ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પાલેજ
પાલેજ : ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલું નગર. સ્થાન : 21o 52′ ઉ.અ. અને 72o 57′ પૂ.રે. તે ભરૂચ અને મિયાંગામ વચ્ચે આવેલું છે. આ નગર અમદાવાદ મુંબઈ બ્રૉડગેજ રેલવેલાઇનથી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી સંકળાયેલું છે; જિલ્લાનાં અને તાલુકાનાં અન્ય ગામો સાથે પણ માર્ગોથી જોડાયેલું છે. તે નર્મદા-ઢાઢર અને કીમ નદીઓથી…
વધુ વાંચો >પાલેજવાળા ફતેહઅલી હુસેનદીન
પાલેજવાળા, ફતેહઅલી હુસેનદીન (જ. 11 જૂન 1911, પાલેજ, જિ. વડોદરા; અ. 30 સપ્ટેમ્બર 1995) : જાહેર કાર્યકર અને ગુજરાત વિધાનસભાના એક વખતના અધ્યક્ષ. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. ત્યાંથી બી.એ. તથા એલએલ.બી. થયા. જૂના વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં મામલતદાર-કક્ષાએ પ્રોબેશનર અધિકારી તરીકે અને ત્યારબાદ 4 વર્ષ ડેપ્યુટી કલેક્ટર તરીકે કામગીરી બજાવી.…
વધુ વાંચો >પાલ્કની સામુદ્રધુની
પાલ્કની સામુદ્રધુની : દક્ષિણ ભારત અને ઉત્તર શ્રીલંકા વચ્ચે આવેલી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના મનારના અખાતને જોડતી ખાડી. બંગાળના ઉપસાગરનું પ્રવેશદ્વાર. સ્થાન 10o ઉ. અક્ષાંશ અને 79o 45′ પૂર્વ રેખાંશ. તેની લંબાઈ 137 કિમી. અને લંબાઈના સ્થાનભેદે પહોળાઈ 64 કિમી.થી 137 કિમી. જેટલી છે. આ સામુદ્રધુની પ્રમાણમાં છીછરી છે…
વધુ વાંચો >પાલ્ગ્રેવ ફ્રાન્સિસ ટર્નર
પાલ્ગ્રેવ, ફ્રાન્સિસ ટર્નર (જ. 28 સપ્ટેમ્બર 1824, લંડન; અ. 24 ઑક્ટોબર 1897, લંડન) : આંગ્લ કવિ, કાવ્ય-સંપાદક અને વિવેચક. ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યા પછી શિક્ષણ તથા વહીવટી ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ સંભાળ્યા. 1895માં ઑક્સફર્ડ ખાતે કવિતાના પ્રાધ્યાપકનું પદ સંભાળ્યું. તેમનાં કાવ્ય-પુસ્તકોમાં ‘ઇડિલ્સ ઍન્ડ સાગ્ઝ’ (1854), ‘હિમ્સ’ (1867), ‘લિરિકલ પોએમ્સ’ (1871), ‘ધ…
વધુ વાંચો >પાલ્મે ઓલેફ
પાલ્મે, ઓલેફ (જ. 30 જાન્યુઆરી, 1927, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 28 ફેબ્રુઆરી 1986 સ્ટૉકહોમ) : સ્વીડનના વિશ્વશાંતિના હિમાયતી, અગ્રણી મુત્સદ્દી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન. 1950ના દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન જ તેઓ સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના સક્રિય સભ્ય બન્યા હતા. તેઓ સ્વીડનની સોશિયલ ડેમોકૅટિક પાર્ટીના અગ્રિમ નેતા હતા (1968-76 તથા 1982). 1958માં તેઓ સ્વીડનની…
વધુ વાંચો >પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત)
પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત) : કન્નડ લેખક. વીરશૈવ સંપ્રદાયના કવિ. એમનો જન્મ કર્ણાટકના ગોદાવરી જિલ્લાના પાલ્લુરિ ગામમાં. પિતાનું નામ બસવેશ. ગુરુનું નામ ગુરુકિંગાર્ય. એમણે શાસ્ત્રાર્થમાં ઘણા પંડિતોને પરાજય આપ્યો હતો. ગણપુરના રાજા જગદેવમલ્લે એમનું સન્માન કર્યું હતું. સોમનાથે તેલુગુ અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેલુગુના પ્રાચીન કવિઓમાં એમનું…
વધુ વાંચો >પાવલોવ ઇવાન
પાવલોવ, ઇવાન (જ. 26 સપ્ટેમ્બર 1849, ર્યાઝમ (Ryazam), રશિયા; અ. 27 ફેબ્રુઆરી 1936, મૉસ્કો, રશિયા) : પાચનક્રિયા અંગેના તેમના સંશોધનકાર્ય માટે 1904ના તથા તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના 1904ના નોબેલ પારિતોષિકવિજેતા. તેમના આ કાર્યને આધારે વધુ વિકાસ કરીને પાચનમાર્ગ પર અન્ય પ્રયોગો કરી શકાયા, જેને કારણે તે અંગેનું જ્ઞાન વિકસ્યું…
વધુ વાંચો >પાવલોવા ઍના
પાવલોવા, ઍના (જ. 31 જાન્યુઆરી 1881, સેન્ટ પીટર્સબર્ગ; અ. 23 જાન્યુઆરી 1931, હેગ) : વિશ્વવિખ્યાત રશિયન નૃત્યાંગના. તેમનો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો. 9 વર્ષની ઉંમરે ‘સ્લીપિંગ બ્યૂટી’ નૃત્યનાટિકા જોઈ ત્યારથી તેની નાયિકા અરોરા જેવી નૃત્યાંગના બનવાનો તેમણે નિર્ધાર કર્યો. એપ્રિલ, 1899માં સેંટ પીટર્સબર્ગની બૅલે સ્કૂલમાંથી તેઓ નૃત્યકળાનાં સ્નાતક…
વધુ વાંચો >પાવા
પાવા : બિહારમાં ગોરખપુરથી વાયવ્યમાં 48 કિમી. દૂર આવેલું ગામ. પ્રાચીન સમયમાં એ મલ્લ દેશનું નગર હતું. પાવાના મલ્લો પાવેય્યક કહેવાતા. બુદ્ધ આ ગામમાં ઘણી વાર પધારેલા. ‘ઉદાન’ અનુસાર બુદ્ધ પાવાના અજકપાલક ચૈત્યમાં રહ્યા હતા. આ ગામમાં બુદ્ધ રહેતા હતા તે દરમિયાન મલ્લોએ પોતાનો નવો સંથાગાર ‘ઉભ્ભાટક’ બંધાવ્યો હતો, જેનું…
વધુ વાંચો >પાવાગઢ (ભૂસ્તરીય)
પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >