) અરબસ્તાન અને ઇમામત. ઇસ્માઇલી કોમના પહેલા ઇમામ હ.અલી(અ.)થી 10મા ઇમામ હ. રઝી…

વધુ વાંચો >

ઇસ્લામ

ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો…

વધુ વાંચો >

ઇસ્લામાબાદ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન. : 33o 42´ ઉ. અ., 73o 10´ પૂ. રે.. 1974માં પાકિસ્તાનની સ્થાપના સાથે કરાંચી પાટનગર બન્યું. પછી કામચલાઉ ધોરણે પાટનગરને રાવલપિંડી ખાતે ખસેડવામાં આવ્યું (1959-67). કાયમી પાટનગર તરીકે રાવલપિંડીથી 14 કિમી. દૂર આવેલ સ્થળની પસંદગી 1959માં થઈ. 1961માં તેનું બાંધકામ શરૂ થયું. ‘ઇસ્લામાબાદ’ (‘શાંતિનું…

વધુ વાંચો >

ઇસ્લામી કલા

ઇસ્લામી કલા : ઇસ્લામી પરંપરાની કળા. ઇસ્લામી ર્દશ્યકલાઓ અગાઉની કલાપરંપરા અને નવા ધર્મના સંગમનું ફળ છે. કલા પર ધર્મનો પ્રભાવ જોતાં પ્રથમ બાબત ‘મસ્જિદ’ આવે છે. ઇસ્લામ ધર્મની સ્થાપના અગાઉ પણ અરબી શબ્દ ‘મસ્જિદ’ વપરાતો અને તેનો અર્થ ‘પરમાત્મા સમક્ષ દંડવત્ પ્રણામ કરવાનું સ્થળ’ થાય છે. બંદગી માટે કેવળ જેરૂસલેમ…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >