૪.૧૧

કરીમનગરથી કર્ણાવતી

કરીમનગર

કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ…

વધુ વાંચો >

કરુણપ્રશસ્તિ

કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…

વધુ વાંચો >

કરુણાદિ છોટોં માંગ્રો

કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું…

વધુ વાંચો >

કરુણા-મૃત્યુ

કરુણા-મૃત્યુ (euthanasia) : કષ્ટ વિનાનું મોત નિપજાવવું તે. અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ પર દયા લાવીને તેનું વહેલું મૃત્યુ નિપજાવવું તે. તે માટે દવાની મદદ કે અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે. એક વ્યક્તિનું આયુષ્ય તથા તેની પીડાનો આંક નક્કી કરવો અન્ય વ્યક્તિ માટે શક્ય ગણાતો નથી. વળી ઘણી વખત લાંબા સમયની…

વધુ વાંચો >

કરુણાલહરી

કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

કરેણ

કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે. તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં…

વધુ વાંચો >

કરોડરજ્જુ

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત…

વધુ વાંચો >

કરોળિયો

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કર્ક

કર્ક : મિથુન અને સિંહ રાશિની વચ્ચે આવેલી પીળી કરેણના ઊંધા ફૂલ આકારની રાશિ. આ રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેલું છે. ચોથા વર્ગથી વધુ ઝાંખા તારાની બનેલી આ રાશિની ખાસ વિશેષતા એની અંદર આવેલા M44ની સંજ્ઞાવાળા અવકાશી તારકગુચ્છની છે. નરી આંખે જોતાં આ ગુચ્છ પ્રકાશના ધાબા જેવો દેખાય છે, પણ નાના…

વધુ વાંચો >

કર્ક-નિહારિકા

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી. વાસ્તવમાં જેમાંથી તારા જન્મે…

વધુ વાંચો >

કર્ણમેલ

Jan 11, 1992

કર્ણમેલ (ear wax) : કાનની બહારની નળીમાં કર્ણતેલ (cerumen) અને પ્રસ્વેદનું જામી જવું તે. બાહ્ય કર્ણનળીમાં આવેલી કર્ણતેલ ગ્રંથિઓ (ceruminous glands) સતત કર્ણતેલ ઉત્પન્ન કરે છે. કર્ણતેલ બહારની બાજુ વહે છે. કર્ણતેલ તથા પ્રસ્વેદ કર્ણનળીના સતત બદલાતા રહેતા અધિચ્છદ(epithelium)ની સાથે આપમેળે પોપડાના રૂપમાં બહાર આવે છે. ચાવતી કે બોલતી વખતે…

વધુ વાંચો >

કર્ણરોગો (આયુર્વેદ)

Jan 11, 1992

કર્ણરોગો (આયુર્વેદ) : કાનની અંદર થતા રોગો. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’માં કાનની અંદર થતા 28 રોગો દર્શાવ્યા છે. તેમાં મહત્વના નીચે મુજબ છે : કર્ણશૂળ, કર્ણનાદ, બાધિર્ય (બહેરાશ), કર્ણક્ષ્વેડ, કર્ણસ્રાવ, કર્ણકંડૂ, કર્ણગૂથ, કર્ણકૃમિ, કર્ણપાક, કર્ણવિદ્રધિ, પૂતિકર્ણ, કર્ણાર્શ, કર્ણાર્બુદ, કર્ણશોથ ઇત્યાદિ. મુખ્ય કર્ણરોગોની સારવાર : (1) કર્ણકંડૂ (ચળ) : વાયુથી કાનમાં ચળ…

વધુ વાંચો >

કર્ણશોથ

Jan 11, 1992

કર્ણશોથ (otitis) : કાનમાં ચેપ લાગવાથી થતો રોગ. જીવાણુ કે ફૂગના ચેપથી કાનમાં સોજો અને દુખાવો થાય છે અને તે ભાગ લાલ થાય છે. તેને કાનનો શોથ (inflammation) અથવા કર્ણશોથ કહે છે. કાનના ત્રણ ભાગ છે  બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. તે પ્રમાણે કર્ણશોથ પણ ત્રણ પ્રકારના છે. બાહ્યકર્ણશોથ (otitis externa)…

વધુ વાંચો >

કર્ણસુંદરી

Jan 11, 1992

કર્ણસુંદરી (1064-1094 દરમિયાન) : અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કાશ્મીરી કવિ બિલ્હણરચિત નાટિકા. ‘નાટિકા’ પ્રકારના સાહિત્યમાં રત્નાવલી અને પ્રિયદર્શિકાને બાદ કરતાં ‘કર્ણસુંદરી’ ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેના લેખકે ગુજરાતમાં રહીને તેની રચના કરી હતી. અણહિલવાડના ચૌલુક્ય રાજા કર્ણદેવના વિવાહનું નિરૂપણ એ આ કૃતિનું મુખ્ય વિષયવસ્તુ છે. ચૌલુક્ય કર્ણદેવ ત્રૈલોક્યમલ્લશ્રન કર્ણાટરાજ…

વધુ વાંચો >

કર્ણસ્રાવ

Jan 11, 1992

કર્ણસ્રાવ (otorrhoea) : કાનમાંથી નીકળતું પરુ. મધ્યકર્ણમાં ચેપ લાગે ત્યારે તે જોવા મળે છે. તેને મધ્યકર્ણશોથ (otitis media) કહે છે. ક્યારેક બહારના કાન કે બાહ્યકર્ણનળીમાં ચેપ લાગવાથી પણ તે થાય છે. કાનની બહારની નળીમાં પરુવાળી ફોલ્લી થાય ત્યારે સખત દુખાવો થાય છે અને મોં ખોલ-બંધ કરતાં તકલીફ પડે છે. બહારના…

વધુ વાંચો >

કર્ણાટક

Jan 11, 1992

કર્ણાટક મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o  12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય. વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા…

વધુ વાંચો >

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા

Jan 11, 1992

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા (1968) : કન્નડ ભાષાનો સંસ્કૃતિવિષયક ચિંતનગ્રંથ. તેના લેખક એસ. બી. જોશીને આ કૃતિ માટે 1970નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ પુસ્તક લેખકના જ્ઞાનની વિશાળ સીમા અને વિવિધ ક્ષેત્રોને ઊંડાણથી તાગવાની એમની ર્દષ્ટિનો પરિચય કરાવે છે. એ પ્રાચીન અને વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને…

વધુ વાંચો >

કર્ણાટકી અમીરબાઈ

Jan 11, 1992

કર્ણાટકી, અમીરબાઈ [જ. 19 ફેબ્રુઆરી 1912, બોળગી (કર્ણાટક); અ. 7 માર્ચ 1965, મુંબઈ] : જાણીતાં નાયિકા. મૅટ્રિક ઉત્તીર્ણ. વણકર પિતાની પાંચ પુત્રીઓ પૈકી મોટાં ગૌહરબાઈ મુંબઈમાં ચલચિત્રોનાં અભિનેત્રી અને બીજાં અહલ્યાબાઈ રેડિયોમાં ગાયિકા હોવાના લીધે અમીરબાઈ પંદર વર્ષની વયે કામ મેળવવા મુંબઈ આવ્યાં. સૌપ્રથમ ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ સંસ્થાએ એમની કવ્વાલીની…

વધુ વાંચો >

કર્ણાટકી સંગીત

Jan 11, 1992

કર્ણાટકી સંગીત : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મુખ્ય સ્વરૂપ. ભારતના દક્ષિણ તરફના પ્રદેશોમાં તે બહુ પ્રચલિત છે. તેનો સળંગ ઇતિહાસ પ્રાચીન છે. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ઉદગમ અને તેની પરંપરા સાથે કર્ણાટકી સંગીત ઘણી બાબતોમાં સામ્ય ધરાવતું હોવા છતાં રાગોનું માળખું, રજૂઆતની શૈલી તથા વિગતોની બાબતમાં તે ભિન્નતા ધરાવે છે.…

વધુ વાંચો >

કર્ણાવતી

Jan 11, 1992

કર્ણાવતી : ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ અગિયારમી સદીના અંતભાગમાં આશાપલ્લીના ભિલ્લ રાજા આશા ઉપર આક્રમણ કરી, એને હરાવી, વસાવેલી નગરી. પછી પોતે પણ ત્યાં રહ્યો. આ આક્રમણમાં એને જે જગ્યાએ ભૈરવદેવીના શુક્ધા થયેલા ત્યાં એણે કોછરવાદેવીનું મંદિર બંધાવ્યું. અમદાવાદ પાસે સાબરમતીની પશ્ચિમે આવેલા ‘કોચરબ’ પરામાં એ દેવીનું નામ જળવાયું…

વધુ વાંચો >