ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પીરેનીસ પર્વતમાળા
પીરેનીસ પર્વતમાળા : નૈર્ઋત્ય યુરોપમાં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે (લગભગ 2o પ. રે.થી 3o પૂ. રે.) પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરેલી પર્વતમાળા. પશ્ચિમે આટલાન્ટિક મહાસાગરના બિસ્કે ઉપસાગરને પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતા ભૂમિપ્રદેશ પર તે એક અવરોધક દીવાલ રૂપે ઊંચકાઈ આવેલી છે અને નૈર્ઋત્ય યુરોપ માટે વિશાળ ભૂમિ-આકાર રચે છે. તેને પરિણામે…
વધુ વાંચો >પીલીભીત
પીલીભીત : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે 28o 6’થી 28o 53′ ઉ. અ. અને 79o 37’થી 80o 27′ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 3,502 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની પૂર્વમાં લખીમપુર (ખેરી) જિલ્લો, દક્ષિણમાં શાહજહાંપુર જિલ્લા, પશ્ચિમે બરેલી જિલ્લો, ઉત્તરમાં નૈનીતાલ જિલ્લો તથા ઈશાન તરફ નેપાળ…
વધુ વાંચો >પીલુ
પીલુ : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સાલ્વેડોરેસી (પીલ્વાદિ) કુળની વનસ્પતિ. તેની Salvadora oleoides Dene (સં. મહાપીલુ, ગુડફલ, સ્રંસી, હિં. બડા પીલુ, જાલ પીલુ, મ. દિયાર, ગોડ પીલુ, ખાબ્બર, કિંકણેલ પીલુ, ગુ. મોટા પીલુ, મીઠી જાળ, મીઠી જાર, ખાંખણ, તા. કાર્કેલિ, કોહુ, કાલવા, ઉઘાઈ, અ. ઈરાક, ફા. દખર્તેમિરવાટ) અને S. persica…
વધુ વાંચો >પી. શ્રી રામચન્દ્રુડુ
પી. શ્રી રામચન્દ્રુડુ (જ. 24 ઑક્ટોબર 1927, ઇંદુપલ્લી, આંધ્રપ્રદેશ; અ. જૂન 2015, હૈદરાબાદ આંધ્રપ્રદેશ) : સંસ્કૃત વ્યાકરણ, વેદાંત અને અલંકારશાસ્ત્રના નિષ્ણાત. તેમને તેમના નિબંધસંગ્રહ ‘को वै रस:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી, હિંદી અને સંસ્કૃતમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની…
વધુ વાંચો >પીસા
પીસા : મધ્ય ઇટાલીમાં આર્નો નદીના ઉત્તરકાંઠે આવેલું નગર. ઈ. પૂ. 180 પછી પીસામાં રોમનોની વસાહત સ્થપાઈ હતી. દસમી સદીમાં ટસ્કની પ્રાંતના મોટા શહેર તરીકે તે પ્રસિદ્ધ હતું. તેરમી સદીના અંતમાં અહીં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1348માં અહીં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ઘણો વિનાશ થયો હતો. 1406માં ફ્લૉરેન્સની આણ નીચે…
વધુ વાંચો >પીસાનો મિનારો
પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો…
વધુ વાંચો >પીળક (Golden Oriole)
પીળક (Golden Oriole) : ભારતનું નિવાસી પંખી. તે સોના જેવું પીળું દેખાય છે. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Oriolidae કુળમાં થાય છે. તેનું શાસ્ત્રીય નામ Oriolus oriolus છે. તેનું કદ કાબર જેવડું, 22 સેમી.નું હોય છે; પણ જરા તે દૂબળું લાગે છે. નર અને માદાના રંગમાં થોડો ફરક હોય છે.…
વધુ વાંચો >પીળિયો
પીળિયો : વિષાણુથી વનસ્પતિમાં થતો પાનનો રોગ. વિષાણુઓનું પાન પર આક્રમણ થતાં પાનનો કુદરતી લીલો રંગ ઓછો થાય છે અને પાનમાં પીળાશ વધતી જાય છે. મુખ્યત્વે પાનમાં નીલકણોનું પ્રમાણ ઘટવાથી વનસ્પતિને પીળિયો થાય છે. પાન પીળાં થતાં આખો છોડ પણ પીળો દેખાય છે. આ વિષાણુનો ફેલાવો જીવાત મારફત તેમજ અન્ય…
વધુ વાંચો >પીળી નસનો રોગ
પીળી નસનો રોગ : ભીંડાના પાનમાં ખૂબ જ સ્પષ્ટ પીળી નસનાં લક્ષણો પેદા કરતો વિષાણુજન્ય રોગ. આ વિષાણુઓ જ છોડની બીજ-પર્ણ અવસ્થાથી તે છોડની પરિપક્વ-અવસ્થા સુધીની કોઈ પણ અવસ્થામાં પાન પર આક્રમણ કરે છે. ભીંડાના પાકમાં ભારતનાં બધાં રાજ્યોમાં સૌથી વિશેષ નુકસાન કરતો આ રોગ છે. પાન પર વિષાણુનું આક્રમણ…
વધુ વાંચો >પીળો ગેરુ
પીળો ગેરુ : પક્સિનિયા સ્ટ્રાઇફૉરમિસ નામની ફૂગથી દુનિયાના ઘણા દેશોમાં ઘઉંને થતો રોગ. ભારતમાં આ રોગ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં વિશેષ નુકસાન કરે છે. આ ફૂગ પાન, પર્ણદંડ અને દાંડી, કંટી તેમજ દાણા ઉપર આક્રમણ કરે છે. પાન ઉપર આક્રમણ થતાં તેની ઉપર ચળકતા પીળા રંગના સૂક્ષ્મ બીજાણુઓ (યુરેડોસ્પોર) પટ્ટી-સ્વરૂપે…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >