ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇવાકુરા, ટોમોમી

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના નામથી ઓળખાતા…

વધુ વાંચો >

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ (જ. 20 ફેબ્રુઆરી 1894, કાલ્નિક; અ. 2 માર્ચ 1980, સ્ટાવિસ્કો) : પોલૅન્ડના પ્રતિભાવંત બહુમુખી સાહિત્યકાર. 1912માં કીવ વિશ્વ-વિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. સાથોસાથ સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918થી તેમણે પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં વસવાટ સ્વીકાર્યો. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષો…

વધુ વાંચો >

ઇવાન ધ ટેરિબલ

ઇવાન ધ ટેરિબલ (1944-1946) : વિશ્વ સિનેમાના ઇતિહાસમાં પ્રશિષ્ટ (classical) કલાકૃતિ તરીકે સ્થાન પામેલ રશિયન સિનેદિગ્દર્શક સેરેજી આઇઝેન્સ્ટાઇનની બે ભાગમાં વહેંચણી પામેલી એક દીર્ઘ સિનેકૃતિ. નિર્માતા : યુ. એસ. એસ. આર., ભાષા : રશિયન. ભાગ પ્રથમ-1944, ભાગ બીજો-1946. પ્રત્યેક ભાગની અવધિ 1½ કલાક. પટકથાલેખન અને દિગ્દર્શન એસ. એમ. આઇઝેન્સ્ટાઇન. નિર્માણ :…

વધુ વાંચો >

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ (જ. 24 ફેબ્રુઆરી 1895; અ. 15 ઑગસ્ટ 1963, મૉસ્કો) : રશિયન નવલકથાકાર અને નાટ્યકાર. કિશોરાવસ્થામાં ગૃહત્યાગ કરી અનેક પ્રકારની મજૂરી કરીને પેટ ભર્યું. સરકસમાં વિદૂષકની પણ ભૂમિકા કરી. સાઇબિરિયાના એક અખબારમાં એની પ્રથમ વાર્તા છપાતાં મૅક્સિમ ગૉર્કીનું ધ્યાન ખેંચાયું અને આ યુવાન લેખકને પ્રોત્સાહન મળ્યું. આંતરિક યુદ્ધ…

વધુ વાંચો >

ઇશરવૂડ, ક્રિસ્ટૉફર

ઇશરવૂડ, ક્રિસ્ટૉફર (વિલિયમ બ્રેડશો) (જ. 26 ઑગસ્ટ 1904, હાયલેન, એશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1986) : અમેરિકન નવલકથાકાર અને નાટ્યકાર. કારકિર્દીના પ્રારંભમાં અંગત ટ્યૂટર અને છૂટુંછવાયું લખતા પત્રકાર તરીકે કાર્ય કર્યું. સરેની શાળામાં કવિ તરીકે ખ્યાતિ પામનાર ડબ્લ્યૂ. એચ. ઑડેન સાથે ગાઢ મૈત્રી થઈ. વીસમી સદીના ચોથા દાયકાના જર્મનીના અનુભવો પરથી રચાયેલી…

વધુ વાંચો >

ઇશારા, બાબુરાવ

ઇશારા, બાબુરાવ (જ. ઉના, હિમાચલપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય સિનેદિગ્દર્શક. મૂળ નામ રોશનલાલ શર્મા. 1971-’72ના વર્ષમાં ‘ચેતના’ નામની સિનેકૃતિ દ્વારા સિનેદિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ્યા અને પ્રસિદ્ધિ પામ્યા. ‘ચેતના’ ભદ્ર સમાજના સુખી પુરુષોને શયનસુખ આપતી એક રૂપજીવિનીની કથા છે. આ વ્યવસાય દરમિયાન તેના જીવનમાં સામાન્ય આર્થિક સ્થિતિનો એક આદર્શવાદી યુવાન પ્રવેશતાં તેના જીવનમાં પલટો…

વધુ વાંચો >

ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo)

ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo) (જ. 8 નવેમ્બર, 1954 નાગાસાકી, જાપાન) : 2017ના વર્ષનો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ નવલકથાકાર, પટકથા અને ટૂંકી વાર્તાઓના લેખક. તેમના પિતા શિઝુઓ ઇશિઇગુરો અને માતા શિઝુકો. તેમના પિતાને નૅશનલ ઓશેનોગ્રાફી સેન્ટરમાં સંશોધન માટે નિમંત્રણ મળ્યું. આથી તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના કુટુંબે જાપાન…

વધુ વાંચો >

ઇષ્ટિ

ઇષ્ટિ : બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણવેલ હોમપ્રચુર યાગ. તેમાં દર્શ અને પૌર્ણમાસ આ બે પ્રકારની ઇષ્ટિ મુખ્ય છે. અમાવાસ્યાની પડવેએ થતી દર્શેષ્ટિ ને પૂર્ણિમાની પડવેએ થતી પૌર્ણમાસેષ્ટિ કહેવાય છે. આમાં યજમાન, યજમાનપત્ની ઉપરાંત બ્રહ્મા, હોતા, અધ્વર્યુ અને અગ્નિચિત્ કે આગ્નીધ્ર આ ચાર ઋત્વિજોની જરૂર પડે છે. તેમાં બ્રહ્મા સમગ્ર ઇષ્ટિયાગનો નિરીક્ષક…

વધુ વાંચો >

ઇસબગુલ

ઇસબગુલ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેન્ટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Plantago ovata Forsk. (સં. ઇષદગોલ, સ્નિગ્ધજીરક; હિં., મ. ઇસબગોલ; ક., તે. ઇસબગુલ; તા. ઇસપ્પુકોલવીર; ગુ. ઓથમીજીરું, ઇસબગુલ, ઘોડાજીરું; અં. બ્લૉન્ડ સિલિયમ, ઇસ્પાગુલ.) છે. ભારતમાં આ પ્રજાતિની લગભગ 10 જેટલી જાતિઓ થાય છે. ગુજરાતમાં ઇસબગુલ ઉપરાંત P. psyllium L.…

વધુ વાંચો >

ઇસરો

ઇસરો (Indian Space Research Organisation – ISRO) : અંતરીક્ષ સંશોધન અને વિકાસકાર્યો માટેની ભારત સરકારના અંતરીક્ષ વિભાગ (Department of Space – DOS)ની શાખા. સ્થાપના 1972. મુખ્ય મથક અંતરીક્ષ વિભાગની કચેરીમાં જ, બૅંગાલુરુમાં. ભારત સરકારના અંતરીક્ષ વિભાગના સચિવ તેના અધ્યક્ષ છે. અંતરીક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલાં જુદાં જુદાં કેન્દ્રો દ્વારા…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >