સમાજશાસ્ત્ર

સેન કેશવચંદ્ર

સેન, કેશવચંદ્ર (જ. 1838; અ. 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ…

વધુ વાંચો >

સેનાપતિ ગોપીનાથ

સેનાપતિ, ગોપીનાથ (જ. 24 નવેમ્બર 1915, બનપુર, ઓરિસા) : ઊડિયા કવિ. આયુર્વેદિક ચિકિત્સાકાર્ય સાથે તેમણે સામાજિક સેવા કરી. તેમણે સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. ગોદાવરીશ કૉલેજમાં વ્યવસ્થાપક મંડળના સભ્ય; મોહપાત્ર સાહિત્યચક્ર; બનપુરના સેક્રેટરી; ઓરિસા રાજ્ય પાલગાયક પરિષદના સલાહકાર. તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘પ્રમાદ વારા’ (1981); ‘શાલિયા નૈરા ધેવ’ (1982) અને…

વધુ વાંચો >

સેવા (Self-Employed Womens’ Association – SEWA)

સેવા (Self-Employed Womens’ Association – SEWA) : અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ, સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન, જે મુખ્યત્વે ગાંધીવાદી શૈલીથી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે. 1947માં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય તેવી રાજકીય આઝાદી પ્રાપ્ત કર્યા પછી વર્ષો સુધી દેશની અગણિત ગરીબ મહિલાઓ માટે ખાસ કોઈ કામ થયું નહોતું. આર્થિક સ્વાવલંબન…

વધુ વાંચો >

સેવા-ઉદ્યોગો

સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

સોરોકિન મિતિરિમ એ

સોરોકિન મિતિરિમ એ. (જ. 1899; અ. 1968) : મૂળ રશિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા સમાજશાસ્ત્રી. સોરોકિનનો જન્મ ઉત્તર રશિયાના એક નાના ગામડામાં થયો હતો. પૂર્વજોનો વ્યવસાય ખેતીનો હતો. પિતા શ્રમજીવી હતા. ત્રણ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયા પછી માસીને ત્યાં ઊછર્યા. વીસ વર્ષે ઝાર સામેની ક્રાંતિમાં ઝંપલાવ્યું. સ્વાધ્યાયનાં પચાસ વર્ષના…

વધુ વાંચો >

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના…

વધુ વાંચો >

સ્ટૅમ્ફર્ડ થૉમસ રૅફલ (સર)

સ્ટૅમ્ફર્ડ, થૉમસ રૅફલ (સર) (જ. 5 જુલાઈ 1781; અ. 5 જુલાઈ 1826) : સિંગાપોરના આદ્યસ્થાપક. 14 વર્ષની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન ખાતેની મધ્યસ્થ કચેરીમાં કારકુન તરીકે જોડાયા. કેટલાંક વર્ષો પછી જાવા(ઇન્ડોનેશિયા)ના ગવર્નર બન્યા. ત્યાં રહીને તેમણે ત્યાંના સમાજજીવનમાં ઘણા વિકાસલક્ષી સુધારા કર્યા. ડચ લોકોને હંફાવવા કંપનીના નિર્ણયની પરવા…

વધુ વાંચો >

સ્પર્ધા (સમાજશાસ્ત્ર)

સ્પર્ધા (સમાજશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સમૂહોના એકાધિક પક્ષો વચ્ચે અછત ધરાવતા મૂર્ત કે અમૂર્ત લક્ષ્યની પ્રાપ્તિ માટેનો સંઘર્ષ. સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન જેવાં સામાજિક વિજ્ઞાનોમાં એક ઘણી મહત્વની વિભાવના ‘સામાજિક આંતરક્રિયા’ છે. તેનું જ એક લગભગ સાર્વત્રિક સ્વરૂપ છે સ્પર્ધા. ગુજરાતીમાં હોડ અને શરત જેવા સ્પર્ધાના સમાનાર્થી શબ્દો પણ વપરાય…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…

વધુ વાંચો >

સ્વામી વિરજાનંદ

સ્વામી વિરજાનંદ (જ. 1778; અ. 14 સપ્ટેમ્બર 1868) : મથુરાના નેત્રહીન સંત. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના સુપ્રસિદ્ધ ગુરુ સ્વામી વિરજાનંદનો જન્મ જાલંધર પાસેના ગંગાપુર નામના ગામમાં એક ભારદ્વાજ ગોત્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1778માં થયો હતો. તેમનું નામ વ્રજલાલ હતું. તેમને ધર્મચંદ નામે ભાઈ હતો. પાંચ વર્ષની વયે…

વધુ વાંચો >