૨૨.૧૧

સમુદ્ર-સ્નાન (1970)થી સરખેજ

સમુદ્ર-સ્નાન (1970)

સમુદ્ર–સ્નાન (1970) : ઊડિયા કવિ ગુરુપ્રસાદ મોહંતી(જ. 1924) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આધુનિક ઊડિયા કવિતામાં તે મહત્ત્વનું ઉમેરણ લેખાય છે. આ કાવ્યસંગ્રહમાં 19 કાવ્યો છે, તેમાંથી પ્રથમ 10 પ્રણયને લગતાં છે. આ કાવ્યોમાં ગૂંથાયેલી પ્રણયભાવના ભાવો અને વિચારોની ગ્રંથિ તરીકે લેખાઈ છે;…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન) : સમુદ્રમાં હાલમડોલમ થતા પહોળા જહાજ પર સંતુલન અંગેની વિષમતા ઉદ્ભવે ત્યારે પેદા થતી તકલીફવાળી અવસ્થા. તે એક પ્રકારે ચાલતા વાહનમાં થતા ગતિજન્ય વ્યાધિ (motion sickness) જેવી જ સ્થિતિ છે. તેમાં કાનની અંદરના ભાગમાં આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી એવી સ્થિતિ ઉદ્ભવે છે. દર્દીને…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર…

વધુ વાંચો >

સમુદ્રીય પોપડો

સમુદ્રીય પોપડો : જુઓ પૃથ્વી.

વધુ વાંચો >

સમૂહ-ઉત્પાદન

સમૂહ-ઉત્પાદન : જુઓ સ્વયંસંચાલન.

વધુ વાંચો >

સમૂહ-ભાવન

સમૂહ–ભાવન : રેડિયો, ટીવી, ફિલ્મ, મુદ્રણ વગેરે સમૂહ-પ્રત્યાયનનાં માધ્યમોનાં સઘળાં લક્ષણોના પરિચયથી માંડી એમના કલાત્મક મનોરંજનાત્મક ઉપયોગ કરવા સુધીની સમજણ (appreciation). રેડિયોમાં નિર્માણ અને પ્રસારણમાં સમય, તો ટીવીના નિર્માણ અને પ્રસારણના કેન્દ્રમાં સ્થળ અને સમય બંને છે. આધુનિક યંત્રવિદ્યા સ્થળ અને સમયનાં બંધનો પાર કરી વિશ્વના કોઈ પણ ખૂણે તત્ક્ષણ…

વધુ વાંચો >

સમૂહમાધ્યમો

સમૂહમાધ્યમો : વિશાળ લોકસમુદાય સુધી જ્ઞાન, માહિતી કે મનોરંજનનું પ્રત્યાયન કરતાં સાધનો. જ્ઞાન, માહિતી કે મનોરંજનની આપ-લે માનવી મુખોપમુખ અને જાતે કરતો. પછી એનો સંગ્રહ હસ્તપ્રતોથી થતો; પરંતુ પહેલી વાર લિપિને કોતરીને બ્લૉકથી એનું મુદ્રણ શરૂ થયું અને એ રીતે પ્રથમ પુસ્તક તૈયાર થયું. એકથી વધુ લોકો સુધી એની પ્રતો…

વધુ વાંચો >

સમૂહ-સંક્રમણ (mass flow)

સમૂહ–સંક્રમણ (mass flow) : વનસ્પતિમાં આયનો અને ચયાપચયકો(metabolites)ના વહનની સમજૂતી માટે આપવામાં આવેલી સંકલ્પનાઓ. બંને પ્રકારના પદાર્થો માટે આપવામાં આવેલી આ સંકલ્પનાઓ જુદી જુદી છે. આયનોનું સમૂહ–સંક્રમણ : કેટલાક સંશોધકોની માન્યતા મુજબ વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીના થતા સમૂહ-સંક્રમણ સાથે આયનો વહન પામે છે. આ સંકલ્પના મુજબ ઉત્સ્વેદન(transpiration)માં વધારો થતાં આયનોના…

વધુ વાંચો >

સમૂહો (groups)

સમૂહો (groups) : એક ગણ પર વિશેષ ગુણધર્મોવાળી દ્વિક્ક્રિયા દાખલ કરવાથી મળતું અતિઉપયોગી બીજગાણિતિક માળખું. ચિત્રકારો, સ્થપતિઓ અને વિશેષ કરીને ભૌતિકશાસ્ત્રીઓ તથા રસાયણશાસ્ત્રીઓ વિવિધ પ્રકારના સમમિત (symmetric) સમૂહો તથા તેમના ગુણધર્મોનો ઉપયોગ સદીઓથી કરતા હતા, છતાં પણ સમૂહની ગાણિતિક વ્યાખ્યા 1882માં સૌપ્રથમવાર ગણિતશાસ્ત્રીઓ હેનરીચ વેબર (Heinrich Weber) તથા વૉલ્ટર વૉન…

વધુ વાંચો >

સમૂળી ક્રાંતિ (1948)

સમૂળી ક્રાંતિ (1948) : સ્વતંત્ર ભારતને સાચા અર્થમાં એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી 1948માં પ્રગટ થયેલું કિશોરલાલ મશરૂવાળાનું એક બહુ જાણીતું પુસ્તક. સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓના આધાર પર ભારત એક વિભાજિત દેશ છે. તે સાથે તે એક ગરીબ દેશ પણ છે. આ બધા ભેદભાવોને ટાળીને દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા…

વધુ વાંચો >

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ

Jan 11, 2007

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ : અમદાવાદ નજીક કોબા ખાતે આવેલું પ્રાચીન હસ્તપ્રતોનું મ્યુઝિયમ. 1980ના ડિસેમ્બરની છવ્વીસમીએ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થયેલી. આ મ્યુઝિયમમાં 3,000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે. આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ અને હાથીદાંતમાંથી કંડારેલી કોતરણીઓ…

વધુ વાંચો >

સયાજીરાવ ગાયકવાડ-3 (સર)

Jan 11, 2007

સયાજીરાવ ગાયકવાડ-3 (સર) : જુઓ ગાયકવાડ વંશ.

વધુ વાંચો >

સયાજીવિજય

Jan 11, 2007

સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત…

વધુ વાંચો >

સયામનો અખાત

Jan 11, 2007

સયામનો અખાત : થાઇલૅન્ડની દક્ષિણે આવેલો અખાત. અગાઉ તે સિયામના અખાત તરીકે ઓળખાતો હતો. તે દક્ષિણ ચીની સમુદ્રનો ફાંટો છે અને તેની સીમા પર ઉત્તરે થાઇલૅન્ડ, કામ્પુચિયા (કમ્બોડિયા) અને ઈશાન તરફ વિયેટનામ આવેલાં છે. તેની લંબાઈ 720 કિમી. અને પહોળાઈ 500થી 560 કિમી. જેટલી છે. તેના મથાળે તેમો ચાઓ ફ્રાયા…

વધુ વાંચો >

સરકસ

Jan 11, 2007

સરકસ : અંગ-કસરતના સાહસિક દાવ કરનારાઓ, પાલતુ અને જંગલી પશુઓના ખેલ કરનારાઓ તથા વિદૂષકોની, લોકરંજન માટે વ્યાવસાયિક ધોરણે ઊભી કરવામાં આવેલી હરતીફરતી મંડળી. સરકસની શરૂઆત થઈ તે ગાળામાં તેના ખેલ ઘોડેસવારીના ખેલ પૂરતા જ મર્યાદિત હતા અને તે ખેલ પાકાં મકાનોના અંદરનાં ગોળાકાર મેદાનોની મધ્યમાં કરવામાં આવતાં; મધ્યમાં એટલા માટે…

વધુ વાંચો >

સરકાર

Jan 11, 2007

સરકાર : રાજ્યનું એક અંગ તથા માનવજાતને વ્યવસ્થા પૂરી પાડતી સૌથી જૂની તથા સૌથી અગત્યની સંસ્થા. એકલદોકલ જીવન જીવતા માનવમાંથી સામૂહિક જીવનની શરૂઆત થતાં સમુદાય માટે કોઈ ને કોઈ પ્રકારના નિયમોની જરૂર ઊભી થઈ. આથી પ્રાથમિક સમાજોએ તેમનું સુવ્યવસ્થિત કે કાચુંપાકું વ્યવસ્થાનું માળખું ઊભું કર્યું ત્યારથી સરકારનો આરંભ થયો. સમાજની…

વધુ વાંચો >

સરકાર, જદુનાથ (સર)

Jan 11, 2007

સરકાર, જદુનાથ (સર) (જ. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; અ. 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

સરકાર, દિનેશચંદ્ર

Jan 11, 2007

સરકાર, દિનેશચંદ્ર [જ. 8 જૂન 1907, કૃષ્ણનગર (જિ. ફરીદપુર, બાંગ્લાદેશ); અ. 10 જાન્યુઆરી 1985] : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ અને પ્રાચીન લિપિવિદ તથા સિક્કાશાસ્ત્રી. પિતાનું નામ યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી. 1925માં ફરીદપુર જિલ્લાની શાળામાંથી મૅટ્રિક્યુલેશન પાસ કરી. 1929માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે…

વધુ વાંચો >

સરકાર, બાદલ

Jan 11, 2007

સરકાર, બાદલ (જ. 1925) : બંગાળના જાણીતા નાટ્યકાર, નટ-દિગ્દર્શક, નાટ્યવિદ. મૂળ નામ સુધીન્દ્ર. વ્યવસાયનો આરંભ સિવિલ એન્જિનિયર તરીકે; પરંતુ કલાના રસને લીધે તેમણે નાટ્યલેખન અને પછી નાટ્યસર્જક તરીકે પ્રદાન કર્યું. 1967 સુધી પોતાની ‘ચક્ર’ નાટ્યસંસ્થા દ્વારા દર વર્ષે એક કૉમેડી નાટકનું લેખન અને પ્રસ્તુતિ એ કરતા, પણ એનો એકથી વધુ…

વધુ વાંચો >

સરકાર, બી. એન.

Jan 11, 2007

સરકાર, બી. એન. (જ. 5 જુલાઈ 1901, ભાગલપુર; અ. 28 નવેમ્બર 1981) : ચલચિત્રસર્જક. કોલકાતામાં ફિલ્મઉદ્યોગને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બીરેન્દ્રનાથ સરકાર બંગાળના ઍડવૉકેટ જનરલ એન. એન. સરકારના પુત્ર હતા. લંડન યુનિવર્સિટીમાં તેમણે ઇજનેરી શિક્ષણ મેળવ્યું હતું. પણ નાટકો અને ચિત્રોના શોખને કારણે તેઓ ઇજનેરીના ક્ષેત્રે જવાને બદલે ચલચિત્ર-ઉદ્યોગ…

વધુ વાંચો >