શેઠના, રતનજી ફરામજી

શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી  બંનેનો…

વધુ વાંચો >

શેઠિયા, કનૈયાલાલ

શેઠિયા, કનૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજનગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદીના કવિ. તેઓ સમાજસેવક તથા સ્વાતંત્ર્યસૈનિક છે. તેઓ 1973-77 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી  દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, ઉદયપુર; રાજસ્થાની સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી તથા હરિજન સેવક સંઘના સભ્ય રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

શેઠી, સુરજિતસિંગ

શેઠી, સુરજિતસિંગ (જ. 1928, ગુજરખાન, રાવલપિંડી, પાકિસ્તાન) :  પંજાબી નાટ્યકાર, વાર્તાકાર અને નવલકથાકાર. અંગ્રેજી સાથે તેમણે એમ.એ. અને નાટ્યશાસ્ત્ર પર શોધપ્રબંધ રજૂ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમનું પ્રથમ દીર્ઘ નાટક ‘કૉફી હાઉસ’ (1958), ‘હૉલો મૅન’નું  ચિત્રાંકન છે. ‘કાચા ઘડા’ (1960) અને ‘કદર્યાર’ (1960) રોમાંચક કથાઓના અતિ જાણીતાં પાત્રોનાં નવતર પરિમાણો…

વધુ વાંચો >

શેડવેલ, ટૉમસ

શેડવેલ, ટૉમસ (જ. 1642 ?, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 19 નવેમ્બર 1692, લંડન) : અંગ્રેજ નાટ્યકાર અને રાજકવિ. માનવસ્વભાવના આચરણ અને રીતભાત વિશેનાં હાસ્યપ્રધાન નાટકોના રચયિતા અને જૉન ડ્રાયડનના કટાક્ષના પાત્ર તરીકે સવિશેષ જાણીતા થયેલા. મિડલ ટેમ્પલ, લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધેલું. અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાની ઇંગ્લૅન્ડની ગાદી પર પુન:સ્થાપના થઈ…

વધુ વાંચો >

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried)

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried) (જ. 20 મે 1764, બર્લિન, જર્મની; અ. 27 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની) : નવપ્રશિષ્ટ (neoclassicist) જર્મન શિલ્પી. રોમ ખાતે પોપના દરબારી શિલ્પીઓ જ્યાં પિયેરે ઍન્તોનિને તાસા (Tassaert) તેમજ ટ્રિપેલ અને કાનોવા પાસે તેમણે તાલીમ લીધી. 1788માં શેડો બર્લિન ખાતેની ધ રૉયલ સ્કૂલ ઑવ્ સ્કલ્પ્ચરના…

વધુ વાંચો >

શૅડો ફ્રૉમ લડાખ

શૅડો ફ્રૉમ લડાખ (1967) : બંગાળી નવલકથાકાર ભવાની ભટ્ટાચાર્ય (જ. 1906) લિખિત અંગ્રેજી નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1967ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભટ્ટાચાર્ય પર ટાગોર તથા ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ છે. આ નવલકથા 1962ના ભારત પરના ચીની આક્રમણની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાઈ છે અને દેખીતી રીતે જ આ કૃતિ વિચારસરણીની…

વધુ વાંચો >

શેતરંજ (‘ચેસ’)

શેતરંજ (‘ચેસ’) : ભારતની ખૂબ જ પ્રાચીન રમત. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ આ રમત રમતા હતા અને તેના દ્વારા યુદ્ધની વ્યૂહરચનામાં પણ કુશળ બનતા હતા. મૂળ આ રમત ભારતમાં ઈ. સ.ના પાંચમા સૈકામાં ‘ચતુરંગ’ના નામથી પ્રચલિત હતી. આમાં ક્રમશ: સુધારાવધારા પછી તે શેતરંજ (‘ચેસ’) બની. ધીમે ધીમે આ રમત સામાન્ય જનતામાં…

વધુ વાંચો >

શેતૂર

શેતૂર : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Morus alba Linn. (સં. પૂર્ય, તૂત; હિં. સહતૂત, તૂત; મ. તૂત; બં. તૂત; તે. રેશ્મે ચેટ્ટુ, પિપલીપન્ડુ ચેટ્ટુ; ત. મુસુકેટ્ટે, કામ્બલી ચેડી; ક. હિપ્નેરલ, અં. વ્હાઇટ મલબેરી) છે. તે એકગૃહી (monoecious) કે કેટલીક વાર દ્વિગૃહી (dioecious) ક્ષુપ કે…

વધુ વાંચો >

શેતોબ્રિયાં ફ્રાંસ્વા

શેતોબ્રિયાં ફ્રાંસ્વા (જ. 1768; અ. 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા…

વધુ વાંચો >

શેત્રુંજી

શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

Jan 20, 2006

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શૃંગેરી

Jan 20, 2006

શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…

વધુ વાંચો >

શેક્સપિયર, વિલિયમ

Jan 20, 2006

શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…

વધુ વાંચો >

શેક્સપિયર સોસાયટી

Jan 20, 2006

શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ…

વધુ વાંચો >

શેખ, અલી ઇરજી

Jan 20, 2006

શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…

વધુ વાંચો >

શેખ, અલી ખતીબ

Jan 20, 2006

શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…

વધુ વાંચો >

શેખ, અલી મહાઈમી

Jan 20, 2006

શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

Jan 20, 2006

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

Jan 20, 2006

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…

વધુ વાંચો >

શેખ, અહમદ જહૉ

Jan 20, 2006

શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…

વધુ વાંચો >