ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પોપની ચૂંટણીની પ્રક્રિયા

પોપની ચૂંટણીની પ્રક્રિયા : રોમના પોપ એ ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ, સંત પીટરના ઉત્તરાધિકારી અને કૅથલિક ધર્મસંઘના અધ્યક્ષ. પોપ મૃત્યુ પામે અથવા તો તે હોદ્દા પરથી રાજીનામું આપે ત્યારે ખાલી પડેલી પોપની જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવે છે. છેલ્લા પંદર કે વીસ દિવસ પછી આ ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષો જૂની…

વધુ વાંચો >

પોપા વાસ્કો

પોપા, વાસ્કો (જ. 27 જૂન 1922 સર્બિયા; અ. ) : યુગોસ્લાવિયાના કવિ. 1950ના દશકામાં સાહિત્યનાં સ્થાપિત હિતોને પડકારનારા લેખકોમાં તેઓ અગ્રેસર બન્યા. એ રીતે તેમણે વાસ્તવવાદીઓ વિરુદ્ધ આધુનિકતાવાદીઓના વાદવિવાદમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમની લખાવટનું વલણ ભારોભાર આધુનિકતાથી રંગાયેલું હતું અને માનવજીવનની કારુણ્યલક્ષી પરિસ્થિતિઓને વૈશ્વિક વ્યાપપૂર્વક આલેખવાની તેમની નેમ હતી. ઉત્કટ…

વધુ વાંચો >

પૉપી

પૉપી : દ્વિદળી વનસ્પતિઓના પૅપાવરેસી કુળમાં આવેલી પ્રજાતિ પૅપાવરની જાતિઓ. તેમનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં છ જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ત્રણ પ્રવેશ પામેલી છે. Papaver sommiferum Linn. અફીણના મુખ્ય સ્રોત તરીકે ઉગાડાય છે. તેની ઘણી જાતિઓ તેમનાં અતિસુંદર ચકચકિત પુષ્પો માટે શોભન-વનસ્પતિઓ તરીકે…

વધુ વાંચો >

પોપોવ ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક

પોપોવ, ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક (જ. 16 માર્ચ 1859, ટર્નિસ્કિયે, રૂડનિકી, પર્મ, રશિયા; અ. 13 જાન્યુઆરી 1906, સેન્ટ પીટર્સબર્ગ) : સોવિયેત યુનિયનમાં રેડિયોના શોધક તરીકે ઘોષિત થયેલા ભૌતિકશાસ્ત્રી તથા વૈદ્યુત-ઇજનેર. સ્વાભાવિક રીતે જ, ઇટાલિયન શોધક ગૂલ્યેલ્મો માર્કોનીના સમકાલીન કાર્યની કોઈ પણ જાતની માહિતી વગર તેમણે 1896માં પ્રાચીન ઢબના પ્રથમ રેડિયો રિસીવરની રચના…

વધુ વાંચો >

પોપ્લે જ્હૉન એ. (Pople John A.)

પોપ્લે, જ્હૉન એ. (Pople John A.) (જ. 31 ઑક્ટોબર 1925, સમરસેટ; અ. 15 માર્ચ 2004, શિકાગો) : બ્રિટનના સૈદ્ધાંતિક રસાયણના જ્ઞાતા અને 1998માં વૉલ્ટેર કોહ્ન સાથે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને ક્વૉન્ટમ રસાયણની ગણતરીઓ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. જ્હૉન પોપ્લેનો જન્મ સમરસેટમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બ્રિસ્ટૉલ…

વધુ વાંચો >

પૉમ્પિડુ જ્યૉર્જ જિં રેમન્ડ

પૉમ્પિડુ, જ્યૉર્જ જિં રેમન્ડ (જ. 5 જુલાઈ 1911 મોન્તબોદીફ, ફ્રાન્સ; અ. 2 એપ્રિલ 1974, પૅરિસ) : અગ્રણી ફ્રેન્ચ મુત્સદ્દી તથા કુશળ પ્રશાસક. પૅરિસ ખાતે ઇકોલ નોરમાલે સુપીરિયરમાં તેમણે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ શાળાના શિક્ષક હતા. 1944-46 સુધી તેઓ દ’ ગોલના અંગત સ્ટાફમાં અને તેમાંથી રાજીનામું આપ્યા પછી…

વધુ વાંચો >

પૉમ્પી

પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ…

વધુ વાંચો >

પોમ્ફ્રેટ

પોમ્ફ્રેટ : જુઓ `પાપલેટ’.

વધુ વાંચો >

પોયણાં

પોયણાં : દ્વિદળી વર્ગના નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nymphaea pubescens Willd. syn. N. nouchali Burm. F; N. lotus Hook f. S. Thoms non Linn. N. rubra Roxb. ex Salisb. (સં. કુમુદિની, પદ્મિની, ચંદ્રવિકાસિની; બં. રક્તક્મલ; મ. રક્તકમલ, લાલ કમળ; ગુ. પોયણાં, કમળ, કુમુદિની, કમલફૂલ, નીલોફર, કોકનદ, કુંભકમળ, બોકંડા,…

વધુ વાંચો >

પોરબંદર (જિલ્લો)

પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >