૪.૧૧

કરીમનગરથી કર્ણાવતી

કરીમનગર

કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ…

વધુ વાંચો >

કરુણપ્રશસ્તિ

કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…

વધુ વાંચો >

કરુણાદિ છોટોં માંગ્રો

કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું…

વધુ વાંચો >

કરુણા-મૃત્યુ

કરુણા-મૃત્યુ (euthanasia) : કષ્ટ વિનાનું મોત નિપજાવવું તે. અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ પર દયા લાવીને તેનું વહેલું મૃત્યુ નિપજાવવું તે. તે માટે દવાની મદદ કે અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે. એક વ્યક્તિનું આયુષ્ય તથા તેની પીડાનો આંક નક્કી કરવો અન્ય વ્યક્તિ માટે શક્ય ગણાતો નથી. વળી ઘણી વખત લાંબા સમયની…

વધુ વાંચો >

કરુણાલહરી

કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

કરેણ

કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે. તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં…

વધુ વાંચો >

કરોડરજ્જુ

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત…

વધુ વાંચો >

કરોળિયો

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કર્ક

કર્ક : મિથુન અને સિંહ રાશિની વચ્ચે આવેલી પીળી કરેણના ઊંધા ફૂલ આકારની રાશિ. આ રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેલું છે. ચોથા વર્ગથી વધુ ઝાંખા તારાની બનેલી આ રાશિની ખાસ વિશેષતા એની અંદર આવેલા M44ની સંજ્ઞાવાળા અવકાશી તારકગુચ્છની છે. નરી આંખે જોતાં આ ગુચ્છ પ્રકાશના ધાબા જેવો દેખાય છે, પણ નાના…

વધુ વાંચો >

કર્ક-નિહારિકા

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી. વાસ્તવમાં જેમાંથી તારા જન્મે…

વધુ વાંચો >

કર્ક પહેલો

Jan 11, 1992

કર્ક પહેલો (આઠમી સદી) : રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિંદ પહેલાનો પુત્ર. ગોવિંદનું વરાડમાં નાનું રાજ્ય (ઈ.સ. 690-710) હતું. શંકર સિવાય બીજા કોઈ દેવને ગોવિંદ વંદન કરતો નહિ, પણ કર્ક પહેલો વિષ્ણુનો ભક્ત હતો. તેના મોટા પુત્ર ઇન્દ્રે ચાલુક્ય રાજા ભવનાગની પુત્રીનું લગ્નમંડપમાંથી હરણ કરી તેની સાથે ‘રાક્ષસ’ વિધિથી લગ્ન કર્યું…

વધુ વાંચો >

કર્ક બીજો

Jan 11, 1992

કર્ક બીજો (નવમી સદી) : રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજનો જ્યેષ્ઠ પુત્ર. એ ‘કર્કરાજ સુવર્ણવર્ષ’ તરીકે ઓળખાતો. ઇન્દ્રરાજ પછી એ ‘લાટેશ્વર’ થયો. એની રાજધાની ખેડામાં હતી. એણે દાનમાં આપેલી ભૂમિ અંકોટ્ટક ચોર્યાસી, ભરુકચ્છ વિષય, મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ, નાગસારિકા વિભાગ અને માહિષક 42માં આવેલી હતી. એ મહાસામંતાધિપતિ કહેવાતો. એનાં ઈ.સ. 812થી ઈ.સ. 824નાં…

વધુ વાંચો >

કર્કવૃત્ત

Jan 11, 1992

કર્કવૃત્ત : પૃથ્વીના ગોળા પરનું 23o 30′ ઉત્તરે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે કર્કવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિન્દુથી ઉત્તર ગોળાર્ધ તરફનું 23o 30′ કોણીય અંતર ગણાય. કર્કવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની ઉત્તર સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુની પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની ધરીને કક્ષાની સપાટી…

વધુ વાંચો >

કર્ખનર – અર્ન્સ્ટ લુડવિગ

Jan 11, 1992

કર્ખનર, અર્ન્સ્ટ લુડવિગ (Kirchner, Ernst Ludwig) (જ. 6 મે 1880, આશાફેન્બર્ગ, (Aschaffenberg) બૅવેરિયા; અ. 15 જૂન 1938, ડાવોસ નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : અભિવ્યક્તિવાદી શૈલીમાં કામ કરનાર આધુનિક જર્મન ચિત્રકાર તથા ‘ડી બ્રૂક’ (Die Bru..cke) નામના ચિત્રકાર જૂથના સ્થાપક નેતાઓમાંના એક. તેમનાં ચિત્રો, તેમાં રજૂ થયેલ માનવોના મુખો પરના મનોવૈજ્ઞાનિક તણાવ અને…

વધુ વાંચો >

કર્ઝનરેખા

Jan 11, 1992

કર્ઝનરેખા : પહેલા વિશ્વયુદ્ધનો અંત (1918) અને બીજા વિશ્વયુદ્ધનો આરંભ(1939)ના સમયગાળા દરમિયાન પોલૅન્ડની પૂર્વ સરહદ આંકતી રેખા, જે દ્વારા પોલૅન્ડના લોકો અને પૂર્વ તરફના લોકો જેવા કે લિથુઆનિયા, બાયલોરશિયા અને યુક્રેનના લોકો વચ્ચે ભેદ પાડવામાં આવ્યો હતો. આ રેખા પહેલા વિશ્વયુદ્ધ પછી મળેલી પૅરિસ પરિષદમાં લૉર્ડ કર્ઝન દ્વારા નિયત કરવામાં…

વધુ વાંચો >

કર્ઝન લૉર્ડ

Jan 11, 1992

કર્ઝન, લૉર્ડ (જ. 11 જાન્યુઆરી 1859, કેલ્ડેસ્ટોન, ડર્બીશાયર; અ. 20 માર્ચ 1925, લંડન) : ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. (1898-1905). સત્તાકાળ દરમિયાન તેમણે બંગાળ પ્રાન્તના ભાગલા પાડીને સમગ્ર દેશમાં રાજકીય ઝંઝાવાત ઊભો કર્યો હતો. ભારત છોડ્યા પછી 1919-1923 દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા. આખું નામ જ્યૉર્જ નેથૅનિયલ કર્ઝન.…

વધુ વાંચો >

કર્ટન વૉલ

Jan 11, 1992

કર્ટન વૉલ : કાચ અને લોખંડની ફ્રેમથી બનેલી પડદા જેવી દીવાલ. તે મકાનને ચારેબાજુથી બાંધી દે છે પરંતુ તેનું વજન નથી ઝીલતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મકાનોના બાંધકામમાં લોખંડનો ઉપયોગ શરૂ થયો અને સાથે સાથે કર્ટન વૉલનું બાંધકામ પણ પ્રચલિત થયું. 1851માં લંડનમાં બંધાયેલ ક્રિસ્ટલ પૅલેસમાં પહેલી વ્યવસ્થિત કર્ટન વૉલ બંધાઈ.…

વધુ વાંચો >

કર્ટીઝ ઇમરે

Jan 11, 1992

કર્ટીઝ, ઇમરે (જ. 9 નવેમ્બર 1929, બુડાપેસ્ટ, હંગેરી, યુરોપ; અ. 31 માર્ચ 2016, બુડાપેસ્ટ, હંગેરી) : હંગેરિયનયહૂદી નવલકથાકાર. 2002ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમને હંગેરીમાંથી ઑશ્યવિડ્ઝ કૉન્સન્ટ્રેશન કૅમ્પ માટે લઈ જવાયા હતા. ઇતિહાસમાં જ્યાં જ્યાં આપખુદી ઊભી થઈ ત્યારે વ્યક્તિના નાજુક પણ મજબૂત અવાજના તેઓ પ્રતિનિધિ…

વધુ વાંચો >

કર્ણ

Jan 11, 1992

કર્ણ : વ્યાસકૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક પાત્ર. કુંતીનો સૂર્યથી ઉત્પન્ન પુત્ર. એકાન્તિક સૂર્યભક્ત. સૂત અધિરથ અને તેની પત્ની રાધાએ પુત્ર તરીકે ઉછેર્યો. દુર્યોધનનો ગાઢ મિત્ર અને મંત્રી. સુવર્ણના તાડ જેવો ઊંચો, સિંહ જેવો પ્રતિભાશાળી, દાનવીર, પરાક્રમી અને તેજસ્વી. કુંતીએ પિતૃગૃહે દુર્વાસાની પરિચર્યા કરી. પ્રસન્ન દુર્વાસાએ વશીકરણ-મંત્ર આપ્યો. કુંતીએ મંત્રની પ્રતીતિ…

વધુ વાંચો >

કર્ણ : જુઓ કાન

Jan 11, 1992

કર્ણ : જુઓ કાન.

વધુ વાંચો >