શીતલનાથ

શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ…

વધુ વાંચો >

શીતલ, સોહનસિંગ

શીતલ, સોહનસિંગ (જ. 1909) : પંજાબી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘જુગ બદલ ગયા’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે બાળપણથી કાવ્યો રચવાનું શરૂ કરેલું. 1947માં તેમણે તેમની પ્રથમ નવલકથા લખી. પંજાબી સાહિત્યમાં તેમણે અત્યાર સુધીમાં 11,000 પૃષ્ઠ જેટલું સાહિત્યિક પ્રદાન કર્યું. તેમના ઘણા ગ્રંથોના હિંદી…

વધુ વાંચો >

શીતવાતાગ્ર

શીતવાતાગ્ર : જુઓ વાયુસમુચ્ચય અને વાતાગ્ર.

વધુ વાંચો >

શીતશસ્ત્રક્રિયા (cryosurgery)

શીતશસ્ત્રક્રિયા (cryosurgery) : પેશીને અતિશય ઠંડીના સંસર્ગમાં લાવીને તથા તેમાં ફરીથી સુધરી ન શકે તેવો ફેરફાર લાવીને તેનો નાશ કરવાની પદ્ધતિ. સન 1851માં જેમ્સ આર્નોટે મિડલસેક્સ હૉસ્પિટલમાં આ પદ્ધતિ વડે વિવિધ પ્રકારના સપાટી પરના કૅન્સરની સારવાર કરી હતી. તેમાં તેમણે મીઠા-બરફના  20° સે.ના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. ઓછામાં ઓછું  10°…

વધુ વાંચો >

શીતસમાધિ (Hibernation)

શીતસમાધિ (Hibernation) : શિયાળામાં ઠંડીની વિપરીત અસરને ટાળવા પ્રાણીઓ વડે અપનાવવામાં આવતી સુપ્તાવસ્થા (dormancy). ખાસ કરીને અસ્થિર તાપમાનવાળાં (poikilo thermic) પ્રાણીઓ પર્યાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતાં શરીરનું તાપમાન જાળવવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે. તેની વિપરીત અસર દેહધાર્મિક પ્રક્રિયા પર થાય છે. આવાં કેટલાંક પ્રાણીઓ પથ્થર જેવાની નીચે દર ખોદીને અથવા પોતાના…

વધુ વાંચો >

શીતળા (small pox)

શીતળા (small pox) : અતિશય ફેલાતો, તાવ, ફોલ્લા અને પૂયફોલ્લા (pustules) કરતો અને મટ્યા પછી ચામડી પર ખાડા જેવાં ક્ષતચિહ્નો (scars) કરતો પણ હાલ વિશ્વભરમાંથી નાબૂદ કરાયેલો વિષાણુજન્ય રોગ. તેને શાસ્ત્રીય રીતે ગુરુક્ષતાંકતા (variola major) પણ કહેવાય. તે પૂયસ્ફોટી વિષાણુ(poxvirus)થી થતો રોગ છે. પૂયસ્ફોટી વિષાણુઓ 200થી 300 મિલી. માઇડ્રોન કદના…

વધુ વાંચો >

શીતળા માતા

શીતળા માતા : હિંદુ ધર્મમાં વિવિધ રૂપે વ્યાપકપણે પૂજાતી એક દેવી. તે શીતળાના રોગની અધિષ્ઠાત્રી મનાય છે. તેની પૂજા કરનારી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી એવી અનુશ્રુતિ છે. ગુજરાતમાં શ્રાવણ વદ સાતમના દિવસે આ દેવીનું વ્રત કરવાનું વિધાન છે. એ દિવસને શીતળા સાતમ કહે છે. વ્રતની વિશેષતા એ છે કે એ…

વધુ વાંચો >

શીતિકંઠ આચાર્ય

શીતિકંઠ આચાર્ય (13મી સદી) : કાશ્મીરી ભાષાના જાણીતા પ્રથમ કવિ. તેમના જીવન અને પરિવાર વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ તેમનો જન્મ લલ દદ (લલ્લેશ્વરી) પહેલાં – 100 વર્ષ પર એટલે 13મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં થયાનું જાણવા મળે છે. તેઓ કાશ્મીર શૈવધર્મના પ્રકાંડ વિદ્વાન જયરથના શિષ્ય હતા. તેમના ગુરુની…

વધુ વાંચો >

શિવાનંદ સ્વામી

Jan 17, 2006

શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…

વધુ વાંચો >

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા

Jan 17, 2006

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના…

વધુ વાંચો >

શિવાલિક-રચના

Jan 17, 2006

શિવાલિક–રચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી…

વધુ વાંચો >

શિશિર

Jan 17, 2006

શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે…

વધુ વાંચો >

શિશુ (infant)

Jan 17, 2006

શિશુ (infant) : જન્મથી 1 વર્ષ સુધીનું બાળક. જન્મના પ્રથમ વર્ષના સમયગાળાને શૈશવ (infancy) કહે છે. જન્મના પ્રથમ મહિનામાં તેને નવજાત (neonat) કહે છે. આ સમયગાળામાં લેવાતી સંભાળ બાળકના સમગ્ર જીવનને અસર કરે છે. નવજાતકાળ(neonatal period)માં પણ માંદગી અને મૃત્યુ થાય છે. અલ્પવિકસિત દેશોમાં પ્રસૂતિપૂર્વની સંભાળ (antenatal care) અને પરિજન્મ…

વધુ વાંચો >

શિશુનાગ

Jan 17, 2006

શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…

વધુ વાંચો >

શિશુનાગ વંશ

Jan 17, 2006

શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…

વધુ વાંચો >

શિશુપાલવધ (સાતમી સદી)

Jan 17, 2006

શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર…

વધુ વાંચો >

શિશુવધ (infanticide)

Jan 17, 2006

શિશુવધ (infanticide) : એક વર્ષ કે તેથી ઓછી વયના શિશુનો વધ. તેને કાયદાની પરિભાષામાં હત્યા (murder) ગણવામાં આવે છે. જન્મથી 12 મહિના સુધીની વયના બાળકને શિશુ (infant) કહે છે; પરંતુ જો જન્મ સમયે નવજાત શિશુ કાલપૂર્વ અથવા અપરિપક્વ (premature) હોય તો તે સમયે તેણે જીવનક્ષમતા (viability) પ્રાપ્ત કરેલી છે કે…

વધુ વાંચો >

શિશ્નદેવ

Jan 17, 2006

શિશ્નદેવ : જુઓ લિંગ અને લિંગપૂજા.

વધુ વાંચો >