શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ)

શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ) : અમદાવાદમાં ચિત્ર, શિલ્પ અને કલાશિક્ષકોને તાલીમ આપતી કલાશાળા. ચીમનલાલ શેઠે 1912માં છાત્રાલયની સ્થાપના કરેલી. ત્યારપછી 1926માં શાળાની સ્થાપનાથી શરૂઆત કરીને સંસ્થાએ માનવજીવનને ઉપયોગી એવા શૈક્ષણિક, ભાવાત્મક, વ્યવહારુ અને કલાવિષયક અભ્યાસક્રમોનો વિકાસ કરવાનું ચાલુ રાખેલું. હાલ વિદ્યાલય (હાઈસ્કૂલ),…

વધુ વાંચો >

શેઠ, ચંદ્રકાન્ત

શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ લેખકને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને…

વધુ વાંચો >

શેઠ, મગનલાલ વખતચંદ

શેઠ, મગનલાલ વખતચંદ (જ. 1830, અમદાવાદ; અ. 11 માર્ચ 1868, અમદાવાદ) : ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક, ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી. અમદાવાદના વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના વખતચંદ પાનાચંદને ત્યાં મગનલાલનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ સરકારી અંગ્રેજી શાળામાં લઈને…

વધુ વાંચો >

શેઠ, રઘુનાથ

શેઠ, રઘુનાથ (જ. 17 ડિસેમ્બર 1931) : ભારતના અગ્રણી બંસરીવાદક તથા પ્રયોગશીલ સંગીતકાર. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના વડીલ બંધુ કાશીપ્રસાદ પાસેથી લીધી હતી. કાશીપ્રસાદ પોતે ગાયક હોવા ઉપરાંત બંસરી અને તબલાવાદનના જાણકાર હતા; એટલું જ નહિ, પરંતુ નાટ્યકલામાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. 1943માં રઘુનાથ શેઠની સંગીતક્ષેત્રની તાલીમની…

વધુ વાંચો >

શેઠ, રમણલાલ

શેઠ, રમણલાલ (જ. 6 જૂન 1917, વેજલપુર, પંચમહાલ; અ. 5 ઑક્ટોબર 1978) : ગુજરાતના અગ્રણી પત્રકાર અને નીડર તંત્રી. રમણલાલ શેઠે કૉલેજમાં બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. ઇનામી હરીફાઈમાં સારી એવી કમાણી થયા બાદ એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. સૌથી પ્રથમ એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી…

વધુ વાંચો >

શેઠ, રવિન્દર કુમાર

શેઠ, રવિન્દર કુમાર (જ. 3 સપ્ટેમ્બર 1939, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિદ્વાન અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી, સંસ્કૃત અને તમિળમાં એમ.એ., એમ.આઇ.એલ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ 1972-87 દરમિયાન હરદયાલ મ્યુનિસિપલ પબ્લિક લાઇબ્રેરીના માનાર્હ સેક્રેટરી; 1988 સુધી તમિળ હિંદી સંગમના પ્રમુખ અને 1989 સુધી ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય…

વધુ વાંચો >

શેઠ, રાજી

શેઠ, રાજી (જ. 4 ઑક્ટોબર 1935, નૌશેરા કૅન્ટૉન્મેન્ટ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી લેખિકા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મોમાં તજ્જ્ઞતા. તેઓ હિંદી અકાદમી, દિલ્હીનાં કારોબારી સભ્ય; સાહિત્યિક માસિક ‘યુગ-સાક્ષી’નાં સહસંપાદક; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડિઝ, સિમલાનાં ફેલો; 1998થી 2002 સુધી હિન્દી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના…

વધુ વાંચો >

શેઠ, શકુન્તલા

શેઠ, શકુન્તલા (જ. 27 નવેમ્બર 1924, ગુજરાત પંજાબ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી કવયિત્રી. તેમણે હિંદીમાં એમ.એ. અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1942-46 સુધી હિંદી સાહિત્યિક અને રાજકીય સામયિક ‘ઉષા’નાં સંપાદિકા; જમ્મુ અને કાશ્મીર પાઠ્યપુસ્તક સલાહકાર સમિતિનાં સભ્ય; જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચરનાં સભ્ય; ઓરિયેન્ટલ લર્નિંગ…

વધુ વાંચો >

શેઠ, સુંદરજી

શેઠ, સુંદરજી : જુઓ સુંદરજી સોદાગર.

વધુ વાંચો >

શેઠ, હીરાબહેન કેશવલાલ

શેઠ, હીરાબહેન કેશવલાલ (જ. 15 ડિસેમ્બર 1915, પાટણવાવ, જિ. રાજકોટ) : સ્ત્રીઓ અને બાળકો માટેનાં સમાજસેવિકા. સાધનસંપન્ન સેવાભાવી કુટુંબમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીનાં સ્નાતિકા. આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ વખતે દારૂ તેમજ વિદેશી કાપડ વેચતી દુકાનો ઉપર પિકેટિંગમાં ભાગ લીધો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

Jan 20, 2006

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શૃંગેરી

Jan 20, 2006

શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…

વધુ વાંચો >

શેક્સપિયર, વિલિયમ

Jan 20, 2006

શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…

વધુ વાંચો >

શેક્સપિયર સોસાયટી

Jan 20, 2006

શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ…

વધુ વાંચો >

શેખ, અલી ઇરજી

Jan 20, 2006

શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…

વધુ વાંચો >

શેખ, અલી ખતીબ

Jan 20, 2006

શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…

વધુ વાંચો >

શેખ, અલી મહાઈમી

Jan 20, 2006

શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

Jan 20, 2006

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

Jan 20, 2006

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…

વધુ વાંચો >

શેખ, અહમદ જહૉ

Jan 20, 2006

શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…

વધુ વાંચો >