૨૨.૧૨

સરગવોથી સરશાહ, પંડિત રતનનાથ

સરગવો

સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી…

વધુ વાંચો >

સરગુજા

સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ…

વધુ વાંચો >

સરગોધા (Sargodha)

સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે.. વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ…

વધુ વાંચો >

સરચાર્જ (અધિભાર)

સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને…

વધુ વાંચો >

સરજૂ-ગાન

સરજૂ–ગાન : સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારીઓમાં ગાવામાં આવતાં શક્તિસ્તોત્રો માંહેનો એક પ્રકાર. આ જાતિ-જ્ઞાતિમાં નવરાત્રિના સમયે તથા શેલણ/છેલણ, કળશ અને પૂજ જેવી બાધાની વિધિઓના સમયે શક્તિસ્તોત્રનો વિશિષ્ટ પ્રકાર ઊંચા અને આંદોલિત સ્વરે ગવાય છે અને તે ગાનરચનાના પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે હા-હે-હો જેવા બીજમંત્રરૂપ અક્ષરો ઉમેરીને…

વધુ વાંચો >

સરદારખાન

સરદારખાન (જ. ?; અ. 1684, નગરઠઠ્ઠા, સિંધ–પાકિસ્તાન) : ઔરંગઝેબના સમયમાં ભરૂચનો અને તે પછી સોરઠનો ફોજદાર. તે ઔરંગઝેબનો માનીતો સરદાર હતો. તેના કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ઘણું માન હતું. મહાબતખાનના સમયમાં (ઈ. સ. 1662-68) ઈડર પરગણામાં માથાભારે કોળીઓ તથા બંડખોર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી તે ઉપદ્રવને કચડી…

વધુ વાંચો >

સરદારખાનનો રોજો

સરદારખાનનો રોજો : અમદાવાદમાં ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલો, ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનનો રોજો. આ રોજામાં સરદારખાને જાતે બંધાવેલી મસ્જિદ તથા મકબરાનો સમાવેશ થાય છે. આ બંને ઇમારતો તેણે તેના અમદાવાદના નિવાસ દરમિયાન ઈ. સ. 1603 પહેલાં બંધાવી હતી. ઈ. સ. 1684માં…

વધુ વાંચો >

સરદારગઢ

સરદારગઢ : જૂના જૂનાગઢ રાજ્યનો પાંચમા વર્ગનો એક તાલુકો અને એ નામનું ગામ. મૂળ જૂનાગઢના નવાબના ભાયાત મુખત્યારખાને બાંટવામાંથી પોતાનો હિસ્સો મેળવી ગીદડ નામના ગામમાં વસવાટ કર્યો (1898), જે પછી ‘સરદારગઢ’ તરીકે ઓળખાયું. સૌરાષ્ટ્રના જે નાનાં દેશી રાજ્યો ને તાલુકાઓ બ્રિટિશ એજન્સીની સીધી દેખરેખ હેઠળ હતાં, તેને પ્રથમ વર્ગના રાજાઓ-રાજ્યો…

વધુ વાંચો >

સરદાર પટેલ ઍવૉર્ડ

સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી

સરદાર પટેલ યુનિવર્સિટી : સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 31મી ઑક્ટોબર, 1955 એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કરવામાં આવી હતી અને યુનિવર્સિટી સાથે દેશના મહાન સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આ શુભ દિવસે જ જોડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલાં ભાઈકાકા (ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ) અને ભીખાકાકા(ભીખાભાઈ કુબેરભાઈ…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ

Jan 12, 2007

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ : વલ્લભવિદ્યાનગરમાં આવેલું સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુહેતુલક્ષી મ્યુઝિયમ. ચારુતર વિદ્યામંડળના ઉપક્રમે ભાઈકાકાએ (ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલે) આ મ્યુઝિયમની સ્થાપના 1949માં કરી હતી. તેના પ્રથમ ક્યુરેટર અમૃત વસંત પંડ્યાએ 1949થી 1969 સુધી આ મ્યુઝિયમનો કાર્યભાર સંભાળી તેમાં પ્રદર્શિત જણસોનું જતન કરવાની સાથે તેમના વિશે સંશોધન કર્યું હતું. 1960ના…

વધુ વાંચો >

સરદાર પટેલ સ્ટેડિયમ

Jan 12, 2007

સરદાર પટેલ સ્ટેડિયમ : ભારતનાં સારા ગણાતાં સ્ટેડિયોમાંનું એક. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં આવેલું છે. તેની સ્થાપના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ ક્રિકેટ મંડળના સંયુક્ત પ્રયાસોથી લાંબી અવધિના ક્રમિક વિકાસપૂર્વક થઈ. સ્વતંત્રતા પૂર્વે દેશમાં ક્રિકેટની રમતમાં નજીવી રુચિ હતી. સ્વતંત્રતા સાથે ભારતે પશ્ચિમી સંસ્કૃતિના વિકાસનો માર્ગ પસંદ કર્યો. પરદેશોની ક્રિકેટ-ટુકડીઓ આવતી થઈ.…

વધુ વાંચો >

સરદાર પૃથ્વીસિંહ

Jan 12, 2007

સરદાર પૃથ્વીસિંહ : જુઓ આઝાદ પૃથ્વીસિંહ.

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

Jan 12, 2007

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરત ખાતે મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ. હાલમાં તે સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1890માં સૂરતના તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી. મૂળમાં રાણી બાગ (હવે ગાંધી બાગ) પાસે મક્કાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ હતું; જેને 1952માં તાપી નદીના પૂરના પાણીથી બચાવવા…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય

Jan 12, 2007

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય : સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપનું અમદાવાદમાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના…

વધુ વાંચો >

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના

Jan 12, 2007

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના : નર્મદા નદીનાં નીર વડે ગુજરાતના વિકાસનો ધોધ વહાવતી, ભારતની વિશાળ જળસંસાધન વિકાસ-યોજનાઓ પૈકીની ગુજરાતમાં આવેલી એક યોજના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં ભારતનાં પશ્ચિમી રાજ્યો માટેની સંયુક્ત સાહસરૂપ બહુહેતુક યોજના. આ માટેનો મુખ્ય બંધ ગુજરાતમાં નર્મદા નદી પર કેવડિયા ખાતે આવેલો છે. સરદાર…

વધુ વાંચો >

સરદેશમુખ ત્ર્યંબક વિનાયક

Jan 12, 2007

સરદેશમુખ, ત્ર્યંબક વિનાયક (જ. 1919, અક્કાલકોટ, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ડાંગોરા : એકા નગરીચા’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.ટી.ની ડિગ્રી મેળવ્યા બાદ હાઈસ્કૂલ તથા કૉલેજ કક્ષાએ 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સેવાનિવૃત્ત થયા. તેઓ…

વધુ વાંચો >

સરદેશમુખી

Jan 12, 2007

સરદેશમુખી : જુઓ ચોથ અને સરદેશમુખી.

વધુ વાંચો >

સરદેસાઈ, ગોવિંદ સખારામ

Jan 12, 2007

સરદેસાઈ, ગોવિંદ સખારામ (જ. 17 મે 1865, હાસોલ, જિ. રત્નાગિરી, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર 1959) : મહાન મરાઠી ઇતિહાસકાર, તેમણે 1884માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની અને 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેઓ 1 જાન્યુઆરી 1889થી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રીડર તરીકે જોડાયા. તે પછી તેઓ રાજકુમારોના ટ્યૂટર અને…

વધુ વાંચો >

સરદેસાઈ, દિલીપ

Jan 12, 2007

સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે…

વધુ વાંચો >