વ્યાસ, રાજશેખર (. 23 એપ્રિલ, 1961 ઉજ્જૈન, . પ્ર.) : હિંદી લેખક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. તેમણે આકાશવાણીમાં કાર્યક્રમોના ઉપનિયામક તરીકે સેવા આપી હતી.

તેમણે અત્યારસુધીમાં 47 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘ઇન્કિલાબ’ (1989) ચરિત્ર છે. ‘મૃત્યુંજય ભગતસિંગ’ (1991) અને ‘કાલજાયી કાલિદાસ’ (1992) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મેરી કહાની’ (1988) ‘ઉગ્ર કે સાત રંગ’, ‘વિક્રમાદિત્ય’, ‘સ્વર્ણિમ ભારત’ (1997), ‘કુછ અધખુલે પન્ને’ (1997)  એ તમામ તેમના સંપાદિત નિબંધસંગ્રહો છે.

સર્જનાત્મક લખાણ માટે તેમને ડૉ. આંબેડકર સ્પેશિયલ સર્વિસ ઍવૉર્ડ, સિને ગોઅર્સ ઍસોસિએશન તરફથી 1992માં બેસ્ટ ડૉક્યુમેન્ટરી-મેકર ઍવૉર્ડ અને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા