સમાજશાસ્ત્ર

સામાજિક સંઘર્ષ

સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં…

વધુ વાંચો >

સામાજિકીકરણ (Socialization)

સામાજિકીકરણ (Socialization) : વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા. માનવ-બાળક જન્મ સમયે માત્ર જૈવિક અસ્તિત્વ ધરાવતું હોય છે; અર્થાત્, પ્રાણી-બાળ જેવું જ હોય છે. ત્યારપછી તેને સમાજનાં પ્રચલિત ધોરણો, મૂલ્યો, સામાજિક સંબંધોની વિવિધ ઢબો શીખવવામાં આવે છે. આ શિક્ષણ આપતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. દરેક સમાજ તેનાં નવાં જન્મેલાં બાળકોને નિશ્ચિત…

વધુ વાંચો >

સિમેલ જ્યૉર્જ

સિમેલ, જ્યૉર્જ (જ. 1858; અ. 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક…

વધુ વાંચો >

સિંગ રાજેન્દ્ર

સિંગ, રાજેન્દ્ર (જ. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક…

વધુ વાંચો >

સિંધસભા (1882)

સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…

વધુ વાંચો >

સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)

સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં…

વધુ વાંચો >

સિંહા અનુગ્રહ નારાયણ

સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…

વધુ વાંચો >

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC)

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC) : ગ્રાહક શિક્ષણ, સંશોધન અને સુરક્ષાને વરેલી અમદાવાદ ખાતેની વિશ્વભરમાં વિખ્યાત બનેલી સંસ્થા. સ્થાપના : 1978. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને લગતા કાયદા હેઠળ તેની નોંધણી થયેલી છે. સંશોધન-સંસ્થા તરીકે તે માન્યતા ધરાવે છે. બિન-નફાલક્ષી ધોરણે તે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. ગ્રાહક-સુરક્ષા અંગે…

વધુ વાંચો >

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…

વધુ વાંચો >

સેડલર માઇકલ થૉમસ

સેડલર, માઇકલ થૉમસ (જ. 3 જાન્યુઆરી 1780, સ્નેલસ્ટન, ડર્બીશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1835, બેલફાસ્ટ, અલસ્ટર, આયર્લૅન્ડ) : ઉદ્દામવાદી રાજનીતિજ્ઞ, ઉદાર વ્યાપારી અને ફૅક્ટરીસુધાર આંદોલનના નેતા. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આર્થિક ઉત્પાદનના વિકાસ સાથે ઘણી નવી સમસ્યાઓ પણ ઇંગ્લૅન્ડમાં ઊભી થઈ. ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું; એથી આ સમસ્યાઓ…

વધુ વાંચો >