૨૨.૧૨

સરગવોથી સરશાહ, પંડિત રતનનાથ

સરગવો

સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી…

વધુ વાંચો >

સરગુજા

સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ…

વધુ વાંચો >

સરગોધા (Sargodha)

સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે.. વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ…

વધુ વાંચો >

સરચાર્જ (અધિભાર)

સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને…

વધુ વાંચો >

સરજૂ-ગાન

સરજૂ–ગાન : સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારીઓમાં ગાવામાં આવતાં શક્તિસ્તોત્રો માંહેનો એક પ્રકાર. આ જાતિ-જ્ઞાતિમાં નવરાત્રિના સમયે તથા શેલણ/છેલણ, કળશ અને પૂજ જેવી બાધાની વિધિઓના સમયે શક્તિસ્તોત્રનો વિશિષ્ટ પ્રકાર ઊંચા અને આંદોલિત સ્વરે ગવાય છે અને તે ગાનરચનાના પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે હા-હે-હો જેવા બીજમંત્રરૂપ અક્ષરો ઉમેરીને…

વધુ વાંચો >

સરદારખાન

સરદારખાન (જ. ?; અ. 1684, નગરઠઠ્ઠા, સિંધ–પાકિસ્તાન) : ઔરંગઝેબના સમયમાં ભરૂચનો અને તે પછી સોરઠનો ફોજદાર. તે ઔરંગઝેબનો માનીતો સરદાર હતો. તેના કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ઘણું માન હતું. મહાબતખાનના સમયમાં (ઈ. સ. 1662-68) ઈડર પરગણામાં માથાભારે કોળીઓ તથા બંડખોર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી તે ઉપદ્રવને કચડી…

વધુ વાંચો >

સરદારખાનનો રોજો

સરદારખાનનો રોજો : અમદાવાદમાં ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલો, ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનનો રોજો. આ રોજામાં સરદારખાને જાતે બંધાવેલી મસ્જિદ તથા મકબરાનો સમાવેશ થાય છે. આ બંને ઇમારતો તેણે તેના અમદાવાદના નિવાસ દરમિયાન ઈ. સ. 1603 પહેલાં બંધાવી હતી. ઈ. સ. 1684માં…

વધુ વાંચો >

સરદારગઢ

સરદારગઢ : જૂના જૂનાગઢ રાજ્યનો પાંચમા વર્ગનો એક તાલુકો અને એ નામનું ગામ. મૂળ જૂનાગઢના નવાબના ભાયાત મુખત્યારખાને બાંટવામાંથી પોતાનો હિસ્સો મેળવી ગીદડ નામના ગામમાં વસવાટ કર્યો (1898), જે પછી ‘સરદારગઢ’ તરીકે ઓળખાયું. સૌરાષ્ટ્રના જે નાનાં દેશી રાજ્યો ને તાલુકાઓ બ્રિટિશ એજન્સીની સીધી દેખરેખ હેઠળ હતાં, તેને પ્રથમ વર્ગના રાજાઓ-રાજ્યો…

વધુ વાંચો >

સરદાર પટેલ ઍવૉર્ડ

સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી

સરદાર પટેલ યુનિવર્સિટી : સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 31મી ઑક્ટોબર, 1955 એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કરવામાં આવી હતી અને યુનિવર્સિટી સાથે દેશના મહાન સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આ શુભ દિવસે જ જોડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલાં ભાઈકાકા (ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ) અને ભીખાકાકા(ભીખાભાઈ કુબેરભાઈ…

વધુ વાંચો >

સરવટે, સી. ટી.

Jan 12, 2007

સરવટે, સી. ટી. (જ. 22 જુલાઈ 1920, સાગર – મહાકોશલ (મધ્યપ્રદેશ); અ. 23 ડિસેમ્બર 2003, ઇંદોર-મધ્યપ્રદેશ) : ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ઑલ રાઉન્ડર; સલામી બલ્લેબાજ; રાષ્ટ્રીય સ્તરની સિનિયર અને જુનિયર ટીમોની પસંદગી સમિતિના પૂર્વ સભ્ય; આકાશવાણી તથા દૂરદર્શન પર ટેસ્ટ શ્રેણીઓના પૂર્વ કૉમેન્ટેટર; ક્રિકટ-સમીક્ષક તથા જાણીતા હસ્તાક્ષર-નિષ્ણાત. આખું નામ…

વધુ વાંચો >

સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ

Jan 12, 2007

સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ (જ. 29 સપ્ટેમ્બર 1547, અલ્કેલા દ હેનાર્સ, સ્પેન; અ. 23 એપ્રિલ 1616, મૅડ્રિડ) : સ્પેનના નવલકથાકાર, કવિ અને નાટ્યકાર. તેમની જગપ્રસિદ્ધ નવલકથા ‘દૉન કિહોતે’ મધ્યકાલીન યુગના જમીનદારના સાહસિક જીવનને નિરૂપે છે. બખ્તર પહેરીને જગતમાં પ્રવર્તમાન અન્યાય સામે તે બળવો પોકારે છે. જગતના નવલકથાસાહિત્ય પર તેની પ્રબળ…

વધુ વાંચો >

સરશાહ, પંડિત રતનનાથ

Jan 12, 2007

સરશાહ, પંડિત રતનનાથ (જ. 1845, લખનઉ; અ. 1902, હૈદરાબાદ) : ઉર્દૂના ઉત્તમ નવલકથાકાર અને અનુવાદક. લખનૌ કેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ ડિગ્રી પ્રાપ્ત ન કરી. રજબઅલી સરૂર જ્યારે ગદ્યલેખક તરીકે અતિ ખ્યાતનામ હતા ત્યારે સરશાહની સાહિત્યિક કારકિર્દી શરૂ થઈ હતી. તેમણે સરૂરની પરંપરા તોડી અને નવી ગદ્યશૈલી લખનૌના અવધપંચ સાથે…

વધુ વાંચો >