શેખ, ઇબ્ન અરબી

શેખ, ઇબ્ન અરબી (જ. 1165, મુરસિયહ, સ્પેન; અ. 1240, દમાસ્કસ) : ઇસ્લામ અને ગ્રીકશાસ્ત્રના વિદ્વાન અને અરબી કવિ. તેઓ અબૂ બક્ર મુહિયુદ્દીન મુહમ્મદ ઇબ્ન અલી, ઇબ્ન અલ-અરબી અથવા ઇબ્ન અરબીના નામે ઓળખાતા હતા. 8 વર્ષની વયે તેમણે સ્પેનના ઇસ્લામી વિદ્યાના તત્કાલીન સૌથી મોટા કેન્દ્ર ઇશબિલિયામાં 30 વર્ષ સુધી ઇસ્લામી અને…

વધુ વાંચો >

શેખ, એહમદ સરહિંદી

શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના…

વધુ વાંચો >

શેખ, કબીરુદ્દીન

શેખ, કબીરુદ્દીન (ઈ. સ.ની 15મી સદી) : ગુજરાતના ઇસ્માઇલી નિઝારીઓ એટલે કે ખોજાઓના ‘સતપંથ’ સંપ્રદાયના એક પીર. ગુજરાતમાં ઈસુની 12મી સદીમાં નૂર સતગરે પાટનગર પાટણથી ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો હતો. એમનું મૂળ નામ નૂરુદ્દીન અથવા નૂરશાહ હતું અને ‘નૂર સતગર’ એમણે ધારણ કરેલું ઉપનામ હતું. એમણે એમના પંથમાં કેટલાંક હિંદુ…

વધુ વાંચો >

શેખ, ગુલામ મુહમ્મદ

શેખ, ગુલામ મુહમ્મદ : જૂનાગઢના બાબી શાસન સમયનો સ્થાનિક ઉર્દૂ તવારીખકાર. જૂનાગઢમાં બાબીઓનું સ્વતંત્ર શાસન સ્થપાતાં ત્યાં વિવિધ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો અને બ્રિટિશ સમયમાં ત્યાં ઉર્દૂ ભાષામાં રચનાઓ થઈ. તેમાં શેખ ગુલામ મુહમ્મદનો ફાળો વિશેષ હતો. તેમણે ઉર્દૂમાં ‘મિરાતે મુસ્તફાબાદ’ તથા ‘મિરાતે મોહમદી’ અને ગુજરાતીમાં ‘જૂનાગઢનો ઇતિહાસ’ લખ્યા છે. સોરઠનો…

વધુ વાંચો >

શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ

શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ (જ. 16  ફેબ્રુઆરી 1937, વઢવાણ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ. એક ગરીબ પરિવારમાં જન્મ અને ઉછેર થયેલો. સુરેન્દ્રનગરમાં મૅટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય…

વધુ વાંચો >

શેખ, જમાલુદ્દીન

શેખ, જમાલુદ્દીન (અ. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે.…

વધુ વાંચો >

શેખ, નૂરુદ્દીન

શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને…

વધુ વાંચો >

શેખપુરા

શેખપુરા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 09´ ઉ.અ. અને 85° 51´ પૂ.રે.ની આજુબાજુનો 689 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નાલંદા, પટણા અને લખીસરાઈ જિલ્લાઓના ભાગો; પૂર્વમાં લખીસરાઈ જિલ્લો; દક્ષિણે જામુઈ અને નવદા જિલ્લા…

વધુ વાંચો >

શેખ, ફરીદુદ્દીન ગંજેશકર

શેખ, ફરીદુદ્દીન ગંજેશકર (જ. ઈ. સ. 1188, કોઠેવાલા, મુલતાન; અ. 1280) : ભારતીય સૂફી-સંત પરંપરાના અગ્રણી, ધર્મોપદેશક અને ભારતના પ્રમુખ ચાર ચિસ્તી સૂફીઓમાંના એક. પ્રારંભિક શિક્ષા મુલતાનમાં લીધી. ત્યાર પછી દિલ્હીના શેખ કુતબુદ્દીન બખત્યાર પાસે દીક્ષિત થઈ અજોધન ઉર્ફે અજયવર્ધન (સાહીવાલ-પાકિસ્તાન) નામના ગામે સ્થાયી વસવાટ સ્વીકાર્યો. તેમનું એક નામ હતું…

વધુ વાંચો >

શેખ, ફરીદુદ્દીન મસૂદ

શેખ, ફરીદુદ્દીન મસૂદ (જ. 1173, ખોતવાલ, હાલનું ચવાલી મશૈખ, જિ. મુલતાન, પાકિસ્તાન; અ. 1266, પાકપટ્ટન (અજોધન), જિ. સહિવાલ, પાકિસ્તાન) : બાબા ફરીદ તરીકે ખૂબ જાણીતા ભારતીય આદ્ય સૂફી સંત અને પંજાબી કવિ. તેમનું પૂરું નામ શેખ ફરીદુદ્દીન મોન્ડ ગંજેશકર જમાલુદ્દીન હતું. તેમના મૃત્યુ બાદ તેમના ભક્તોએ તેમનું ઉપનામ ‘મસૂદ’ રાખેલું.…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

Jan 20, 2006

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શૃંગેરી

Jan 20, 2006

શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…

વધુ વાંચો >

શેક્સપિયર, વિલિયમ

Jan 20, 2006

શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…

વધુ વાંચો >

શેક્સપિયર સોસાયટી

Jan 20, 2006

શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ…

વધુ વાંચો >

શેખ, અલી ઇરજી

Jan 20, 2006

શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…

વધુ વાંચો >

શેખ, અલી ખતીબ

Jan 20, 2006

શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…

વધુ વાંચો >

શેખ, અલી મહાઈમી

Jan 20, 2006

શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

Jan 20, 2006

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

Jan 20, 2006

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…

વધુ વાંચો >

શેખ, અહમદ જહૉ

Jan 20, 2006

શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…

વધુ વાંચો >