ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પોટૅશિયમ બ્રોમાઇડ (KBr)

પોટૅશિયમ બ્રોમાઇડ (KBr) : સફેદ સ્ફટિક દાણા અથવા પાઉડર-સ્વરૂપે મળતું પોટૅશિયમનું બ્રોમાઇડ લવણ. તે તીખું, તૂરું, ખારાશવાળા સ્વાદનું, સાધારણ ભેજગ્રાહી સંયોજન છે. પાણીમાં તથા ગ્લિસરીનમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઈથર અને આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 730o સે., ઉ.બિં 1435o સે. તથા ઘટત્વ 2.749 છે. પોટૅશિયમ બ્રોમાઇડ મેળવવા માટે…

વધુ વાંચો >

પોટૅશિયમ વિષાક્તતા

પોટૅશિયમ  વિષાક્તતા : જુઓ પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

વધુ વાંચો >

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH)

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH) : કૉસ્ટિક પોટાશ તરીકે ઓળખાતું ઔદ્યોગિક અગત્ય ધરાવતું સંયોજન. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની માફક જ સંકેન્દ્રિત પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણના વિદ્યુત-વિભાજનથી તે મોટા પાયા ઉપર બનાવવામાં આવે છે. ગાંગડા-સ્વરૂપે, લાકડી-સ્વરૂપે કે પતરી-સ્વરૂપે ઉપલબ્ધ આ  સંયોજન રંગવિહીન અને ખૂબ ભેજગ્રાહી હોય છે. તેને હવાચુસ્ત પાત્રમાં રાખવું જરૂરી હોય છે; કારણ કે…

વધુ વાંચો >

પોટ્ટી શ્રીરામુલુ

પોટ્ટી, શ્રીરામુલુ (જ. 1901, ચેન્નઈ; અ. 15 ડિસેમ્બર 1952) : ગાંધીવિચાર અને વ્યવહારના આજીવન પુરસ્કર્તા. શાળાકીય અભ્યાસ ચેન્નઈમાં. અભ્યાસ દરમિયાન ગાંધીવિચારથી પ્રભાવિત થયેલા. આથી પિતાના આગ્રહ છતાં ઉચ્ચ અભ્યાસાર્થે કૉલેજશિક્ષણ ન લીધું અને સૅનિટરી એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ કર્યો. ત્યારબાદ એ જમાનાની ગ્રેટ ઇન્ડિયન પૅનિન્સ્યુલર રેલવે કંપનીમાં નોકરી સ્વીકારી. ટૂંકા…

વધુ વાંચો >

પૉટ્સડૅમ પરિષદ

પૉટ્સડૅમ પરિષદ : જર્મનીમાં બર્લિન પાસે પૉટ્સડૅમ મુકામે 17 જુલાઈથી 2 ઑગસ્ટ, 1945 દરમિયાન મળેલી ત્રણ મહાસત્તાઓના વડાઓની પરિષદ. જર્મનીએ મે, 1945માં શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ જર્મનીના ભાવિનો નિર્ણય કરવા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ હૅરી ટ્રુમૅન, સોવિયેત સંઘના વડાપ્રધાન જૉસેફ સ્તાલિન અને ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ (પાછળથી તેમના અનુગામી ક્લેમન્ટ ઍટલી)…

વધુ વાંચો >

પોડગોર્ની નિકોલય વિક્ટોરોવિચ

પોડગોર્ની, નિકોલય વિક્ટોરોવિચ (જ. 5 ફેબ્રુઆરી 1903, કારલોવ્કા, યુક્રેન; અ. 12 જાન્યુઆરી 1983, મૉસ્કો) : ટોચના રશિયન રાજપુરુષ અને સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. રાજકીય કારકિર્દીની શરૂઆત પોતાના જિલ્લાની કોમસોમોલ કમિટી(છાત્ર યુવાપાંખ)ના મંત્રી તરીકે કરી હતી. તેમના માધ્યમિક શિક્ષણ માટે 1923-26 દરમિયાન કોમસોમોલ કમિટીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. તેમણે ઉચ્ચશિક્ષણ…

વધુ વાંચો >

પોડસોલ

પોડસોલ : જમીનનો એક પ્રકાર. જે જમીન રંગવિહીન બની હોય (રંગદ્રવ્યનો સ્રાવ થઈ ગયો હોય), જેમાં લોહ અને ચૂનાનું દ્રવ્ય તદ્દન ઓછું હોય (કે ઓછું થઈ ગયું હોય) એવી જમીનને પોડસોલ કહેવાય છે. આ પ્રકારની જમીન ભેજવાળા અને ઠંડી આબોહવાના સંજોગો હેઠળ તૈયાર થતી હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન

પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન (જ 9 ઑક્ટોબર 1923, પય્યાનૂર, કેરળ (મલબાર)) : દક્ષિણ ભારતના ‘દાંડીયાત્રી’. સ્વાતંત્ર્ય સેનાની અને  ગાંધીવાદી સામાજિક કાર્યકર વી. પી. અપ્પુકુટ્ટન પોડુવા લનું પૂરું નામ વન્નાડિલ પુદિયેવિટ્ટિલ અપ્પુકુટ્ટન પોડુવાલ (Vannadil Puthiyaveettil Appukuttan Poduval) છે. પિતાનું નામ કેરીપ્પત કમ્મરા (Karippath Kammara) અને માતાનું નામ વી. પી. સુભદ્રામ્મા હતું.…

વધુ વાંચો >

પોતદાર દત્તો વામન

પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >

પોતન

પોતન : સિંધમાં સિંધુ નદીના મુખ ઉપર આવેલું ભારતનું પ્રાચીન બંદર. તેની સ્થાપના મેસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે કરી હતી. ઈ. સ. પૂ. બીજા શતકમાં થઈ ગયેલા અગાથાર ખાઇદીસે તેના રાતા સમુદ્રના વૃત્તાંતના પુસ્તકમાં તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ અપ્રાપ્ય પુસ્તકમાંથી દિયોદોરોસ અને ફોતિયસે પોતન અંગેનાં અવતરણો લીધાં છે. તેમના જણાવ્યા પ્રમાણે…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >