૨૨.૧૧

સમુદ્ર-સ્નાન (1970)થી સરખેજ

સમુદ્ર-સ્નાન (1970)

સમુદ્ર–સ્નાન (1970) : ઊડિયા કવિ ગુરુપ્રસાદ મોહંતી(જ. 1924) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આધુનિક ઊડિયા કવિતામાં તે મહત્ત્વનું ઉમેરણ લેખાય છે. આ કાવ્યસંગ્રહમાં 19 કાવ્યો છે, તેમાંથી પ્રથમ 10 પ્રણયને લગતાં છે. આ કાવ્યોમાં ગૂંથાયેલી પ્રણયભાવના ભાવો અને વિચારોની ગ્રંથિ તરીકે લેખાઈ છે;…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન) : સમુદ્રમાં હાલમડોલમ થતા પહોળા જહાજ પર સંતુલન અંગેની વિષમતા ઉદ્ભવે ત્યારે પેદા થતી તકલીફવાળી અવસ્થા. તે એક પ્રકારે ચાલતા વાહનમાં થતા ગતિજન્ય વ્યાધિ (motion sickness) જેવી જ સ્થિતિ છે. તેમાં કાનની અંદરના ભાગમાં આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી એવી સ્થિતિ ઉદ્ભવે છે. દર્દીને…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર…

વધુ વાંચો >

સમુદ્રીય પોપડો

સમુદ્રીય પોપડો : જુઓ પૃથ્વી.

વધુ વાંચો >

સમૂહ-ઉત્પાદન

સમૂહ-ઉત્પાદન : જુઓ સ્વયંસંચાલન.

વધુ વાંચો >

સમૂહ-ભાવન

સમૂહ–ભાવન : રેડિયો, ટીવી, ફિલ્મ, મુદ્રણ વગેરે સમૂહ-પ્રત્યાયનનાં માધ્યમોનાં સઘળાં લક્ષણોના પરિચયથી માંડી એમના કલાત્મક મનોરંજનાત્મક ઉપયોગ કરવા સુધીની સમજણ (appreciation). રેડિયોમાં નિર્માણ અને પ્રસારણમાં સમય, તો ટીવીના નિર્માણ અને પ્રસારણના કેન્દ્રમાં સ્થળ અને સમય બંને છે. આધુનિક યંત્રવિદ્યા સ્થળ અને સમયનાં બંધનો પાર કરી વિશ્વના કોઈ પણ ખૂણે તત્ક્ષણ…

વધુ વાંચો >

સમૂહમાધ્યમો

સમૂહમાધ્યમો : વિશાળ લોકસમુદાય સુધી જ્ઞાન, માહિતી કે મનોરંજનનું પ્રત્યાયન કરતાં સાધનો. જ્ઞાન, માહિતી કે મનોરંજનની આપ-લે માનવી મુખોપમુખ અને જાતે કરતો. પછી એનો સંગ્રહ હસ્તપ્રતોથી થતો; પરંતુ પહેલી વાર લિપિને કોતરીને બ્લૉકથી એનું મુદ્રણ શરૂ થયું અને એ રીતે પ્રથમ પુસ્તક તૈયાર થયું. એકથી વધુ લોકો સુધી એની પ્રતો…

વધુ વાંચો >

સમૂહ-સંક્રમણ (mass flow)

સમૂહ–સંક્રમણ (mass flow) : વનસ્પતિમાં આયનો અને ચયાપચયકો(metabolites)ના વહનની સમજૂતી માટે આપવામાં આવેલી સંકલ્પનાઓ. બંને પ્રકારના પદાર્થો માટે આપવામાં આવેલી આ સંકલ્પનાઓ જુદી જુદી છે. આયનોનું સમૂહ–સંક્રમણ : કેટલાક સંશોધકોની માન્યતા મુજબ વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીના થતા સમૂહ-સંક્રમણ સાથે આયનો વહન પામે છે. આ સંકલ્પના મુજબ ઉત્સ્વેદન(transpiration)માં વધારો થતાં આયનોના…

વધુ વાંચો >

સમૂહો (groups)

સમૂહો (groups) : એક ગણ પર વિશેષ ગુણધર્મોવાળી દ્વિક્ક્રિયા દાખલ કરવાથી મળતું અતિઉપયોગી બીજગાણિતિક માળખું. ચિત્રકારો, સ્થપતિઓ અને વિશેષ કરીને ભૌતિકશાસ્ત્રીઓ તથા રસાયણશાસ્ત્રીઓ વિવિધ પ્રકારના સમમિત (symmetric) સમૂહો તથા તેમના ગુણધર્મોનો ઉપયોગ સદીઓથી કરતા હતા, છતાં પણ સમૂહની ગાણિતિક વ્યાખ્યા 1882માં સૌપ્રથમવાર ગણિતશાસ્ત્રીઓ હેનરીચ વેબર (Heinrich Weber) તથા વૉલ્ટર વૉન…

વધુ વાંચો >

સમૂળી ક્રાંતિ (1948)

સમૂળી ક્રાંતિ (1948) : સ્વતંત્ર ભારતને સાચા અર્થમાં એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી 1948માં પ્રગટ થયેલું કિશોરલાલ મશરૂવાળાનું એક બહુ જાણીતું પુસ્તક. સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓના આધાર પર ભારત એક વિભાજિત દેશ છે. તે સાથે તે એક ગરીબ દેશ પણ છે. આ બધા ભેદભાવોને ટાળીને દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા…

વધુ વાંચો >

સમૃદ્ધીકરણ પદ્ધતિ

Jan 11, 2007

સમૃદ્ધીકરણ પદ્ધતિ : સૂક્ષ્મજીવોના સંવર્ધન કે ઓળખ માટે સંતૃપ્ત માધ્યમ તૈયાર કરવાની પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ કુદરતમાં જટિલ મિશ્રણમાં રહેલા વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના અલગીકરણ અને અભ્યાસ માટે થાય છે. સમૃદ્ધીકરણ પદ્ધતિની શોધ સરગેઈ વિનોગ્રાડ્સ્કી (Sergei Winogradsky) અને માર્ટિનસ વિલિયમ બેઇજરિંક (Martinus Willium Beijerinch) નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. તેઓ માઇક્રોબિયલ ઇકૉલૉજીના…

વધુ વાંચો >

સમેરવો

Jan 11, 2007

સમેરવો : જુઓ સાલવણ.

વધુ વાંચો >

સમેરિયમ

Jan 11, 2007

સમેરિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીનું વિરલ-મૃદા (rare earth) તત્ત્વ. સંજ્ઞા Sm. 1879માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક ફ્રેંકોઈ લેકોક દ બોઇસબોદ્રાંએ ‘સમેરિયા’ તરીકે અલગ પાડી તેના વર્ણપટ ઉપરથી તત્ત્વને પારખ્યું હતું. સમેરિયા એ સમેરિયમ અને યુરોપિયમનું મિશ્રણ હતું અને સમેર્સ્કાઇટ નામના ખનિજમાંથી તત્ત્વને અલગ પાડવામાં આવ્યું હોવાથી તેને સમેરિયમ…

વધુ વાંચો >

સમોઆ

Jan 11, 2007

સમોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલું ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : તે 14° 00 દ. અ. અને 171° 00 પૂ. રે.ની આજુબાજુનો 3,039 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એપિયા તેનું પાટનગર છે. લગભગ બધા જ ટાપુઓનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય છે. તેમની આજુબાજુ પરવાળાંના ખરાબા પથરાયેલા છે. આ ટાપુઓ જંગલોથી સમૃદ્ધ છે.…

વધુ વાંચો >

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ)

Jan 11, 2007

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ) : એવી પ્રક્રિયા જે દરમિયાન તંત્રમાં ઉષ્મા દાખલ થતી ન હોય કે તેમાંથી ઉષ્મા બહાર નીકળતી ન હોય. નળાકારમાં રાખેલા વાયુનું પિસ્ટન વડે સંકોચન કે વિસ્તરણ કરતાં વાયુ અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે ન થાય તો આ પ્રકારની પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું…

વધુ વાંચો >

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization)

Jan 11, 2007

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization) : એવી ભૌતિક પ્રક્રિયા કે જેની મદદથી, અગાઉથી ઠંડા પાડેલા ચોક્કસ પદાર્થો પરથી લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રને દૂર કરતાં તે પદાર્થોનું વધુ શીતન (cooling) શક્ય બને. પીટર ડિબાઈ અને વિલિયમ ફ્રાન્સિસ ગિયાક નામના રસાયણશાસ્ત્રીઓએ 1926-1927ના અરસામાં સ્વતંત્રપણે આ પદ્ધતિ વિકસાવી હતી. આ કાર્ય માટે 1949માં તેમને…

વધુ વાંચો >

સમ્પત્તી આર્યની (શ્રીમતી)

Jan 11, 2007

સમ્પત્તી આર્યની (શ્રીમતી) (જ. 31 માર્ચ 1923, પટણા શહેર, બિહાર) : મગહી વિદુષી. તેમણે 1952માં પટણા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1956માં બિહાર યુનિવર્સિટીમાંથી પાલિમાં એમ.એ. તથા પટણા યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેમણે પટણા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે કારકિર્દી શરૂ કરી; 1953થી હિંદી વિભાગમાં અધ્યાપનની કામગીરી કરી. તેઓ રીડર તરીકે સેવાનિવૃત્ત થયાં. 1965થી…

વધુ વાંચો >

સમ્બાશિવરાવ, પોતુકુચી

Jan 11, 2007

સમ્બાશિવરાવ, પોતુકુચી (જ. 27 જાન્યુઆરી 1928, આલમુરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને કલાપ્રપૂર્ણ તથા ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાતની સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિ કરી. 199397 સુધી તેઓ તેલુગુ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના કારોબારી-સભ્ય; ‘નાટ્યકલા’ માસિકના સંપાદક, ઓસ્માનિયા…

વધુ વાંચો >

સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ)

Jan 11, 2007

સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ) (ઈ. ચોથી-પાંચમી સદી) : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. શ્વેતામ્બર જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની (ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી) આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેમાં કુલ 167 પ્રાકૃત ગાથાઓ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ જ તે શ્વેતામ્બર અને દિગમ્બર – બંને સંપ્રદાયોને માન્ય છે; તેથી ‘ષટ્ખંડાગમ’ની ‘ધવલા’ ટીકામાં તેનાં ઉલ્લેખો અને ઉદ્ધરણો છે તથા…

વધુ વાંચો >

સમ્સા

Jan 11, 2007

સમ્સા (જ. 1898, આગરા, જિ. મૈસૂર, કર્ણાટક; અ. 1939) : કન્નડ કવિ, વાર્તાકાર અને અસામાન્ય પ્રતિભાશાળી નાટ્યકાર. તેમણે અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃતમાં વિદ્વત્તા મેળવી, થોડાં વર્ષ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમનું ખરું નામ એ. એસ. વેંકટાદ્રી અય્યર હતું. 1936માં તેઓ મૈસૂર પાછા ફર્યા ત્યારે વિચાર,…

વધુ વાંચો >