ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માડગૂળકર, ગ. દિ.
માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા. 1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ…
વધુ વાંચો >માડગૂળકર, વ્યંકટેશ દિગંબર
માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું.…
વધુ વાંચો >માડાગાસ્કર
માડાગાસ્કર : આફ્રિકા ખંડનો એક દેશ. આફ્રિકા ખંડના પૂર્વ કિનારા નજીક મોઝામ્બિકની ખાડીથી અલગ પડતો હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 12°થી 26° દ. અ. અને 43° થી 50° 30´ પૂ. રે. વચ્ચેના 5,87,041 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એક વિશાળ ટાપુથી તેમજ નજીક આવેલા…
વધુ વાંચો >માણસનું મરણોત્તર અસ્તિત્વ
માણસનું મરણોત્તર અસ્તિત્વ : માણસનું મરણોત્તર અસ્તિત્વ ટકી રહે છે કે કેમ તે અંગેની જગતના ધર્મોમાં સ્વીકૃત માન્યતાઓ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારાયો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ પરત્વે આ ધર્મો…
વધુ વાંચો >માણસા
માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે. માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ…
વધુ વાંચો >માણસાઈના દીવા
માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મેઘાણી-લિખિત ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા–પાટણવાડિયા કોમના બહારવટિયા–લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓનો સંગ્રહ. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલા તેમના વિવિધ અનુભવો અહીં ઝવેરચંદ મેઘાણીએ પ્રસંગકથારૂપે આલેખ્યા છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે બોલચાલના લય-લહેકા અને કથનશૈલી રવિશંકર મહારાજનાં જ રાખ્યાં છે. આમ છતાં…
વધુ વાંચો >માણસા સત્યાગ્રહ
માણસા સત્યાગ્રહ (1938) : જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ. હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું. માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો. 1937માં થયેલી આકારણીમાં બેથી અઢીગણો વધારો કરવામાં આવ્યો, જે ખેડૂતો માટે ઘણો…
વધુ વાંચો >માણાવદર
માણાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 30´ ઉ. અ. અને 70° 08´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 592 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં…
વધુ વાંચો >માણિકરાવ
માણિકરાવ (જ. 1876; અ. 1954) : ગુજરાતના વ્યાયામવીર અને વ્યાયામપ્રચારક. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ‘માણિકરાવજી’ના નામે મશહૂર બનેલા વ્યાયામવીરનું આખું નામ ગજાનન યશવંત માણિકરાવ હતું. માણિકરાવને નાનપણથી જ વડોદરાના નામી પહેલવાન જુમ્માદાદાના અખાડાની લગની લાગી હતી અને જુમ્માદાદા ઝંખતા હતા તેવો સુયોગ્ય શિષ્ય તેમને માણિકરાવમાં મળી ગયો. શીખવાની ધગશ કેટલી…
વધુ વાંચો >માણિક્યચંદ્ર
માણિક્યચંદ્ર (ઈ. સ.ની 12મી–13મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના ગુજરાતી જૈન લેખક. તેઓ પોતાને રાજગચ્છના, કોટિક ગણના અને વજ્રશાખાના જૈન સાધુ ગણાવે છે. તેમની ગુરુપરંપરા મુજબ ગુરુ શીલભદ્ર, તેમના શિષ્ય ભરતેશ્વર, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચંદ્ર અને તેમના શિષ્ય તે માણિક્યચંદ્ર હતા. સાગરેન્દુ તેમના ગુરુભાઈ હતા. આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >