ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પોત્તેકાટ એસ. કે.

પોત્તેકાટ, એસ. કે. (જ. 14 માર્ચ 1913, કાલિકટ, કેરળ; અ. 6 ઑગસ્ટ 1982, કાલિકટ, કેરળ) : મલયાળમના અગ્રણી સર્જક. નવલકથા, ટૂંકી વાર્તા, કાવ્યો અને પ્રવાસકથા – એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે તેમનું સર્જન વિપુલ પ્રમાણમાં છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી અભ્યાસ કર્યો અને ત્યારપછી શાળામાં શિક્ષક તરીકેની કામગીરી સ્વીકારી; પરંતુ 1939માં ત્રિપુરા…

વધુ વાંચો >

પોથોસ

પોથોસ : વનસ્પતિઓના એકદળી વર્ગના એરેસી કુળની આરોહી ક્ષુપ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 8  જેટલી જાતિઓનો ભારતમાં પ્રવેશ કરાવાયો છે. તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે સદાહરિત આરોહી સુંદર પ્રજાતિ છે અને તેનાં સુશોભિત પર્ણો માટે પ્રખ્યાત છે.…

વધુ વાંચો >

પોનમુડી

પોનમુડી : કેરળ રાજ્યમાં આવેલું ગિરિમથક. તે તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) તથા કોવાલમ્(દરિયાઈ રેતપટ માટે જાણીતું સ્થળ)થી આશરે 61 કિમી.ના અંતરે આવેલું છે. બાળવાર્તાઓમાં આવતા પરીઓના દેશ સમું તે અતિ રળિયામણું આ સ્થળ ખૂબ જ હસમુખા સ્વભાવના અહીંના લોકોથી ભર્યુંભર્યું લાગે છે. ઠેર ઠેર રમકડાના ઘર જેવી નાની નાની કુટિરો, સરસ શાળાઓ…

વધુ વાંચો >

પૉન્ટાપિડાન હેન્રિક (Pontoppidan Henrik)

પૉન્ટાપિડાન, હેન્રિક (Pontoppidan, Henrik) (જ. 24 જુલાઈ 1857, ફ્રૅડરિકા, ડેન્માર્ક; અ. 21 ઑગસ્ટ 1943, ચારલોટ્ટેન્લુન્ડ, ડેન્માર્ક) : ડેન્માર્કના વાસ્તવલક્ષી કથાલેખક. ડેન્માર્કના તત્કાલીન જીવનનું પ્રમાણભૂત નિરૂપણ કરનાર લેખક તરીકે એમને 1917નો નોબેલ પુરસ્કાર પ્રદાન થયો. આ પુરસ્કાર ડેન્માર્કના કવિ-વાર્તાકાર કાર્લ જેલરપ અને હેન્રિક પૉન્ટાપિડાનને સમાન હિસ્સે અપાયો હતો. હેન્રિકનો જન્મ ધાર્મિક…

વધુ વાંચો >

પોન્નીલન

પોન્નીલન (જ. 1940, મોનીકેટ્ટીપોટ્ટલ, કન્યાકુમારી, તમિળનાડુ) : તમિળનાડુના પ્રગતિશીલ નવલકથાકાર, કવિ, વિવેચક, ચરિત્રલેખક અને અનુવાદક. તેમને તેમની પ્રખ્યાત નવલકથા ‘પુદિય દરિશનંગલ’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તમિળ ઉપરાંત શિક્ષણશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. ત્યારપછી તેઓ શાળા-શિક્ષણ ખાતામાં જોડાયા. તેઓ વિશ્વશાંતિ, સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક પરિવર્તનોમાં સંકલ્પપૂર્વક…

વધુ વાંચો >

પોપ

પોપ : પોપ ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ છે. પોપ શબ્દ લૅટિન ભાષાના Papa અર્થાત્ પિતા ઉપરથી ઊતરી આવ્યો છે. પોપ સુપ્રીમ પોન્ટીફ, રોમન પોન્ટિફ અથવા સોવેરીન પોન્ટિફ તરીકે પણ ઓળખાય છે. તેઓ રોમના બિશપ છે. આઠમી સદીથી 1870 સુધી પોપ પાપાલ રાજ્યના સાર્વભોમ અથવા વડા હતા અને…

વધુ વાંચો >

પૉપ આર્ટ

પૉપ આર્ટ : પરંપરાગત કલામૂલ્યોના ટીકાત્મક પ્રતિભાવ રૂપે, આધુનિક સભ્યતાની લાક્ષણિકતાઓમાંથી બીજા વિશ્વયુદ્ધ પછી ઉદભવેલો કલાપ્રવાહ.  છાપાં, સામયિકો, ટીવી જેવાં સમૂહ-માધ્યમો, સમૂહ-વિજ્ઞાપન, આધુનિક જીવનશૈલી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિનાં ઉત્પાદનો તથા માનવસર્જિત સાધનોનો કલાકૃતિઓ તરીકે સ્વીકાર કરવા જેવી બાબતો પર પૉપ આર્ટનો ખ્યાલ મંડાયેલો છે. ફોટોગ્રાફ, પોસ્ટર, જાહેરાતની સામગ્રી, કાર્ટૂન ચિત્રમાળા, પૅકેજિંગ…

વધુ વાંચો >

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક : 1950 પછી આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજનું લોકપ્રિય અને લોકભોગ્ય સંગીત. તેનું એક મુખ્ય વલણ ઍન્ટિ-ક્લાસિસિઝમ (Anti-classicism) છે. તેના ફેલાવામાં રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને મુદ્રિત ધ્વનિ ટૅક્નૉલૉજીનો મોટો ફાળો છે. 1950 પછી લોકભોગ્ય સંગીતના સ્વરૂપે અભૂતપૂર્વ ચાહના પ્રાપ્ત કરનાર પૉપ મ્યુઝિકની બહોળી લોકપ્રિયતા પાછળ ઇલેક્ટ્રૉનિક વાદ્યો,…

વધુ વાંચો >

પોપ ઍલેક્ઝાન્ડર

પોપ, ઍલેક્ઝાન્ડર (જ. 21 મે 1688, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 30 મે 1744, ટવિકનહામ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના પ્રમુખ કવિ. જન્મ રોમન કૅથલિક સંપ્રદાયમાં માનતા ધર્મનિષ્ઠ કાપડના વેપારીને ત્યાં. તે સમયની સંસ્કૃતિ પ્રમાણેની વર્ગવ્યવસ્થામાં જમીનદાર અમીર-ઉમરાવો વેપારીઓને ઊતરતા લેખતા. તેમાં વળી આ કુટુંબનો ધર્મ ઇંગ્લૅંડના લશ્કરી અમલદાર-વર્ગના ઍંગ્લિકન…

વધુ વાંચો >

પોપટ (parakeet/parrot)

પોપટ (parakeet/parrot) : માનવીના શબ્દોચ્ચારનું અનુકરણ કરવાની ખાસિયતને લીધે પાલતુ પ્રાણીઓમાં અગત્યનું  સ્થાન ધરાવતું એક પક્ષી. ભારતમાં વ્યાપક રીતે પરિચિત એવા પોપટનું શાસ્ત્રીય નામ છે Psittacula krameri, borealis negmann. ગુજરાતમાં પોપટને ‘સૂડો’ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Rose ringed green parakeet છે. પોપટની ગણના Pscittaciformes શ્રેણીના Psittacidae કુળમાં થાય…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >