૨૨.૧૪

‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ)થી ‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી

‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ)

‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ) (જ. 27 જુલાઈ 1914, માણાવદર; અ. 9 એપ્રિલ 1972) : ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર. ‘સરોદ’ના ઉપનામથી તેમણે મુખ્યત્વે ભજન રચનાઓ અને અન્ય કેટલુંક ગદ્યલેખન કરેલું છે તથા ‘ગાફિલ’ના ઉપનામે ગઝલ-સર્જન કર્યું છે. તેમનો જન્મ માણાવદર ખાતે થયેલો. તેમના પિતા માણાવદરના દેશી રાજ્યના દીવાન હતા.…

વધુ વાંચો >

સરોવરો

સરોવરો : કુદરતી જળાશયો. બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલો જળરાશિ. ભૂપૃષ્ઠ પર કુદરતી રીતે તૈયાર થયેલા નાનામોટા પરિમાણવાળા ગર્ત કે ખાડામાં મીઠા કે ખારા પાણીથી ભરાયેલા જળરાશિને સરોવર કહે છે. મોટેભાગે તો તે બધી બાજુએથી બંધિયાર હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળઉમેરણ થતું રહે છે, તો…

વધુ વાંચો >

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા)

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા) : પ્રકાશ અને અંધકારનાં દૈનિક ચક્રોના ફેરફારના સંદર્ભમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા દર્શાવાતી તાલબદ્ધ (rhythmic) વર્તણૂક. ‘સર્કેડિયન’ લૅટિન ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ છે. તેનો અર્થ ‘લગભગ એક દિવસ’ (about one day) થાય છે. સર્કેડિયન તાલબદ્ધતાનાં ઉદાહરણોમાં પર્ણો અને દલપત્રોનું હલનચલન, પર્ણરંધ્ર(stomata)નું ખૂલવું અને બંધ થવું, પીલોબોલસ…

વધુ વાંચો >

સર્ગેસમ

સર્ગેસમ : સમુદ્રમાં વસવાટ ધરાવતી એક પ્રકારની બદામી હરિત લીલ. તેને ફિયોફાઇટા વિભાગમાં મૂકવામાં આવે છે. આ લીલના કોષોના હરિતકણોમાં ક્લૉરોફિલ-a, b-કૅરોટિન, વાયોલોઝેન્થિન, ફ્લેવોઝેન્થિન, લ્યૂટિન અને ફ્યુકોઝેન્થિન (C40H54O6) નામનાં રંજકદ્રવ્યો હોય છે. ફ્યુકોઝેન્થિનને કારણે તેનો સુકાય બદામી રંગનો લાગે છે. ખોરાક-સંગ્રહ મેનિટોલ અને લેમિનેરિન સ્વરૂપે થાય છે. સર્ગેસમની 150 જેટલી…

વધુ વાંચો >

સર્ચ કૉનેલિયા

સર્ચ કૉનેલિયા (જ. 23 ઑક્ટોબર 1966, જેના, જર્મની) : તરણનાં જર્મનીનાં મહિલા ખેલાડી. 1982માં પ્રથમ વિશ્વવિજયપદકનાં વિજેતા બન્યાં ત્યારે તેઓ કેવળ 15 વર્ષનાં હતાં. 200 મીટર બૅકસ્ટ્રોકની સ્પર્ધામાં તેઓ તેમની પછીના સ્પર્ધકથી 5 સેકન્ડ આગળ નીકળી ગયાં હતાં. તેમનો એ વિશ્વવિક્રમ 2 : 09.91નો હતો. ફરીથી તેઓ આ સમય પાર…

વધુ વાંચો >

સર્જકતા (creativity)

સર્જકતા (creativity) : સાહિત્ય, કળાઓ કે વૈજ્ઞાનિક કે અન્ય કાર્યોમાં નવાં સ્વરૂપો ઉપજાવવાની અથવા સમસ્યાઓને નવી પદ્ધતિઓ વડે ઉકેલવાની શક્તિ. સર્જક વ્યક્તિ પરિસ્થિતિની આગવી સમજ મેળવે છે અને તે માટેનો માત્ર નવો જ નહિ પણ નવો અને સુયોગ્ય (બંધબેસતો) ઉકેલ લાવે છે. તે જ્ઞાનેન્દ્રિયો વડે મળતી પ્રત્યક્ષ માહિતીનું પોતાના આગવા…

વધુ વાંચો >

સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર)

સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર) : આયાત- પસંદગીનો કરાર કરનારા બે દેશો પૈકી એક દેશનો નિકાસકાર બીજા દેશના આયાતકારને માલ નિકાસ કરે ત્યારે માલ નિકાસ કરનારના દેશમાં જ બનેલો છે તેવું નિકાસકારે આયાતકારને આપવું પડતું પ્રમાણપત્ર. વિશ્વ વ્યાપારી સંગઠનની શરતો અમલમાં આવવા માંડી છે તેથી વૈશ્વિક વ્યાપાર મુક્ત થવાની…

વધુ વાંચો >

સર્પગંધા

સર્પગંધા દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia serpentina Benth. ex Kurz. (સં. સર્પગંધા, ચંદ્રિકા; હિં. ચંદ્રભાગા, છોટા ચાંદ; બં. ચંદ્ર; મ. હરકાયા, હાર્કી; તે. પાતાલગની, પાતાલગરુડ; તા. ચિવન અમેલ્પોડી; ક. સર્પગંધી, પાતાલગંધી; ગુ. સર્પગંધા; અં. રાઉલ્ફિયા રૂટ, સર્પેન્ટીન રૂટ; વ્યાપાર-નામ રાઉલ્ફિયા) છે. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

સર્પશિરા (varicose veins)

સર્પશિરા (varicose veins) : શિરામાં વધેલા દબાણથી તે અનિયમિત રીતે ફૂલે તથા પહોળી થાય તેવો વિકાર. તે બહુ સામાન્ય (common) વિકાર છે, જે વધતી ઉંમર સાથે વધે છે. સૌથી વધુ તે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેઓમાં સગર્ભાવસ્થા સમયે શિરાઓ પર આવેલા દબાણને કારણે ઉદ્ભવે છે. અસરગ્રસ્ત શિરા મોટી થઈ જાય…

વધુ વાંચો >

સર્પાકાર વહન (meandering)

સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન…

વધુ વાંચો >

સર્પેન્ટાઇન

Jan 14, 2007

સર્પેન્ટાઇન : એક પ્રકારનું ખડકનિર્માણ ખનિજ તથા તે જ નામ ધરાવતો, તે જ ખનિજથી બનેલો ખડક. ખનિજ : ચીકાશવાળું સ્પર્શલક્ષણ ધરાવતું, સામાન્યત: દળદાર, આછા લીલા રંગનું ખનિજ. તેનું રાસાયણિક બંધારણ 3MgO્ર2SiO2્ર2H2O હોય છે. તે એક પડગુંફિત (layer latticed mineral) પ્રકારનું ખનિજ ગણાય છે. આ જ નામ હેઠળ તદ્દન ઓછા તફાવતવાળાં…

વધુ વાંચો >

સર્બિયા

Jan 14, 2007

સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું…

વધુ વાંચો >

સર્વજનસંકલ્પ (General will)

Jan 14, 2007

સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે. સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર…

વધુ વાંચો >

સર્વધર્મસમભાવ

Jan 14, 2007

સર્વધર્મસમભાવ : વિવિધ ધર્મોને સમાન ગણી તેમાંનાં શ્રેષ્ઠ તત્ત્વોના સમન્વયથી ઉદ્ભવતી વિભાવના, જેની રાજકીય અભિવ્યક્તિ બિનસાંપ્રદાયિકતાના રૂપમાં ભારતીય બંધારણે માન્ય રાખી છે. ગાંધીજીના એકાદશ વ્રતોમાંનું એક વ્રત, સમન્વય : ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ ધ્યેય. આર્યોએ ભારતવર્ષમાં આવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, ત્યારે આ દેશમાં કેટલીક જાતિઓ રહેતી હતી. આર્યોના આગમન બાદ નિગ્રોથી…

વધુ વાંચો >

સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી

Jan 14, 2007

સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી : દેશને માટે જીવન સમર્પણ કરે એવા માણસોને તાલીમ આપવાના હેતુથી ગોપાળ કૃષ્ણ ગોખલેએ 12 જૂન, 1905ના રોજ સ્થાપેલી સંસ્થા. તેના હેતુઓ ગોખલે દ્વારા પાછળથી વિકસિત કરવામાં આવ્યા હતા. લોકોમાં ઉદાહરણ દ્વારા અને ઉપદેશ આપીને માતૃભૂમિ માટે ઊંડી અને ઉત્કટ ભક્તિ પેદા કરવી, જેથી તેને માટે…

વધુ વાંચો >

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law)

Jan 14, 2007

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law) : હૃદયના સ્નાયુને કોઈ પણ અધિતીવ્રતા(intensity)વાળી ઉત્તેજના (stimulus) આપવામાં આવે ત્યારે તે ક્યાંક પૂર્ણ કક્ષાએ સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી, તેને સર્વ વા શૂન્યનો નિયમ કહે છે. તેને બોવ્ડિચ(Bowditch)નો નિયમ પણ કહે છે. તે દર્શાવે છે કે સક્ષમ પણ દુર્બલતમ (સૌથી ઓછા બળવાળી)…

વધુ વાંચો >

સર્વસત્તાવાદ

Jan 14, 2007

સર્વસત્તાવાદ : રાજ્યને સર્વેસર્વા માનતી અને તેના કાર્યક્ષેત્રમાં અન્ય તમામ બાબતોને સમાવી લેતી વિચારધારા. ચિંતનની દૃષ્ટિએ સર્વસત્તાવાદ આદર્શવાદનો એક ફાંટો છે. ફ્રેંચ ક્રાંતિ પછી યુરોપમાં તાકાતની આરાધનાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જર્મની જેવો વેરવિખેર દેશ મજબૂત અને શક્તિશાળી બનવા ઉત્સુક હતો. ત્યારે ઇમૅન્યુઅલ કાંટ જેવા વિચારકોએ સર્વસત્તાવાદને પોષક વિચારો પૂરા પાડ્યા…

વધુ વાંચો >

સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત)

Jan 14, 2007

સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત) : ભારતના સંદર્ભમાં જોતાં, નીચેના ખડકપ્રકારો વિશેષ પ્રમાણમાં મળે છે : (1) ગ્રૅનાઇટ : હિમાલય હારમાળા, અરવલ્લી હારમાળા (માઉન્ટ આબુ) તથા પૂર્વઘાટના વિસ્તારોમાં આ ખડકપ્રકાર વિપુલ પ્રમાણમાં મળે છે. તેમના બંધારણમાં ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, મસ્કોવાઇટ અને થોડા પ્રમાણમાં હૉર્નબ્લેન્ડ હોય છે. બાંધકામમાં તે સુશોભન હેતુઓ માટે…

વધુ વાંચો >

સર્વાર્થચિંતામણિ

Jan 14, 2007

સર્વાર્થચિંતામણિ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો વ્યંકટેશ દૈવજ્ઞે રચેલો ગ્રંથ. આ ગ્રંથ ફળ-જ્યોતિષનું નિરૂપણ કરે છે. અઢાર અધ્યાયોના બનેલા આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષશાસ્ત્રની સંજ્ઞાઓ આપી જન્મકુંડળીના બાર ભાવોનું પ્રથમ બાર અધ્યાયોમાં ક્રમ મુજબ નિરૂપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવમા ભાવમાં વિવિધ રાજયોગો સમાવવામાં આવ્યા છે. દસમા ભાવમાં એ જ રીતે આયુષ્યયોગો,…

વધુ વાંચો >

સર્વાસ્તિવાદ

Jan 14, 2007

સર્વાસ્તિવાદ : બૌદ્ધ ધર્મનો સાંપ્રદાયિક સિદ્ધાન્ત. બુદ્ધનિર્વાણ પછી લગભગ 140 વર્ષે બુદ્ધસંઘના બે ભાગ પડી ગયા  મહાસાંઘિક અને સ્થવિરવાદ. મહાસાંઘિક ઉદારપંથીઓનું જૂથ હતું અને સ્થવિરવાદ અનુદારપંથીઓનું. આ સંઘભેદ પછી 100થી 130 વર્ષમાં સ્થવિરવાદની અનેક ઉપશાખાઓ થઈ. તેમાંની એક સર્વાસ્તિવાદ છે. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર – તેનાં…

વધુ વાંચો >