ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પીપ (drum)

પીપ (drum) : ઉદવાહક (hoisting) ને ઉત્થાપક (lifting) યંત્રોમાં બેસાડેલો નળાકાર ભાગ. હાથથી વપરાતાં ઉદવાહકોમાં સમતલ ડ્રમ વપરાય છે. નાની શક્તિવાળાં ઉદવાહકોમાં પણ આ જ પ્રકારનાં ડ્રમ વપરાય છે. મોટી શક્તિવાળાં ઉદવાહકોમાં ખાંચાવાળાં ડ્રમ વપરાય છે. ડ્રમને વેલ્ડિંગ કરીને અથવા ઢાળી(cast)ને બનાવવામાં આવે છે અને તેની પસંદગી ઉત્પાદનની ગુણવત્તા ઉપર…

વધુ વાંચો >

પીપર

પીપર : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરેસી (વટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus amplissima Smith. syn. F. tsiela Roxb. ex Buch-Ham. (સં. પ્લક્ષ, પિપ્પરી, જટી, કણિનિકા, જટતિ, પર્કટી, પિપ્પલપાદપ, ગૃહદવારપરશ્વ; હિં. પાકરી, પાખર, પિલખન, પાકર; બં. પાકુડગાછ; મ. પિંપરી; ગુ. પીપર, પીંપરી, પીપળ; ક. વસુરીમાળા, જુવ્વીમારા; તે કાલજુવ્વી, ગર્દભાંડે; મલ.…

વધુ વાંચો >

પીપળો

પીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરૅસી (વટાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus religiosa Linn. (સં. અશ્વત્થ, પિપ્પલ, ચલપત્ર, બોધિદ્રુ, કુંજરાશન, ચૈત્યવૃક્ષ, બોધિવૃક્ષ; હિં. પીપલ,  પીપ્લી, બં. અશ્વત્થ, આશુદ; મ. પીંપળ, અશ્વત્થ; ગુ. પીપળો, તા. અશ્વત્થમ, અરસુ; તે. અશ્વત્થમુ, બોધિ; મલ. અશ્વત્થમ્, અરચુ, આયલ; ક. અશ્વત્થ, અરબીમાળા; ફા. દરખ્તે…

વધુ વાંચો >

પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)

પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…

વધુ વાંચો >

પીપાવાવ

પીપાવાવ : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઝોલાપુરી નદીના મુખ પર આવેલું બંદર. તે અરબી સમુદ્રને કિનારે મોટા પટની ખાડી પર આવેલું છે. ભૌ. સ્થાન : 20o 58′ ઉ.અ. અને 71o 33′ પૂ.રે. આ બંદર મુંબઈ અને કંડલા વચ્ચે પ્રમુખ બંદર બની શકે એવી કુદરતી બારાની તમામ પરિસ્થિતિ ધરાવે છે. તે…

વધુ વાંચો >

પીબલ્સ જેમ્સ (Peebles James)

પીબલ્સ, જેમ્સ (Peebles, James) (જ. 25 એપ્રિલ 1935, વિનપેગ, કૅનેડા) : ભૌતિક બ્રહ્માંડ-વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ મિશેલ મેયર તથા ડિડયેર કેલોઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેમ્સ પીબલ્સે યુનિવર્સિટી ઑવ મેનિટોબા, કૅનેડામાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી…

વધુ વાંચો >

પીર ઇમામશાહ

પીર ઇમામશાહ : જુઓ ઇમામશાહ.

વધુ વાંચો >

પીર કમાલુદ્દીન સૈયદ

પીર કમાલુદ્દીન સૈયદ (ઈ. સ.ની પંદરમી સદી) : ચિશ્તિયા સંપ્રદાયના ફારસી ભાષાના લેખક. સૈયદ કમાલુદ્દીને ઈરાનના કઝવીન શહેરમાંથી હિજરી સંવત નવમા સૈકામાં ગુજરાતમાં ભરૂચ આવીને વસવાટ કર્યો હતો. તેઓ કઝવીન શહેરના હોવાથી ઇસ્લામી પરંપરામાં કઝનવી (રહ.) તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ સૈયદ શફીઉદ્દીન હતું, જેઓ હુસૈની સૈયદ હતા. તેઓ…

વધુ વાંચો >

પીરમ ટાપુ

પીરમ ટાપુ : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ભાવનગર નજીક આવેલો ટાપુ. તે ઘોઘાથી દક્ષિણે 7 કિમી.ને અંતરે, પરંતુ કિનારાથી સીધેસીધા 4 કિમી.ને અંતરે, 21o 35′ ઉત્તર અક્ષાંશ અને 72o 34′ પૂર્વ રેખાંશ પર ખંભાતના અખાતમાં આવેલો છે. તે આમલીના કાતરા આકારનો 2.5 કિમી. લાંબો અને 800 મીટર પહોળો છે.…

વધુ વાંચો >

પીરાઈ વેધક

પીરાઈ વેધક : શેરડીના પાકને નુકસાન કરનાર એક અગત્યની જીવાત. તે રોમપક્ષ શ્રેણીના પાયરેલિડી કુળનું ફૂદું છે. પીરાઈ વેધક [Chilo (Sacchariphagus) indicus Kapur]નું ફૂદું ભૂરાશ પડતા તપખીરિયા રંગનું અથવા સૂકા ઘાસના જેવા રંગનું હોય છે. પાંખની પહોળાઈ સાથે તે 40 મિમી. જેટલું પહોળું હોય છે. પાછળની પાંખો ભૂરાશ પડતી સફેદ…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

Jan 1, 1999

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >