ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પોટાશિયમ સંતુલન

પોટાશિયમ સંતુલન : લોહી અને પેશીમાં પોટાશિયમ આયનોની સાંદ્રતા (concentration) અને સપાટીનું નિયમન થવું તે. કોષોની બહારના પ્રવાહીમાં તે વિપુલ પ્રમાણમાં મળી રહે છે અને તેમના આવરણોની આરપારના તેના યોગ્ય વિતરણને કારણે કોષોનું સામાન્ય કાર્ય સંભવિત બની રહે છે. આહાર દ્વારા મેળવાતા પોટાશિયમ પ્રમાણે મૂત્રપિંડ દ્વારા થતા ઉત્સર્જનની વધઘટ તેના…

વધુ વાંચો >

પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન) : પોટાશિયમ સાયનાઇડ એક અતિ ઝેરી દ્રવ્ય છે. જે સોનાની ખાણ, સેન્દ્રીય સંશ્લેષણ (organic synthesis) વગેરે ઉદ્યોગોમાં વપરાય છે. તે વીજાગ્ર (electrode) પર ધાતુનો ઢોળ ચડાવવામાં, ઘરેણાં બનાવવામાં અને એવાં અન્ય વિવિધ કાર્યોમાં પણ વપરાય છે. તે ખાંડ જેવો દેખાતો જલદ્રાવ્ય પદાર્થ છે અને…

વધુ વાંચો >

પોટિયો અંગારિયો

પોટિયો અંગારિયો : કેટલાક અપરિપક્વ ધાન્ય-પાકોમાં દાણા તૈયાર થાય તે પહેલાં અંગારિયા ફૂગના આક્રમણથી થતો રોગ. આ રોગનું આક્રમણ થતાં પાકમાં દાણા તૈયાર થવાને બદલે વ્યાધિજન્ય ફૂગો વૃદ્ધિ પામે છે. દાણાની જગ્યાએ ફૂગની વૃદ્ધિ આવરણમાં પોપટી અથવા નાની શિંગ આકારમાં થાય છે. તેથી આ વ્યાધિજન્ય અંગારિયાને પોટિયો અંગારિયો કહે છે.…

વધુ વાંચો >

પોટેન્શિયૉમિતિ (potentiometry)

પોટેન્શિયૉમિતિ (potentiometry) : વીજરાસાયણિક કોષમાંના સૂચક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) સીધો જ માપીને અથવા દ્રાવણમાં અનુમાપક (titrant) ઉમેરવાથી કોષના વીજચાલકબળ(electromotive force, emf)માં થતો ફેરફાર (ΔE) માપીને દ્રાવણમાંના ઘટકની સક્રિયતા (કે સાંદ્રતા) નક્કી કરવા માટેની વિદ્યુતમિતીય (electrometric) પદ્ધતિ. જ્યારે એક વીજધ્રુવને વિદ્યુતસક્રિય પદાર્થના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે દ્રાવણવીજધ્રુવ પ્રાવસ્થા (phase)…

વધુ વાંચો >

પોટૅશિયમ

પોટૅશિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના 1A) (આલ્કલી ધાતુ) સમૂહમાં સોડિયમની નીચે તથા રૂબિડિયમની ઉપર આવતું તત્વ. તેની સંજ્ઞા K, પરમાણુક્રમાંક 19, પરમાણુભાર 39.102, ગ. બિં. 63.7o સે. અને ઉ. બિં. 774o સે. છે. તેની ઇલેક્ટ્રૉન સંરચના (Ar)3s1 છે. તે વજનમાં હલકી, નરમ, નીચા ગ. બિં.વાળી ચાંદી જેવી ચળકતી સક્રિય…

વધુ વાંચો >

પોટૅશિયમ ક્લોરાઇડ

પોટૅશિયમ ક્લોરાઇડ : સિલ્વાઇટ ખનિજમાંથી મળતું પોટૅશિયમ સંયોજન. આ ખનિજ સોડિયમ તથા પોટૅશિયમ ક્લોરાઇડનું મિશ્રણ હોઈ પાણીમાં દ્રાવ્ય હોય છે. તે કાર્નેલાઇટ ખનિજમાંથી પણ મળે છે. કાર્નેલાઇટને પિગાળવાથી મોટા ભાગનું પોટૅશિયમ ક્લોરાઇડ અલગ પડે છે તથા પીગળેલું  Mgcl2·6H2O પાછળ રહી જાય છે. KCl·Mgcl2·6H22O = KCl + Mgcl2·6H2O તે રંગવિહીન, સ્ફટિકમય,…

વધુ વાંચો >

પોટૅશિયમ ક્લોરેટ (KClO3)

પોટૅશિયમ ક્લોરેટ (KClO3) : પોટૅશિયમ ધાતુનું એક સ્ફોટક સંયોજન. પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડના આલ્કલી દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરવાથી પોટૅશિયમ હાઇપોક્લોરાઇટ તથા પોટૅશિયમ ક્લોરાઇડ બને છે. વધુ ક્લોરિન પસાર કરતાં હાઇપોક્લોરાઇટનું ક્લોરેટ તથા વધુ ક્લોરાઇડમાં પરિવર્તન થાય છે. ગરમ સંકેન્દ્રિત પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડમાં ક્લોરિન પસાર કરતાં ક્લોરેટ તત્કાળ બને છે. 6KOH + 3Cl2…

વધુ વાંચો >

પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7)

પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7) : પોટૅશિયમનું એક ઉપયોગી ઉપચયનકારી સંયોજન. તે પીળાશ પડતા રાતા રંગનું, પારદર્શક, સ્ફટિકમય, સ્વાદે કડવું (bitter) હોય છે. તે પાણીમાં દ્રાવ્ય, પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં 3960 સે. અને ઘટત્વ 2.676 છે. તે 500o સે. તાપમાને વિઘટનશીલ છે. પોટૅશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે (અ) પોટૅશિયમ ક્લોરાઇડ અને…

વધુ વાંચો >

પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર સૉલ્ટપીટર) (KNO3)

પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર, સૉલ્ટપીટર) (KNO3) : પોટૅશિયમ ધાતુનું એક ઉપયોગી લવણ. તે પારદર્શક, રંગવિહીન, સ્ફટિકમય સંયોજન છે. તે સાધારણ જળગ્રાહી, તીખું, ખારા સ્વાદવાળું છે. તેનું ગ.બિં. 3370 સે., ઉ.બિં. 4000 સે. (વિઘટન) અને ઘટત્વ 2.106 છે તે પાણી તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય તથા આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. પોટૅશિયમ નાઇટ્રેટ પ્રબળ ઉપચયનકર્તા…

વધુ વાંચો >

પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4)

પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4) : પોટૅશિયમનું તીવ્ર ઉપચયનકારી લવણ. હવા અથવા પોટૅશિયમ નાઇટ્રેટ જેવા ઉપચયનકર્તાની હાજરીમાં કૉસ્ટિક પૉટાશ અને પાયરોલ્યુસાઇટને પિગાળતાં ઘેરા લીલા રંગનો પોટૅશિયમ મૅંગેનેટ બને છે જેને દ્રાવણરૂપે જુદો પાડવામાં આવે છે. 2MnO2 + 4KOH → 2K2MnO4 + 2H2O આ દ્રાવણમાં મંદ H2SO4 ઉમેરતાં પરમૅંગેનેટ બને છે. 2K2MnO4 + 2H2SO4…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >