ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય : પશ્ચિમના દેશોમાં થયેલો સ્થાપત્ય-કલાનો વિકાસ. સ્થાપત્યનો ઇતિહાસ એ ક્ષેત્રની સતત ઉત્ક્રાંતિનું નિરૂપણ છે. તેની શરૂઆત ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિથી ગણી શકાય. આ ગાળાની સરળ અને ભવ્ય ઇમારતો પછી ગ્રીસનાં મંદિરોની સ્થાપત્યરચનામાં ચોકસાઈ અને પૂર્ણતા લાવવાની અપ્રતિમ ભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ રોમની રાજકીય સંસ્કૃતિમાં લોકોપયોગી…

વધુ વાંચો >

પાષાણભેદ

પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ;…

વધુ વાંચો >

પાસણાહચરિઉ

પાસણાહચરિઉ : જૈન તીર્થંકરોમાંના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વ કે પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું મહાકાવ્ય. અપભ્રંશ ભાષામાં આચાર્ય પદ્મકીર્તિએ રચેલું આ કાવ્ય ‘પાસ-પુરાણ’ એવા નામે પણ ઓળખાય છે. તે ઇન્દોરના પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરેલું છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી દ્વારા 1965માં ‘આયરિય-સિરિ-પઉમકિત્તિ-વિરઇઉ પાસણાહચરિઉ’-એ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આચાર્ય પદ્મકીર્તિએ 1077ના અરસામાં આ…

વધુ વાંચો >

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત)

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત) : પાર્શ્વનાથ તીર્થંકરનું ચરિત વર્ણવતું કાવ્ય. ‘કહારયણકોસ’ના કર્તા ગુણચંદ્રગણિ(1111)એ પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલા આ ચરિતકાવ્યમાં 5 પ્રસ્તાવોમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું આલેખન છે. સરસ રચનામાં સમાસાન્ત પદાવલિ, છંદોવૈવિધ્ય, સંસ્કૃત શૈલીનો પ્રભાવ અને અનેક સંસ્કૃત સુભાષિતોનાં અવતરણ એે આ કાવ્યની વિશેષતાઓ છે. પ્રથમ પ્રસ્તાવમાં પાર્શ્વનાથના ત્રણ પૂર્વભવોના ઉલ્લેખ છે અને…

વધુ વાંચો >

પાસપૉર્ટ

પાસપૉર્ટ : આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગવાની પરવાનગી દર્શાવતો અધિકૃત દસ્તાવેજ. દેશના નાગરિક તરીકેની માન્યતા આપતો તથા દેશવિદેશનો પ્રવાસ હાથ ધરવા માટેની કાયદાકીય સુગમતા બક્ષતો આ દસ્તાવેજ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કોઈ પણ કાયદામાં પાસપૉર્ટની વ્યાખ્યા આપી નથી; પણ ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ પાસપૉર્ટ…

વધુ વાંચો >

પાસબુક

પાસબુક : બૅંકર અને ગ્રાહક વચ્ચેના નાણાકીય વ્યવહારોની ચોક્કસ અને પ્રમાણભૂત નોંધ રાખવાનું સાધન. બૅંકને થાપણોની પ્રાપ્તિ મુખ્યત્વે (1) ચાલુ ખાતું, (2) બચત ખાતું અને (3) બાંધી મુદતનું ખાતું – એ ત્રણ દ્વારા થાય છે. તેમાંથી બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવનાર ગ્રાહકને બૅંક તરફથી તેના ખાતાની નકલ તરીકે એક…

વધુ વાંચો >

પાસવાન રામવિલાસ

પાસવાન, રામવિલાસ (જ. 5 જુલાઈ 1946, શાહરબાની, જિ. ખાગરિયા, બિહાર) : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત ફાળવવાની બાબતને વરેલા બોલકા દલિત નેતા અને સાંસદ. પિતા જામુન પાસવાન અને માતા રાજકુમારી પાસવાન. તેમણે ખાગરિયાની કોસી કૉલેજમાં અભ્યાસ કરી વિનયનની અનુસ્નાતક પદવી હાંસલ કરી તથા વિદ્યાર્થીકાળ દરમિયાન જ અગ્રણી વિદ્યાર્થી નેતા…

વધુ વાંચો >

પાસ્કલનો નિયમ (Pascal’s Law)

પાસ્કલનો નિયમ (Pascal’s Law) : ભૌતિકવિજ્ઞાનનો એક નિયમ, જે દર્શાવે છે કે કોઈ બંધ પાત્રમાં રહેલ પ્રવાહી (confined fluid) ઉપર બાહ્ય દબાણ લગાડવામાં આવે તો બધી દિશાઓમાં એકસમાન રીતે દબાણનું પ્રેષણ (transmit) થાય છે. આમ બંધ પાત્રમાં રહેલા પ્રવાહી ઉપર લગાડવામાં આવેલું બાહ્ય દબાણ એકસરખી તીવ્રતાથી પ્રવાહીમાં પ્રસારિત થાય છે…

વધુ વાંચો >

પાસ્કલ બ્લેઝ

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

પાસ્તરનાક બૉરિસ લિયૉનિદોવિચ

પાસ્તરનાક, બૉરિસ લિયૉનિદોવિચ (જ. 10 ફેબ્રુઆરી 1890, મૉસ્કો; અ. 30 મે 1960, પેરેડેલ્કિન, મૉસ્કો નજીક) : જગપ્રસિદ્ધ રશિયન કવિ અને નવલકથાકાર. પિતા લિયૉનિદ પ્રાધ્યાપક અને ચિત્રકાર. માતા રોઝાલિયા કૉફમૅન પિયાનોવાદક. ઉછેર ભદ્ર યહૂદી કુટુંબમાં. પિતા લિયો ટૉલ્સ્ટૉયની નવલકથાઓ, રિલ્કાનાં કાવ્યો અને સંગીતકાર સર્ગી રૅચમૅનિનૉફની રચનાઓને આધારે અનેક પાત્રોનું ચિત્રાંકન કરતા.…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

Jan 1, 1999

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >