વ્યારા

વ્યારા : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 73° 24´ પૂ. રે. પર સૂરતથી પૂર્વ તરફ 65 કિમી. દૂર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 813 ચોકિમી. જેટલું છે. તાલુકામાં વ્યારા ઉપરાંત 148 ગામો આવેલાં છે. તાલુકાનું…

વધુ વાંચો >

વ્યારાવાલા, હોમાય

વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…

વધુ વાંચો >

વ્યારોધ (baffle)

વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે…

વધુ વાંચો >

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય.…

વધુ વાંચો >

વ્યાવસાયિક બેદરકારી

વ્યાવસાયિક બેદરકારી : વ્યાવસાયિક કાર્ય કરતી વખતે સામાન્ય બુદ્ધિશાળી માણસ જેવું કૃત્ય કરે તેવું ન કરવું અથવા સામાન્ય બુદ્ધિશાળી માણસ ન કરે તેવું કૃત્ય કરવું તે. તેને વ્યાવસાયિક ઉપેક્ષા (professional negligence) પણ કહે છે. ઉપેક્ષા યાને બેદરકારી તે કાંઈક કરવામાં કસૂરનું કૃત્ય છે. બેદરકારીનો અર્થ અવિચારીપણું અગર ગફલત થતો નથી…

વધુ વાંચો >

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…

વધુ વાંચો >

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…

વધુ વાંચો >

વ્યાસ

વ્યાસ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા મહર્ષિ. ભગવાન વેદવ્યાસ તરીકે વિખ્યાત. ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે પણ સુશ્રુત. મહર્ષિ પરાશરના પુત્ર. માતાનું નામ સત્યવતી અથવા કાલી. કાલીના પુત્ર હોવાથી ‘કૃષ્ણ’ કહેવાયા અથવા શ્યામવર્ણના હોવાથી કૃષ્ણ કહેવાયા. એમનો જન્મ યમુનાદ્વીપમાં થયો હતો એટલે ‘દ્વૈપાયન’ કહેવાયા. આથી ‘કૃષ્ણદ્વૈપાયન’ વ્યાસ તરીકે પરંપરામાં ઓળખાય છે.…

વધુ વાંચો >

વ્યાસ, અવિનાશ

વ્યાસ, અવિનાશ (જ. 17 જુલાઈ 1909; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…

વધુ વાંચો >

વ્યાસ, કાન્તિલાલ બ.

વ્યાસ, કાન્તિલાલ બ. (જ. 21 નવેમ્બર 1910, હાજીપુર; અ. 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી…

વધુ વાંચો >

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ)

Jan 4, 2006

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ) (જ. 7 ફેબ્રુઆરી 1906, જોડ્રન્સ, જિ. ભિલવાડા, રાજસ્થાન) : હિંદી અને સંસ્કૃત પંડિત. 1932માં તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી સાહિત્યશાસ્ત્રીની પદવી મેળવી. તેમણે શિવશક્તિ પીઠ, રાજમહલ, ઉદેપુરના નિયામક તરીકે કામગીરી કરી. 1928થી 1968 સુધી તેઓ ભૂપાલ નોબલ્સ ઇન્ટર કૉલેજ, ઉદેપુરમાં મુખ્ય પંડિત રહ્યા. તેઓ મેવાડ સ્ટેટના મહારાણા…

વધુ વાંચો >

વ્યાસ, ભગવતીલાલ

Jan 4, 2006

વ્યાસ, ભગવતીલાલ (જ. 10 જુલાઈ 1941, ગિલુન્દ, જિ. રાજસમદ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમની કૃતિ ‘અનહદ નાદ’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાન વિદ્યાપીઠમાં તથા લોકમાન્ય ટિળક ટીચર્સ…

વધુ વાંચો >

વ્યાસ, ભાનુશંકર બા.

Jan 4, 2006

વ્યાસ, ભાનુશંકર બા. : જુઓ બાદરાયણ.

વધુ વાંચો >

વ્યાસ, મદનલાલ

Jan 4, 2006

વ્યાસ, મદનલાલ (જ. 12 ડિસેમ્બર 1922, જોધપુર, રાજસ્થાન) : હિંદી લેખક. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ સાથે લેખનકાર્ય કર્યું. 1953-55 સુધી દૈનિક ‘વિશ્ર્વામિત્ર’ના સહસંપાદક; 1955-83 સુધી ‘નવભારત’ના સહસંપાદક રહ્યા. 1962થી સંગીતવિવેચક થયા. તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં’ (1972) તેમનો જાણીતો ચરિત્રગ્રંથ…

વધુ વાંચો >

વ્યાસ, મોહનલાલ

Jan 4, 2006

વ્યાસ, મોહનલાલ (જ. 2 મે 1907, ધોળીધાર, ગુજરાત; અ. 24 સપ્ટેમ્બર, 1976) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન અને આયુર્વેદના પ્રબળ સમર્થક. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. કાર્યક્ષેત્ર : અમદાવાદ-ગાંધીનગર. શરૂઆતમાં સહકારી પ્રવૃત્તિ, દારૂબંધી અને પછી મજૂરમહાજનની પ્રવૃત્તિ બાદ ગુજરાત રાજ્યના મજૂરપ્રધાન અને છેવટે આરોગ્યપ્રધાન બન્યા. સને 1963થી 1967નાં પાંચ વર્ષો દરમિયાન તેઓએ…

વધુ વાંચો >

વ્યાસ, યોગેન્દ્ર

Jan 4, 2006

વ્યાસ, યોગેન્દ્ર (જ. 6 ઑક્ટોબર 1940, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ભાષાવિદ અને સંનિષ્ઠ અધ્યાપક. પિતા ધીરુભાઈ વ્યાસ. માતા પ્રમોદબહેન. તેમનાં પાંચ સંતાનોમાંનું ત્રીજું સંતાન. પિતા આર્યોદય જિનિંગ મિલમાં નોકરી કરતા હતા. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. 1961માં બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન સાથે એમ.એ.…

વધુ વાંચો >

વ્યાસ, રજની કૃષ્ણલાલ

Jan 4, 2006

વ્યાસ, રજની કૃષ્ણલાલ (જ. 23 સપ્ટેમ્બર 1938, ભરૂચ. અ. 22 ઑગસ્ટ, 2018) : જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોના ચિત્રકાર, લેખક, સંપાદક, ચરિત્રકાર પત્રકાર.  શાળાકીય અભ્યાસ ભરૂચમાં. બી.એ. ખાલસા કૉલેજ, મુંબઈ. જી.ડી.સી.એ. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ, મુંબઈમાં કલાની તાલીમ લીધી. કૉલેજમાં અભ્યાસ કરતાં કરતાં મુંબઈના ગુજરાતી દૈનિક ‘વંદે માતરમ્’, અંગ્રેજી સાપ્તાહિકો ‘બ્લિટ્ઝ’…

વધુ વાંચો >

વ્યાસ, રત્નાકર

Jan 4, 2006

વ્યાસ, રત્નાકર (જ. 2 જુલાઈ 1930, મુંબઈ; અ. 2003, મુંબઈ) : ભારતના જાણીતા સરોદવાદક. તેમના પિતા પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) સંગીતક્ષેત્રના શાસ્ત્રકાર તથા તેમના કાકા પંડિત નારાયણરાવ વ્યાસ (1902-19) ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વીસમી સદીના દિગ્ગજ ગાયકોમાં અગ્રણી ગણાતા હતા. રત્નાકરને શાસ્ત્રીય સંગીતની શિક્ષા બાલ્યાવસ્થાથી પિતા પાસેથી પ્રાપ્ત થઈ હતી…

વધુ વાંચો >

વ્યાસ, રાજશેખર

Jan 4, 2006

વ્યાસ, રાજશેખર (જ. 23 એપ્રિલ, 1961 ઉજ્જૈન, મ. પ્ર.) : હિંદી લેખક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. તેમણે આકાશવાણીમાં કાર્યક્રમોના ઉપનિયામક તરીકે સેવા આપી હતી. તેમણે અત્યારસુધીમાં 47 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘ઇન્કિલાબ’ (1989) ચરિત્ર છે. ‘મૃત્યુંજય ભગતસિંગ’ (1991) અને ‘કાલજાયી કાલિદાસ’ (1992) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મેરી કહાની’ (1988)…

વધુ વાંચો >

વ્યાસ, રેખા

Jan 4, 2006

વ્યાસ, રેખા (જ. 19 એપ્રિલ 1962, ઉદેપુર, રાજસ્થાન) : હિંદી કવયિત્રી. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટી, ઉદેપુરમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, કોટા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી મેળવી તેમજ પુણે અને દિલ્હીમાં અન્ય ટેક્નિકલ અભ્યાસક્ષેત્રોમાં પ્રશિક્ષણ મેળવ્યું. તેમણે દૂરદર્શન, દિલ્હી ખાતે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી કરી. તેઓ પીઆઇબી, દિલ્હીમાં મદદનીશ…

વધુ વાંચો >