૫.૦૭

કુંભ (રાશિ)થી કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન)

કુંભ (રાશિ)

કુંભ (રાશિ) (Aquarius) : ત્રીજા વર્ગના ઝાંખા તારાઓની બનેલી રાશિનો એક ઘણો મોટો વિસ્તાર. તેમાં અનેક યુગ્મ, ત્રિક અને રૂપવિકારી તારા આવેલા હોવાને કારણે પાણીનો ભાસ ઉત્પન્ન થાય છે. ड કુંભ (λ), શતતારા નક્ષત્ર છે, જેમાં થઈને ક્રાંતિવૃત્ત પસાર થાય છે. NGC 7293, NGC 7089 અને NGC 7009 કુંભની ખાસ…

વધુ વાંચો >

કુંભકર્ણ

કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા…

વધુ વાંચો >

કુંભકોણમ્

કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…

વધુ વાંચો >

કુંભનદાસ

કુંભનદાસ (જ. 1468 – અ. 1582) : પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ. સાંપ્રદાયિક દીક્ષા 1492માં મહાપ્રભુશ્રી વલ્લભાચાર્ય પાસે લીધી હતી. શ્રીનાથજીના મંદિરમાં કીર્તનકારના પદ ઉપર તેમની નિયુક્તિ થઈ હતી. સાત પુત્રો, સાત પુત્રવધૂઓ અને એક ભત્રીજીના બહોળા પરિવારનું પોષણ પોતાની નાનકડી જમીનની ઊપજમાંથી જ કરતા અને સ્વયં અયાચક્ર વ્રત…

વધુ વાંચો >

કુંભમેળો

કુંભમેળો : ભારતના ઘણા તહેવારો ચાંદ્ર તિથિ ઉપર આધારિત છે, જ્યારે કેટલાક તહેવારો સૌર સંક્રાંતિ અનુસાર ગણાય છે. ઉત્તરાયણ સૂચવતો તહેવાર સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય ત્યારે આવે છે. ભારતીય ગ્રહગણિતમાં સૂર્ય અને ચંદ્રની જેમ બૃહસ્પતિ (ગુરુ) પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં એક વર્ષ લાગે…

વધુ વાંચો >

કુંભલગઢનો કિલ્લો

કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા;…

વધુ વાંચો >

કુંભારકામ

કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી…

વધુ વાંચો >

કુંભારચાક

કુંભારચાક (1977) : ઊડિયા આત્મકથા. ઊડિયા લેખક કાલિચરણ પટનાયકની આ આત્મકથાને 1977નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આ આત્મકથામાં લેખકે જે જે પરિસ્થિતિ અને પરિબળોએ લેખકનું ઘડતર કર્યું તેનો ઉલ્લેખ તો કર્યો છે, પણ પોતાના જીવનમાં અને છેલ્લા દસકામાં ઓરિસામાં જે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનોનું પ્રવર્તન થયું તેનો પણ…

વધુ વાંચો >

કુંભા રાણા

કુંભા રાણા (જ. 1428; અ. 1488) : સિસોદિયા વંશના મેવાડના પ્રખ્યાત રાજવી અને વિદ્વાન. પિતા મોકલ અને માતા હંસાબાઈ. પિતાનું મૃત્યુ 1433માં થતાં ગાદી મળી. સગીર અવસ્થા દરમિયાન મોટા સાવકા ભાઈ ચુન્ડા તથા મામા રાઠોડ રણમલે કારભાર સંભાળ્યો હતો. મામા રણમલનું 1438માં ખૂન થયું હતું. પ્રારંભનાં સાત વરસ દરમિયાન મારવાડ…

વધુ વાંચો >

કુંભારિયાનાં જૈન મંદિરો

કુંભારિયાનાં જૈન મંદિરો : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ ઉપર પાંચ જૈન મંદિરોની શ્રેણી આવેલી છે. આ મંદિરો ભીમદેવ પહેલાના (ઈ.સ. 1022-1064) શાસન દરમિયાન તેના મંત્રી અને દંડનાયક વિમલ શાહે બંધાવેલાં કહેવાય છે. નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ અને સંભવનાથનાં આ મંદિરો છે. અહીં ગર્ભગૃહથી આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ અને…

વધુ વાંચો >

કૂપમન્સ જાલિંગ સી.

Jan 7, 1993

કૂપમન્સ, જાલિંગ સી. (જ. 28 ઑગસ્ટ 1910, ગ્રેવલૅન્ડ, નેધરલૅન્ડ; અ. 26 ફેબ્રુઆરી 1986, ન્યૂહેવન, કનેક્ટિકટ, યુ.એસ.) : વિશ્વવિખ્યાત અર્થમિતિશાસ્ત્રજ્ઞ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના વિજેતા. ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાંથી એમ. એ. (1933) તથા લાયડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.(1936)ની પદવી મેળવી. 1936-38 દરમિયાન નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક. 1938-40 દરમિયાન…

વધુ વાંચો >

કૂપર આર્ચિબાલ્ડ સ્કૉટ

Jan 7, 1993

કૂપર, આર્ચિબાલ્ડ સ્કૉટ (Couper, Archibald Scott [kooper]) (જ. 31 માર્ચ 1831, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1892, કિરકિન્ટિલૉક) : બ્રિટિશ કાર્બનિક રસાયણવિદ અને સંરચનાકીય કાર્બનિક રસાયણના અગ્રણી. તેમણે ઑગસ્ટ કેકુલેથી સ્વતંત્રપણે કાર્બનની ચતુ:સંયોજકતાનો અને એક કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે બંધ રચી શકે છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. શાળાકીય…

વધુ વાંચો >

કૂપર લીઓન એન.

Jan 7, 1993

કૂપર, લીઓન એન. (જ. 28 ફેબ્રુઆરી 1930, ન્યૂયૉર્ક) : ભૌતિકશાસ્ત્રમાં અતિવાહકતા(superconductivity)ની સામાન્ય સૈદ્ધાંતિક સમજૂતી આપવા માટે ઇલીનૉઇ યુનિવર્સિટીના જ્હૉન બાર્ડીન તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીના જ્હૉન રોબર્ટ શ્રાઇફરની સાથે, 1972માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ત્રિપુટીમાંના, બ્રાઉન યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી. [અતિવાહકતા : નિમ્નતાપવિજ્ઞાન(cryogenics)માં અતિ નિમ્ન તાપમાને – શૂન્ય અંશ નિરપેક્ષ કે કૅલ્વિન (K) નજીક,…

વધુ વાંચો >

કૂપર વિલિયમ

Jan 7, 1993

કૂપર, વિલિયમ (જ. 26 નવેમ્બર 1731, ગ્રેટ બર્કમ્પસ્ટડ, હર્ટફર્ડશિયર, ઇંગ્લૅંડ; અ. 25 એપ્રિલ 1800, ઈસ્ટ ડિરમ્ નૉકૉર્ક) : અંગ્રેજ કવિ. તેમના જમાનાના કવિઓમાં સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતા હતા. નજીકની નિવાસી શાળામાં અને લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1750-54 સુધી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. 1857માં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.…

વધુ વાંચો >

કૂપર સૅમ્યુઅલ

Jan 7, 1993

કૂપર, સૅમ્યુઅલ (જ. 1609, લંડન, બ્રિટન; અ. 1672, લંડન, બ્રિટન) : લઘુ કદનાં વ્યક્તિચિત્રો (miniature portraits) ચીતરવા માટે જાણીતો બ્રિટિશ ચિત્રકાર. આ પ્રકારનાં ચિત્રોના સર્જક તરીકે તે સમગ્ર યુરોપના શ્રેષ્ઠ ચિત્રકારોમાં ગણના પામ્યો છે. ઑલિવર ક્રૉમવેલ અને રાજા ચાર્લ્સ બીજાનાં તેણે લઘુ કદનાં અનેક વ્યક્તિચિત્રો કરેલાં. ચિત્રકાર જોન હૉસ્કિન્સ હેઠળ…

વધુ વાંચો >

કૂમાયલ કલી

Jan 7, 1993

કૂમાયલ કલી (1950) : સ્વતંત્ર ભારતની પ્રથમ સિંધી લેખિકા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તારા મીરચંદાણી (1930)કૃત સિંધી નવલકથા. ‘કૂમાયલ કલી’માં પુરુષ નિયંત્રિત સમાજમાં પુરુષની સ્વાર્થી મનોવૃત્તિ અને સ્ત્રીની પરાધીન સ્થિતિનું ચિત્રણ થયું છે. સમાજમાં પ્રચલિત કુરિવાજો, કાળગ્રસ્ત થયેલી રૂઢિઓ અને વિસંગતતાને આલેખીને એ સમાજસ્વાસ્થ્ય માટે કેટલી ભયાનક છે તેનું લેખિકાએ…

વધુ વાંચો >

કૂમ્ઝ(antibody)ની કસોટી

Jan 7, 1993

કૂમ્ઝ(antibody)ની કસોટી : રક્તકોષો પર સ્થાપિત થયેલાં અને તેનું લયન કરતાં પ્રતિદ્રવ્યો (antibody) અથવા પ્રતિરક્ષાપૂરકોની હાજરી દર્શાવતી કસોટીઓ. રક્તકોષો ઉપર જ્યારે પ્રતિદ્રવ્ય અથવા પ્રતિરક્ષાપૂરક સ્થાપિત થયેલું હોય ત્યારે રક્તકોષો અતિસંવેદનશીલ થયેલા (sensitised) હોય છે. તે નિશ્ચિત પ્રતિજન(antigen)ની હાજરીમાં તૂટી જાય છે. રક્તકોષોના તૂટી જવાને રક્તકોષલયન (haemolysis) કહે છે. આ કસોટી…

વધુ વાંચો >

કૂર્બે ગુસ્તાવ

Jan 7, 1993

કૂર્બે, ગુસ્તાવ (Courbet, Gustave) જ. 10 જૂન 1819, ફ્રાંસ; અ. 31 ડિસેમ્બર 1877, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેંચ ચિત્રકાર અને રંગદર્શી ચળવળના પ્રત્યાઘાત રૂપે જન્મેલી વાસ્તવમૂલક (realism) કલા-ચળવળનો પ્રણેતા. પૂર્વ ફ્રાંસના એક શ્રીમંત ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયેલો. રૉયલ કૉલેજ ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેણે પૅરિસમાં કાયદાનો અભ્યાસ કરવો શરૂ કર્યો.…

વધુ વાંચો >

કૂર્મ

Jan 7, 1993

કૂર્મ : શ્રી વિષ્ણુનો એક અવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી તે ક્ષીરસાગરમાં ડૂબવા લાગ્યો, ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું (કાચબાનું) રૂપ લીધું અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વૈશાખ શુક્લ…

વધુ વાંચો >

કૂર્મનાડી

Jan 7, 1993

કૂર્મનાડી : શ્વાસનળી. અંગ્રેજીમાં એને bronchial tube (બ્રોંકિઅલ ટ્યૂબ) કહે છે. સંભવતઃ એનો આકાર-પ્રકાર કાચબા જેવો હોવાથી તેને કૂર્મનાડી કહે છે. પતંજલિએ આ નાડીનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. તેમને મતે આ નાડી પર સંયમ સાધવાથી શરીરમાં સ્થિરતા સિદ્ધ થાય છે અને શરીરની સ્થિરતા સિદ્ધ થતાં ચિત્તની સ્થિરતા સધાય છે. પ્રવીણચંદ્ર…

વધુ વાંચો >