શેખ હસીના

શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ)  : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી…

વધુ વાંચો >

શેખાવત, ભૈરોસિંગ

શેખાવત, ભૈરોસિંગ (જ. 23 ઑક્ટોબર 1923, ખાચરિયાવાસ ગામ, સિકર જિલ્લો, રાજસ્થાન) : ભારતના 11મા ઉપરાષ્ટ્રપ્રમુખ. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને અનુભવી નેતા તેમજ 1977માં અને 1993માં રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી. માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ તેમના પિતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો અને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી…

વધુ વાંચો >

શેખાવત, સુમેરસિંહ

શેખાવત, સુમેરસિંહ (જ. 1933, સરવાડી, સિકર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મારુ મંગલ’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ શેખાજી શેખાવતના વંશના છે. તેમનું પ્રારંભિક જીવન બિનાસર, રાજસ્થાનમાં પસાર થયું. આનંદીલાલ શર્મા તથા નેમનારાયણ જોશીના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વ્યવસાયે તેઓ શિક્ષક રહેલા અને…

વધુ વાંચો >

શેખાવત, સૌભાગ્યસિંગ

શેખાવત, સૌભાગ્યસિંગ (જ. 22 જુલાઈ 1924, ભગતપુરા, જિ. સિકર, રાજસ્થાન) : રાજસ્થાની પંડિત. તેઓ રાજસ્થાન શોધ સંસ્થાન,  જોધપુરના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : રાજસ્થાની ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બિકાનેરના અધ્યક્ષ; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય (1998-2002); ‘સંઘર્ષ’ માસિકના…

વધુ વાંચો >

શેખોન સંતસિંગ

શેખોન સંતસિંગ (જ. 1908, લાયલપુર [હાલ પાકિસ્તાનમાં]; અ. 8 ઑક્ટોબર 1997) : પંજાબી લેખક. ‘મિટ્ટર પિયારા’ નામના તેમના નાટક(1907)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અંગ્રેજીમાં તથા અર્થશાસ્ત્રમાં એમ.એ., 1931માં અંગ્રેજીના અધ્યાપક તરીકે આરંભ, પછી અમૃતસરની ખાલસા કૉલેજમાં અર્થશાસ્ત્ર તથા પંજાબીનું અધ્યાપન. 1938માં અંગ્રેજી સાપ્તાહિક ‘નૉર્ધન રિવ્યૂ’નું સંપાદન.…

વધુ વાંચો >

શેટલૅન્ડ

શેટલૅન્ડ : સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિથી ઈશાનમાં આશરે 160 કિમી.ના અંતરે આવેલા એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 60° 30´ ઉ. અ. અને 1° 15´ પ. રે. વચ્ચેનો આશરે 1,438 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. શેટલૅન્ડના ટાપુઓ ઉત્તર-દક્ષિણ આશરે 115 કિમી. લંબાઈમાં અને પૂર્વ-પશ્ચિમ આશરે 60 કિમી.…

વધુ વાંચો >

શેઠ, અજિત

શેઠ, અજિત (જ. 19 સપ્ટેમ્બર 1932, મુંબઈ; અ. 23 જાન્યુઆરી 2006, મુંબઈ) : ગુજરાતી કાવ્ય-ગીતોના સ્વરનિયોજક તથા ગાયક. છેલ્લા પાંચ દાયકા (1949-2006) ઉપરાંતના સમયગાળામાં કાવ્ય-સંગીતક્ષેત્રે સ્વરકાર અને ગાયક તરીકેનું તેમનું યોગદાન ચિરસ્મરણીય છે. પિતાનું નામ વૃંદાવન. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1954માં મુંબઈની સિડનહામ કૉલેજથી બૅંકિંગ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની…

વધુ વાંચો >

શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ

શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર. પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે…

વધુ વાંચો >

શેઠ, ઇન્દુમતી ચીમનલાલ

શેઠ, ઇન્દુમતી ચીમનલાલ (જ. 28 નવેમ્બર 1906, અમદાવાદ; અ. 11 માર્ચ 1985, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવિકા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન. શિક્ષણપ્રેમી, દાનવીર પરિવારમાં જન્મ. પિતાનું નામ ચીમનલાલ નગીનદાસ. માતાનું નામ માણેકબા. માતા-પિતાની ધર્મપરાયણતા તથા વિદ્યાવ્યાસંગના ગુણો તેમનામાં ભારોભાર ઊતર્યા હતા. તેઓ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પિતરાઈ…

વધુ વાંચો >

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ (જ. 20 નવેમ્બર 1888, ઉમરેઠ, જિ. ખેડા; અ. 1 નવેમ્બર 1947, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી કવિ અને અનુવાદક. જ્ઞાતિએ ખડાયતા વણિક. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. પછી અમદાવાદમાં સ્થાયી થયા. અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે ચાલુ રાખ્યો. આજીવિકા માટે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

Jan 20, 2006

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શૃંગેરી

Jan 20, 2006

શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…

વધુ વાંચો >

શેક્સપિયર, વિલિયમ

Jan 20, 2006

શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…

વધુ વાંચો >

શેક્સપિયર સોસાયટી

Jan 20, 2006

શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ…

વધુ વાંચો >

શેખ, અલી ઇરજી

Jan 20, 2006

શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…

વધુ વાંચો >

શેખ, અલી ખતીબ

Jan 20, 2006

શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…

વધુ વાંચો >

શેખ, અલી મહાઈમી

Jan 20, 2006

શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

Jan 20, 2006

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

Jan 20, 2006

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…

વધુ વાંચો >

શેખ, અહમદ જહૉ

Jan 20, 2006

શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…

વધુ વાંચો >