૪.૧૧

કરીમનગરથી કર્ણાવતી

કર્ણકપટલ-છિદ્ર

કર્ણકપટલ-છિદ્ર (atrial septal defect) : હૃદયના ઉપલા ખંડો (કર્ણક, atria) વચ્ચેના પડદામાં કાણું થવાથી થતો રોગ. તે ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસમાં ઉદભવતી ખામીને કારણે થતો જન્મજાત (congenital) રોગ છે, જેનાં લક્ષણો મોટી ઉંમરે જોવા મળે છે. ડાબા કર્ણક અને જમણા કર્ણક વચ્ચેના પડદામાં કાણું હોવાથી ડાબા કર્ણકમાંનું ઑક્સિજનયુક્ત લોહી જમણા કર્ણકમાંના…

વધુ વાંચો >

કર્ણ-કુંતીસંવાદ

કર્ણ-કુંતીસંવાદ (1900) : કવિવર રવીન્દ્રનાથ ટાગોરરચિત બંગાળી સંવાદ-કાવ્ય. કુંતી અર્જુનને બચાવવા કોઈ બ્રહ્માસ્ત્રની માગણી કરવા કર્ણ પાસે નથી આવતી. કુંતી આવે છે કર્ણને પોતાના પાંચ પુત્રોના જ્યેષ્ઠ ભ્રાતાનું સ્થાન સ્વીકારવાની વિનંતી કરવા. કર્ણ માતાના આહવાનને સ્વીકારતો નથી પણ પ્રાપ્ત પરિસ્થિતિને જ ઇષ્ટ ગણે છે. આ છે સંવાદનું કથાવસ્તુ. કવિએ કરેલી…

વધુ વાંચો >

કર્ણઘંટડીનાદ

કર્ણઘંટડીનાદ (tinnitus) : અવાજ ઉત્પન્ન ન થતો હોય તોપણ કાનમાં કે માથામાં તમરાં જેવો અવાજ સંભળાતો હોય તેવી સંવેદના (sensation). દરેક વ્યક્તિ જ્યારે કાન બંધ કરે ત્યારે થોડો અવાજ તો સાંભળે છે, પરંતુ તેનાથી ટેવાઈ જવાથી તેની અવગણના કરવામાં આવે છે. તે અવાજનો મનોભ્રમ (hallucination) નથી હોતો. મોટે-ભાગે તે વ્યક્તિગત…

વધુ વાંચો >

કર્ણદર્શક

કર્ણદર્શક (otoscope) : બાહ્ય કાનના ભાગો કે કાનના પડદા(કર્ણપટલ, tympanic membrane)માં કાણું હોય ત્યારે મધ્યકર્ણના ભાગોનું નિરીક્ષણ કરવા માટેનું સાધન. તેને કર્ણાન્ત:દર્શક પણ કહે છે. તેના વડે કાનની બહારની નળી, કર્ણપટલ (કર્ણઢોલ) કે કર્ણપટલમાં કાણું હોય તો મધ્યકર્ણની શ્લેષ્મકલા (mucosa) તથા કર્ણઅસ્થિઓના ભાગ જોઈ શકાય છે. અકબંધ કર્ણપટલમાંથી પણ એરણ-પેંગડું…

વધુ વાંચો >

કર્ણદેવ (કલચૂરિ)

કર્ણદેવ (કલચૂરિ) (અગિયારમી સદી) : ત્રિપુરી(વર્તમાન જબલપુર જિલ્લાનું તેવર)ના કલચૂરિ વંશના રાજા ગાંગેયદેવના પુત્ર. તેણે 1041થી 1070 દરમિયાન રાજ્ય કર્યું. તે હૂણ રાજકુમારી આવલ્લદેવી વેરે પરણ્યો હતો. તેણે ગુજરાતના ભીમદેવ સાથે મળીને માળવાના ભોજને હરાવેલો (1060). ચંદેલ્લાઓને હરાવવા ઉપરાંત દક્ષિણના રાજાઓને પણ તેણે પરાસ્ત કરી ‘ત્રિકલિંગાધિપતિ’નું બિરુદ મેળવેલું. ગુજરાતથી બંગાળ…

વધુ વાંચો >

કર્ણદેવ (પહેલો)

કર્ણદેવ (પહેલો) (1064-1094) : ગુજરાતના સોલંકી વંશનો રાજા. એ ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. એણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચનપાલને હરાવી નાગસારિકા (નવસારી) મંડલમાં પોતાની સત્તા પ્રસારી. 1074માં ત્યાંના એક ગામનું દાન દીધું. પરંતુ લાટના રાજપુત્ર ત્રિવિક્રમપાલના કાકા જગત્પાલે લાટ પાછું લઈ ત્યાંના ગામનું દાન દીધું (1077). કર્ણદેવે ‘ત્રૈલોક્યમલ્લ’ બિરુદ…

વધુ વાંચો >

કર્ણદેવ (વાઘેલો)

કર્ણદેવ (વાઘેલો) (શાસનકાળ 1296થી 1304) : સારંગદેવનો ભત્રીજો અને ઉત્તરાધિકારી. તે કર્ણદેવ 2જો કહેવાય છે. એ 1296માં ગુજરાતની ગાદીએ આવ્યો. એનાથી નારાજ થયેલા માધવ મંત્રીની પ્રેરણાથી દિલ્હીના અલાઉદ્દીન ખલજીના સૈન્યે 1299માં પાટણ પર ચડાઈ કરી. કર્ણદેવ છીંડું પાડી નાસી ગયો, પણ મુસ્લિમ ફોજ પાછી જતાં કર્ણદેવ પાછો ફર્યો ને પાટણનો…

વધુ વાંચો >

કર્ણપટલ

કર્ણપટલ (tympanic membrane) : બાહ્ય કાનની નળીના અંદરના છેડે આવેલો કાનનો પડદો. તેને કર્ણઢોલ પણ કહે છે. તે બાહ્યકર્ણનળી (external auditory meatus) અને મધ્યકર્ણને અલગ પાડે છે. (જુઓ કાન તથા આકૃતિ). તેમાં 3 પડ હોય છે. બહારનું પડ અધિચ્છદ(epithelium)નું બનેલું હોય છે અને તે કાનની બહારની નળીના અધિચ્છદ સાથે સળંગ…

વધુ વાંચો >

કર્ણભાર

કર્ણભાર : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસ(ઈ.પૂ. ચોથી સદી ?)નાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકો તરીકે ઓળખાતાં તેર રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતની કથા ઉપર રચાયેલું છે. મહાભારત યુદ્ધમાં સેનાપતિ તરીકે અર્જુન સામે નિર્ણાયક યુદ્ધ કરવા જઈ રહેલા કર્ણના મન ઉપર અજાણ્યા વિષાદનાં વાદળદળ છવાયાં છે અને તેનું સૂર્ય જેવું સ્વાભાવિક…

વધુ વાંચો >

કર્ણમૂલશોથ

કર્ણમૂલશોથ (mastoiditis) : કાનની પાછળના ભાગમાં આવેલા શંખાસ્થિ(temporal bone)ના કર્ણમૂલ (mastoid process) નામના પ્રવર્ધમાં ચેપ લાગવો તે. જ્યારે ઉગ્ર મધ્યકર્ણશોથ(acute otitis media)ની સારવાર અપૂરતી થઈ હોય અને તે મટ્યો ન હોય ત્યારે લગભગ 3થી 4 અઠવાડિયાં બાદ દર્દીને કાનની અંદર અને મુખ્યત્વે પાછલા ભાગમાં ફરીથી સખત દુખાવો થાય છે અને…

વધુ વાંચો >

કરીમનગર

Jan 11, 1992

કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ…

વધુ વાંચો >

કરુણપ્રશસ્તિ

Jan 11, 1992

કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…

વધુ વાંચો >

કરુણાદિ છોટોં માંગ્રો

Jan 11, 1992

કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું…

વધુ વાંચો >

કરુણા-મૃત્યુ

Jan 11, 1992

કરુણા-મૃત્યુ (euthanasia) : કષ્ટ વિનાનું મોત નિપજાવવું તે. અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ પર દયા લાવીને તેનું વહેલું મૃત્યુ નિપજાવવું તે. તે માટે દવાની મદદ કે અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે. એક વ્યક્તિનું આયુષ્ય તથા તેની પીડાનો આંક નક્કી કરવો અન્ય વ્યક્તિ માટે શક્ય ગણાતો નથી. વળી ઘણી વખત લાંબા સમયની…

વધુ વાંચો >

કરુણાલહરી

Jan 11, 1992

કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

કરેણ

Jan 11, 1992

કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે. તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં…

વધુ વાંચો >

કરોડરજ્જુ

Jan 11, 1992

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત…

વધુ વાંચો >

કરોળિયો

Jan 11, 1992

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કર્ક

Jan 11, 1992

કર્ક : મિથુન અને સિંહ રાશિની વચ્ચે આવેલી પીળી કરેણના ઊંધા ફૂલ આકારની રાશિ. આ રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેલું છે. ચોથા વર્ગથી વધુ ઝાંખા તારાની બનેલી આ રાશિની ખાસ વિશેષતા એની અંદર આવેલા M44ની સંજ્ઞાવાળા અવકાશી તારકગુચ્છની છે. નરી આંખે જોતાં આ ગુચ્છ પ્રકાશના ધાબા જેવો દેખાય છે, પણ નાના…

વધુ વાંચો >

કર્ક-નિહારિકા

Jan 11, 1992

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી. વાસ્તવમાં જેમાંથી તારા જન્મે…

વધુ વાંચો >