ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પાવાપુરી

પાવાપુરી : બિહારમાં આવેલું જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર. જૈન શાસ્ત્રોમાં જેને ‘મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે તે આ જ પાવાપુરી મહાવીરની પ્રસિદ્ધ નિર્વાણભૂમિ હતી. મધ્યમા પાવાનું નામ પહેલાં ‘અપાપાપુરી’ હતું. મહાવીરના નિર્વાણ પછી તેનું નામ પાવાપુરી પડ્યું. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મહાવીર સ્વામી જંભીય ગામથી પાવાપુરી પધાર્યા. આ નગરીમાં મહાવીરે ઘણી…

વધુ વાંચો >

પાવેઝા ચેઝારે

પાવેઝા, ચેઝારે (જ. 9 સપ્ટેમ્બર 1908, કુનીઓ, પિડમન્ટ, ઇટાલી; અ. 27 ઑગસ્ટ 1950, ઇટાલી) : ઇટાલીના નવલકથાકાર, કવિ અને ભાષાંતરકાર. ‘હાર્ડ લેબર’ (1936) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમનાં કાવ્યો વૉલ્ટ વ્હિટમન અને ગી દો ગોઝાનો જેવા કવિઓની અસર તળે લખાયેલાં છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યો ‘લવોરેર સ્ટાન્કા’ (‘વર્ક-વિયરીઝ’, 1936)માં મળે છે. વિશેષ…

વધુ વાંચો >

પાવો નુર્મી

પાવો નુર્મી (જ. 13 જૂન 1897, તુર્કુ; અ. 2 ઑક્ટોબર 1973, હેલસિન્કી, ફિનલેન્ડ) :  આધુનિક ઑલિમ્પિકના આરંભકાળનો લાંબા અંતરની દોડની સ્પર્ધાનો સમર્થ ખેલાડી. ફિનલૅન્ડનો ‘ધ ફ્લાઇંગ ફિન’ના હુલામણા નામે ખેલ-જગતમાં જાણીતો બનેલો પાવો નુર્મી 1920, 1924 અને 1928ની ત્રણ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુલ 9 સુવર્ણચંદ્રક અને 3 રૌપ્યચંદ્રક મેળવી ગયો હતો.…

વધુ વાંચો >

પાશુપત સંપ્રદાય

પાશુપત સંપ્રદાય : શૈવ ધર્મની મુખ્ય શાખા. પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સ્થાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાલાંતરે લકુલીશ અને વીરશૈવ જેવી કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશે જે શાખા શરૂ કરી તે જતે દિવસે ‘લકુલીશ પાશુપત સંપ્રદાય’ને નામે ઓળખાઈ. પાશુપત સંપ્રદાયના અનુયાયીઓ શિવને લિંગસ્વરૂપે પૂજે છે, પરંતુ વિષ્ણુથી શાપિત ભૃગુએ…

વધુ વાંચો >

પાશ્ચન-બેક અસર

પાશ્ચન-બેક અસર : ઇલેક્ટ્રૉનના કોણીય અને પ્રચક્રણ વડે વેગમાનના સદિશોની પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની દિશાને અનુલક્ષીને શક્ય એવી જુદી જુદી દિશાઓ ધારણ કરવાની ઘટના. પાશ્ચન અને બેક નામના વૈજ્ઞાનિકોએ 1912માં પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે નબળા ચુંબકીય ક્ષેત્રમાં ઝીમન વર્ણપટની ગમે તે બહુમુખી ભાત (multiplet pattern) હોય, પરંતુ ચુંબકીય…

વધુ વાંચો >

પાશ્ચર અસર

પાશ્ચ અસર : જુઓ દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ.

વધુ વાંચો >

પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ

પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ : હડકવા (rabies) પરનો પાશ્ચર-સંશોધિત ઉપચાર થઈ શકે તે અર્થે લુઇ પાશ્ચર અને તેમના અનુયાયીઓ દ્વારા  ઈ. સ. 1888માં પૅરિસમાં સ્થાપવામાં આવેલી સંશોધન-સંસ્થા (Institut  Pasteur). 1895માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી પાશ્ચરે તેનું પ્રમુખપદ સંભાળ્યું હતું. હાલમાં તે ફ્રાન્સનું રસીનું ઉત્પાદન કરનાર સૌથી મોટું કેન્દ્ર છે. આ સંસ્થાની સૂક્ષ્મજીવવિજ્ઞાન,…

વધુ વાંચો >

પાશ્ચર લુઇ

પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને  પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…

વધુ વાંચો >

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય : પશ્ચિમના દેશોમાં થયેલો સ્થાપત્ય-કલાનો વિકાસ. સ્થાપત્યનો ઇતિહાસ એ ક્ષેત્રની સતત ઉત્ક્રાંતિનું નિરૂપણ છે. તેની શરૂઆત ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિથી ગણી શકાય. આ ગાળાની સરળ અને ભવ્ય ઇમારતો પછી ગ્રીસનાં મંદિરોની સ્થાપત્યરચનામાં ચોકસાઈ અને પૂર્ણતા લાવવાની અપ્રતિમ ભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ રોમની રાજકીય સંસ્કૃતિમાં લોકોપયોગી…

વધુ વાંચો >

પાષાણભેદ

પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ;…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >