૨૨.૦૨

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલથી સજીવ ખેતી

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ…

વધુ વાંચો >

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy)

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો…

વધુ વાંચો >

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે : સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો વિભાગ અને જૂથ ઉદાહરણો (અ) શરૂઆતની સગર્ભતા (1) સગર્ભતા સંબંધિત કારણો…

વધુ વાંચો >

સગીર

સગીર : સંબંધિત કાયદા દ્વારા પુખ્તતા માટે નિર્ધારિત કરેલ ઉંમર પૂરી ન કરેલ વ્યક્તિ. સને 1875ના પુખ્ત વય અધિનિયમ [Indian Majority Act] અનુસાર અઢાર વર્ષની ઉંમર પૂરી થતાં સગીરાવસ્થા પૂરી થાય છે, પણ જે સગીરની જાત કે મિલકત માટે અદાલત દ્વારા વાલી નીમવામાં આવ્યો હોય તેની ઉંમર એકવીસ વર્ષની થતાં…

વધુ વાંચો >

સગુણ

સગુણ : રૂપ, સત્વ વગેરે ગુણો ધરાવનારું તત્વ. ‘ગુણ’ શબ્દનો ગીતામાં 2122 વાર ઉલ્લેખ થયેલો છે, જ્યારે ચૌદમા અધ્યાયમાં તો ‘ગુણત્રયવિભાગ’નો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. મૂળ ‘ગુણ’ શબ્દના તો અનેક અર્થ છે, 24થી ઓછા નહિ એટલા. ‘સગુણ’ – ‘નિર્ગુણ’ શબ્દો આવે ત્યારે ગીતોક્ત ત્રણ ગુણો ચોક્કસ યાદ આવે અને ‘સત્વ’,…

વધુ વાંચો >

સગોત્રતા (consanguinity)

સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…

વધુ વાંચો >

સઘર નિઝામી

સઘર નિઝામી (જ. 1905, અલીગઢ; અ. 1984) : ઉર્દૂ કવિ અને પત્રકાર. તેમનું ખરું નામ મોહમ્મદ સમદ યાર ખાન સરદાર મોહમ્મદ અહમદ યાર ખાન હતું. તેમના દાદા નવાબ મોહમ્મદ અબ્દુર રહેમાન ખાન હરિયાણામાં ઝજ્જારના સૂબા હતા, જે 1857ના બળવામાં શહીદ થયા હતા. સઘર નિઝામીને અલીગઢમાં ખાનગી રીતે ઘેરબેઠાં શિક્ષણ મળેલું…

વધુ વાંચો >

સચદેવ, પદ્મા

સચદેવ, પદ્મા (જ. 17 એપ્રિલ 1940, જમ્મુ) : ડોગરી તથા હિંદીનાં લેખિકા. જમ્મુમાં શિક્ષણ મેળવ્યા પછી, મુંબઈના ઑલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયાં. તેઓ ડોગરીનાં સર્વપ્રથમ અને સૌથી નામાંકિત કવયિત્રી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ડોગરી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય અને આવાહક (1993-97), દિલ્હીની પંજાબી એકૅડેમીની નિયામક પરિષદનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીરની…

વધુ વાંચો >

સચલ સરમસ્ત

સચલ સરમસ્ત (જ. 1739, દરાજ, સિંધ; અ. 14 ઑક્ટોબર 1829, દરાજ) : સૂફી મતના અવૈસી ફકીર અને સિંધી કવિ. તેમનું ખરું નામ અબ્દુલ વહાબ સલાહ-ઉદ્-દીન હતું. તેમણે ‘સચલ’ અથવા ‘સચુ’ જેવું તખલ્લુસ રાખેલું. તેનો સાહિત્યિક અર્થ થાય છે : ‘સત્યપ્રિય માનવી’ અથવા ‘સત્યપ્રિય ભક્ત’. તેઓ કાયમ ધ્યાનાવસ્થામાં રહેતા હોવાથી તે…

વધુ વાંચો >

સચિન શંકર

સચિન શંકર (જ. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; અ. 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ…

વધુ વાંચો >

સચિવ/સચિવો

Jan 2, 2007

સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ…

વધુ વાંચો >

સચિવાલય

Jan 2, 2007

સચિવાલય : વહીવટીતંત્રનો સર્વોચ્ચ એકમ અને કોઈ પણ સંસ્થા કે સરકારનું મુખ્ય વહીવટી કાર્યાલય. તેના વહીવટી વડા સચિવો હોવાથી સચિવોનું કાર્યાલય તે સચિવાલય. રોજબરોજનાં વહીવટી કાર્યોનું સંચાલન સરળ અને કાર્યક્ષમ બને તે માટે સચિવાલય હોય છે. આથી તેની કામગીરીમાં વહીવટની વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેની રચના સોપાનિક…

વધુ વાંચો >

સચ્ચિદાનંદન, કે.

Jan 2, 2007

સચ્ચિદાનંદન, કે. (જ. 28 મે 1946, પુલ્લુટ, જિ. થ્રિસુર, કેરળ) : મલયાળમ કવિ અને વિવેચક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસ.સી.; કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. તથા કાલિકટ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. હાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં સેક્રેટરી. 1979-92 સુધી ક્રિસ્ટ કૉલેજ ઇરિન્જલકુડામાં અંગ્રેજીના પ્રાધ્યાપક; કાલિકટ યુનિવર્સિટીની ભાષાવિદ્યાશાખાના સભ્ય; મલયાળમ…

વધુ વાંચો >

સચ્ચિદાનંદન, પી.

Jan 2, 2007

સચ્ચિદાનંદન, પી. (જ. 17 ઑક્ટોબર 1936, ઇરિંજલકુડા, જિ. તિસ્સાર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી, ઇજનેર તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે સેન્ટ્રલ વૉટર કમિશનના ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ‘આનંદ’ તેમનું તખલ્લુસ છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. ‘અલ્ક્કુટમ્’ (1970); ‘મરણ સર્ટિફિકેટ’ (1974); ‘ઉત્તરાયણમ્’…

વધુ વાંચો >

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ

Jan 2, 2007

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ : વ્યક્તિની સચેતતા અને તેની વિવિધ સ્થિતિઓ. સજાગતા અથવા ચેતના અથવા બોધસ્તરની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે ઊંડી ચર્ચાનો વિષય રહી છે. સજાગતા અને અજાગ્રતતા, ચેતન અને જડ, મન અને શરીરના સંબંધ વિશેની ચર્ચાઓમાંથી તત્વજ્ઞાનમાં એકતત્વવાદ, દ્વૈતવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, ચૈતન્યવાદ, યંત્રવાદ જેવી અનેક વિચારધારાઓ ઊપજી…

વધુ વાંચો >

સજાતીયતા (homosexuality)

Jan 2, 2007

સજાતીયતા (homosexuality) : સમાન લિંગની વ્યક્તિઓ (પુરુષ અને પુરુષ અથવા સ્ત્રી અને સ્ત્રી) વચ્ચે ઊપજતા જાતીય આકર્ષણ અને જાતીય સમાગમ સુધીના સંબંધો. પુરુષ અન્ય પુરુષમાં અથવા સ્ત્રી અન્ય સ્ત્રીમાં કામુક રસ લે અને એની સાથે પ્રગટ કામુક વ્યવહારો કરે તે સજાતીયતા. આધુનિક મત પ્રમાણે, જે વ્યક્તિની પ્રાથમિક મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક…

વધુ વાંચો >

સજાના સિદ્ધાંતો

Jan 2, 2007

સજાના સિદ્ધાંતો : રાજ્યે જે કરવા પર નિષેધ ફરમાવ્યો હોય તે કાર્ય એટલે કે અપરાધ કરવા સામે તેમ કરનારને રાજ્ય દ્વારા દુ:ખ પહોંચાડવાનાં અધિકૃત સામાજિક કાર્યોને લગતા રાજ્ય દ્વારા વખતોવખત નિર્ધારિત કરાતા નિયમો. અપરાધ નિષિદ્ધ કાર્ય કરીને (દા.ત., હુમલો, ચોરી) અથવા કાર્યલોપ કરીને (by omission to do) દા.ત., બાળકને ખોરાક…

વધુ વાંચો >

સજાશાસ્ત્ર (penology)

Jan 2, 2007

સજાશાસ્ત્ર (penology) : ગુનાઓને અટકાવવા માટે અને/અથવા ઘટાડવા માટેના સજા અને ઉપચાર સ્વરૂપના ઉપાયો સંબંધી અભ્યાસ કરતું શાસ્ત્ર. આધુનિક સજાશાસ્ત્ર ગુનાશાસ્ત્રની એક એવી શાખા છે, જે ગુનાઓની શક્ય રોકથામ અને નિયંત્રણના હેતુથી ન્યાયિક કાર્યવહી દ્વારા ગુનેગાર ઠરેલી વ્યક્તિઓ સાથે સજા, ઉપચાર કે તાલીમ (નવઘડતર) સ્વરૂપે વહેવાર કરવા અંગેની નીતિઓ તથા…

વધુ વાંચો >

સજીવ ખેતી

Jan 2, 2007

સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી…

વધુ વાંચો >