શિંગમાખી

શિંગમાખી : તુવેર ઉપરાંત સોયાબીન અને ચોળામાં ઉપદ્રવ કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ મેલાનાગ્રૉમાય્ઝા ઑબ્ટુસા (Melanagromyza obtusa, Malloch) છે, જેનો દ્વિપક્ષ (Diptera) શ્રેણીના ઍગ્રોમાયઝિડી (Agromyzidae) કુળમાં સમાવેશ થયેલ છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતભરમાં જોવા મળે છે. માખી ચળકતા કાળા રંગની હોય, જે ઘરમાખી કરતાં સહેજ નાની હોય છે. માદા માખી તુવેરની…

વધુ વાંચો >

શિંગોડાં (ફળ)

શિંગોડાં (ફળ) : આયુર્વેદ અનુસાર ઉપયોગી ફળ. તેનાં વિવિધ ભાષાઓમાં નામ આ પ્રમાણે છે : સં. शृंगाहक, जलफल; હિં सिघाड़ा; મ. શિંગાડા; ક. शिंगाडे; ફા. सुरंजान; અં. Water chest nut; બં. ચ્દત્ર્હ્યઝ્; તે. ચ્દજ્રઇંદ્ધઈંક્કન્ઇંદ્ર; લે. Trapa Bispinosa, Trapa natans Linn.; અં. Caltrops. શિંગોડાં તળાવમાં થતાં ફળ છે. પાણીમાં તેના લાંબા…

વધુ વાંચો >

શિંદે, એકનાથ

શિંદે, એકનાથ (જ. 9 ફેબ્રુઆરી 1964, ડારે, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ શહેરીવિકાસ મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને ધારાસભ્ય. સતારા જિલ્લાના જ્વાલી તાલુકાના ડારેમાં જન્મેલા એકનાથ શિંદેનો પરિવાર થોડાં વર્ષો બાદ થાણેમાં સ્થાયી થયો હતો. થાણેમાં જ એકનાથ શિંદેએ શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આર્થિક સંકડામણ…

વધુ વાંચો >

શિંદે, વિઠ્ઠલ રામજી

શિંદે, વિઠ્ઠલ રામજી (જ. 23 એપ્રિલ 1873, જમખંડી, કર્ણાટક; અ. 2 જાન્યુઆરી 1944, પુણે) : સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં ભારતમાં થઈ ગયેલ અગ્રણી સમાજસુધારક તથા હરિજન ઉદ્ધારને વરેલા ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ના સંસ્થાપક. પિતા રામજીબાબા તરીકે ઓળખાતા અને જમખંડીના વિઠ્ઠલ મઠમાં દર વર્ષે તુકારામ બીજના રોજ નામસપ્તાહનું આયોજન કરતા. પરિવારમાં…

વધુ વાંચો >

શીઆ વંશ

શીઆ વંશ (ઈ. પૂ. 2205થી ઈ. પૂ. 1766) : ચીનનો પૌરાણિક વંશ. તેનો ઉલ્લેખ અનુશ્રુતિઓમાં છે, પરંતુ તેની ઐતિહાસિકતા અનિશ્ચિત છે. અનુશ્રુતિ પ્રમાણે તે વંશનો સ્થાપક યુ હતો. તેણે મહાન રેલનાં પાણીનો નહેરોમાં નિકાલ કર્યો હતો. પાછળથી આ રાજાને ફસલના દેવ તરીકે પૂજવામાં આવતો હતો. તેણે રાજાનું પદ તેના કુટુંબમાં…

વધુ વાંચો >

શીખ ધર્મ

શીખ ધર્મ : શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. – ઈશ્વરે પસંદ કરેલો, ભગવાનનો પોતાનો, ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું – તેનો પણ આવો જ અર્થ ઘટાવી શકાય. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’…

વધુ વાંચો >

શીખવિગ્રહો

શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો.…

વધુ વાંચો >

શીટ, સૅમ્યુઅલ

શીટ, સૅમ્યુઅલ (જ. 1587, હેલે, નેધર્લૅન્ડ્ઝ; અ. 30 માર્ચ 1654, હેલે, નેધર્લૅન્ડ્ઝ) : ડચ ઑર્ગનવાદક અને સંગીતનિયોજક. ઉત્તર જર્મનીની બરોક સંગીતશૈલી પર તેનો પ્રભાવ છે. ડચ ઑર્ગનવાદક સ્વીલિન્ક હેઠળ ઑર્ગનનો અભ્યાસ કરીને હેલે ખાતે શીટે 1609માં ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. આશરે 1619માં બ્રાન્ડેન્બર્ગના માર્ગ્રેવ ઑર્કેસ્ટ્રાના કપેલમેઇસ્ટરનું પદ તેને મળ્યું.…

વધુ વાંચો >

શીતઘન પરિચ્છેદ (frozen section)

શીતઘન પરિચ્છેદ (frozen section) : શસ્ત્રક્રિયાથી બહાર કઢાયેલી પેશીને તરત અતિશય ઠંડકની મદદથી ઘનસ્વરૂપમાં ફેરવીને તેનાં પાતળાં પડ કાપીને, તેમને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવી તે. તેમાં સર્જ્યન (શસ્ત્રક્રિયાવિદ) અને રુગ્ણવિદ (pathologist) વચ્ચે સંપર્ક અને આયોજન હોય છે, જેથી કરીને ચાલુ શસ્ત્રક્રિયામાં શંકાસ્પદ પેશીનું ઝડપી નિદાન કરીને શસ્ત્રક્રિયામાં આગળ કેવી…

વધુ વાંચો >

શીતપિત્ત (શીળસ; urticaria)

શીતપિત્ત (શીળસ; urticaria) : શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ. રોગસ્વરૂપ : જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ…

વધુ વાંચો >

શિવાનંદ સ્વામી

Jan 17, 2006

શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…

વધુ વાંચો >

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા

Jan 17, 2006

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના…

વધુ વાંચો >

શિવાલિક-રચના

Jan 17, 2006

શિવાલિક–રચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી…

વધુ વાંચો >

શિશિર

Jan 17, 2006

શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે…

વધુ વાંચો >

શિશુ (infant)

Jan 17, 2006

શિશુ (infant) : જન્મથી 1 વર્ષ સુધીનું બાળક. જન્મના પ્રથમ વર્ષના સમયગાળાને શૈશવ (infancy) કહે છે. જન્મના પ્રથમ મહિનામાં તેને નવજાત (neonat) કહે છે. આ સમયગાળામાં લેવાતી સંભાળ બાળકના સમગ્ર જીવનને અસર કરે છે. નવજાતકાળ(neonatal period)માં પણ માંદગી અને મૃત્યુ થાય છે. અલ્પવિકસિત દેશોમાં પ્રસૂતિપૂર્વની સંભાળ (antenatal care) અને પરિજન્મ…

વધુ વાંચો >

શિશુનાગ

Jan 17, 2006

શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…

વધુ વાંચો >

શિશુનાગ વંશ

Jan 17, 2006

શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…

વધુ વાંચો >

શિશુપાલવધ (સાતમી સદી)

Jan 17, 2006

શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર…

વધુ વાંચો >

શિશુવધ (infanticide)

Jan 17, 2006

શિશુવધ (infanticide) : એક વર્ષ કે તેથી ઓછી વયના શિશુનો વધ. તેને કાયદાની પરિભાષામાં હત્યા (murder) ગણવામાં આવે છે. જન્મથી 12 મહિના સુધીની વયના બાળકને શિશુ (infant) કહે છે; પરંતુ જો જન્મ સમયે નવજાત શિશુ કાલપૂર્વ અથવા અપરિપક્વ (premature) હોય તો તે સમયે તેણે જીવનક્ષમતા (viability) પ્રાપ્ત કરેલી છે કે…

વધુ વાંચો >

શિશ્નદેવ

Jan 17, 2006

શિશ્નદેવ : જુઓ લિંગ અને લિંગપૂજા.

વધુ વાંચો >