૧૬.૦૬

મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી)થી મીંઢીઆવળ (સોનામુખી)

મીર, ઈઝરા

મીર, ઈઝરા (જ. 1903, કૉલકાતા; અ. 1993, મુંબઈ) : ભારતમાં વૃત્તચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સર્જક. કૉલકાતાના ખ્યાતનામ માદન થિયેટર્સ સાથે 1922માં જોડાયા ત્યારથી 1961માં ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતાપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી એકધારાં ચાળીસ વર્ષ તેમણે ચલચિત્રોનું અને ખાસ કરીને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. સ્નાતક થયા ત્યાં સુધીમાં તેમને…

વધુ વાંચો >

મીર, કાસમભાઈ નથુભાઈ

મીર, કાસમભાઈ નથુભાઈ (જ. 1906, ઉમરી ગામ, મહેસાણા; અ. 28 ઑક્ટોબર 1969) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ખ્યાતનામ દિગ્દર્શક, સંગીતકાર તથા અભિનેતા. શરૂઆત શ્રી આર્યનૈતિક નાટક સમાજથી 1917માં; પછી શ્રી વિજય નૌતમ નાટક સમાજમાં 1918માં; શ્રી દેશી નાટક કંપની લિમિટેડમાં 1920માં; શ્રી દેશી નાટક સમાજમાં 1924માં જોડાયા. હરગોવિંદદાસ જેઠાભાઈ શાહ સંસ્થાના…

વધુ વાંચો >

મીર કાસિમ

મીર કાસિમ (જ. ? ; અ. 8 મે, 1777, દિલ્હી) : બંગાળનો નવાબ. મીર કાસિમે બંગાળના નવાબ મીર જાફર વિરુદ્ધ કાવતરું કરીને અંગ્રેજોની મદદથી તેમાં સફળતા મેળવી. તેથી અંગ્રેજોએ 20 ઑક્ટોબર, 1760ના રોજ તેને બંગાળનો નવાબ બનાવ્યો હતો. તે મુશ્કેલીઓને સાચી રીતે સમજનાર, યોગ્ય અને મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. તેનામાં લશ્કરી…

વધુ વાંચો >

મીરચંદાણી, તારા

મીરચંદાણી, તારા (જ. 6 જુલાઈ 1930, હૈદરાબાદ, સિંધ, હાલ પાકિસ્તાન) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર તથા નાટ્યકાર. તેમને ‘હઠયોગી’ નામક નવલકથા માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. માત્ર 17 વર્ષની નાની વયે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. તેમનો લખવા-વાંચવાનો સાહિત્યિક શોખ પ્રોફેસર એમ. યુ. મલકાણીના સહવાસથી કેળવાયો–પોષાયો. તેમની પ્રથમ…

વધુ વાંચો >

મીરજ

મીરજ : મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 16° 50´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. પર આવેલો છે. ભૂપૃષ્ઠ : દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિભાગમાં આ તાલુકો આવેલો હોવાથી અહીં સહ્યાદ્રિ હારમાળાના ખડકો જોવા મળે છે. કૃષ્ણા નદી આ તાલુકામાંથી વહેતી હોવાથી તેના…

વધુ વાંચો >

મીર જાફર

મીર જાફર (રાજ્યકાલ : 1757–1765) : બંગાળનો એક સ્વતંત્ર નવાબ. તેણે બ્રિટિશ અધિકારી ક્લાઇવ સાથે કાવતરું કરીને પુરોગામી નવાબ સિરાજુદૌલાને 23 જૂન, 1757ના રોજ પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો. તેથી ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવ્યો. શાસક તરીકે તે અયોગ્ય, અશક્તિમાન અને દૂરંદેશી વિનાનો સાબિત થયો. મીર જાફર ધર્માન્ધ હોવાથી તેણે હિંદુ કર્મચારીઓના…

વધુ વાંચો >

મીર ઝમીર

મીર ઝમીર [જ. –; અ. 18 જૂન 1865 (હિ. 23 મોહર્રમ 1282)] : ઉર્દૂના કવિ. તેમનું નામ મુઝફ્ફરહુસેન અને તેમનું કવિનામ ‘ઝમીર’ હતું. ઉર્દૂ સાહિત્ય-જગતમાં તે ‘મીર ઝમીર’ના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ મીર કાદરહુસેન હતું. તેમની જન્મતારીખ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. 10 વર્ષની નાની વયથી જ મીર…

વધુ વાંચો >

મીરઝા અઝીઝ કોકા

મીરઝા અઝીઝ કોકા (જ. 1544 આશરે; અ. 1624, અમદાવાદ) : મુઘલ સમ્રાટ અકબરે નીમેલો ગુજરાતનો પ્રથમ સૂબેદાર. તે ‘ખાન આઝમ’ તરીકે જાણીતો અને અકબરનો દૂધભાઈ હતો. તેને કુલ ચાર વાર ગુજરાતનો સૂબેદાર નીમવામાં આવ્યો હતો. તેની પ્રથમ સૂબાગીરી (1573–75) દરમિયાન રાજા ટોડરમલે ગુજરાતમાં છ માસ રહીને દસ વર્ષ માટે મહેસૂલ-પદ્ધતિ…

વધુ વાંચો >

મીર તકી મીર

મીર તકી મીર [1722, અકબરાબાદ (આગ્રા); અ. 1810] : મુહમ્મદ તકી મીર અથવા મીર તકી મીર ઉર્દૂ ભાષાના પ્રશિષ્ટ કવિઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા કવિ. તેમના જીવનનો સમકાલીન સમય દેશેમાં અવ્યવસ્થા અને અશાંતિનો હતો. સલ્તનતનો વિલય અને અંગ્રેજોના ઉદયનો એ જ કાળ હતો. તેમની નબળી કૌટુંબિક સ્થિતિ અને સમાજની દયનીય પરિસ્થિતિએ…

વધુ વાંચો >

મીર તકી મીર (1954)

મીર તકી મીર (1954) : ઉર્દૂ લેખક ખ્વાજા અહમદ ફારૂકી(જ. 30 ઑક્ટોબર, 1917)નો અભ્યાસગ્રંથ. મીર તકી મીર વિશેનો આ સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ, વિસ્તૃત અને શ્રદ્ધેય ગ્રંથ લેખી શકાય; આ પૂર્વે કવિના જીવનકવન વિશે બહુ થોડા છૂટાછવાયા લેખો લખાયેલા મળે છે. પુસ્તકમાં પાંચ પ્રકરણો પાડવામાં આવ્યાં છે. પ્રથમ પ્રકરણમાં કવિનું જીવન તથા…

વધુ વાંચો >

મીનળદેવી (મયણલ્લાદેવી)

Feb 6, 2002

મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી) : સોલંકી રાજા કર્ણદેવ(રાજ્યકાલ : 1064–1094)ની રાણી અને સિદ્ધરાજ જયસિંહ(રાજ્યકાલ : 1094–1142)ની માતા. તે ચંદ્રપુર(કોંકણ)ના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી હતી. જયકેશી કર્ણાટકના ચાલુક્ય રાજાનો સામંત હતો. ગુજરાતના રાજા કર્ણદેવ સાથે લગ્ન કરવાનો નિશ્ર્ચય કરી તે પાટણ આવી હતી; પરંતુ એ કદરૂપી હોવાથી કર્ણદેવે તેના પ્રત્યે…

વધુ વાંચો >

મીનાકુમારી

Feb 6, 2002

મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની…

વધુ વાંચો >

મીનાસ્ય

Feb 6, 2002

મીનાસ્ય : દક્ષિણ ગોળાર્ધનો એક તેજસ્વી તારો. પશ્ચિમના દેશોમાં તે Fomalhaut તરીકે ઓળખાય છે. 1.17 તેજાંકનો આ તારો, આકાશના તેજસ્વી તારાઓમાં 18મા ક્રમે આવે છે. જેને ‘યામમત્સ્ય’ એટલે કે ‘દક્ષિણની માછલી’ કહેવામાં આવે છે. ‘Piscis Austrinus’ નામના તારામંડળનો આ પ્રમુખ તારો હોઈ, ખગોળવિજ્ઞાનીઓ એને α Piscis Austrinus નામે ઓળખે છે.…

વધુ વાંચો >

મીનિયા

Feb 6, 2002

મીનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એકેન્થેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Meyenia erecta syn. Thunbergia erecta છે. તેનો છોડ એકાદ મીટર ઊંચો થાય છે અને સારી રીતે ભરાવદાર હોય છે. પર્ણો સાધારણ નાનાં લંબગોળ, થોડી અણીવાળાં અને લીલાંછમ હોય છે. તેને શિયાળામાં પુષ્પો આવે છે.…

વધુ વાંચો >

મીનિયેરનો વ્યાધિ

Feb 6, 2002

મીનિયેરનો વ્યાધિ (Meniere’s disease) : ચક્કર, વધઘટ પામતી ચેતાસંવેદનાના વિકારથી થતી બહેરાશ તથા કાનમાં ઘંટડીનાદ(tinnitus)ના વારંવાર થતા અધિપ્રસંગો(episodes)વાળો રોગ. શરૂઆતમાં ફક્ત ચક્કર(vertigo)ની જ તકલીફ હોય અને જેમ જેમ રોગ વધે તેમ તેમ વધુ તીવ્રતા સાથે ચક્કર આવે છે તથા બહેરાશ અને ઘંટડીનાદની તકલીફો ઉમેરાય છે. તેનો વાર્ષિક નવસંભાવ્યદર (incidence) 0.5થી…

વધુ વાંચો >

મીનેટ

Feb 6, 2002

મીનેટ (1) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ‘લેમ્પ્રોફાયર’ જેવા સામૂહિક નામથી ઓળખાતા અગ્નિકૃત ખડકો પૈકીનો એક લાક્ષણિક પ્રકાર. તે મુખ્યત્વે મૅફિક ખનિજો પૈકી બાયૉટાઇટથી અને ફેલ્સ્પાર ખનિજો પૈકી ઑર્થોક્લેઝથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં નજીવા પ્રમાણમાં કેટલાંક અન્ય ખનિજો પણ હોઈ શકે છે. મીનેટ તેમજ ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ…

વધુ વાંચો >

મીર

Feb 6, 2002

મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી,…

વધુ વાંચો >

મીર અનીસ

Feb 6, 2002

મીર અનીસ (જ. 1801, ફૈઝાબાદ; અ. 1874) : ઉર્દૂના ખ્યાતનામ મરસિયા-લેખક. આખું નામ મીર બબર-અલી અનીસ. તેમના પિતા મીર મુહમ્મદ મુસ્તહસન ખલીક પણ મરસિયા-લેખક હતા. પિતાની સાથે બાળપણમાં જ તેઓ લખનૌ જઈ વસ્યા હતા. તેમણે અરબી-ફારસી તથા ધાર્મિક ગ્રંથોના અભ્યાસની સાથે સાથે ઘોડેસવારીની તથા લશ્કરી તાલીમ પણ મેળવી હતી. તેમણે…

વધુ વાંચો >

મીર અબૂ તુરાબ વલી

Feb 6, 2002

 મીર અબૂ તુરાબ વલી: જુઓ, અબૂ તુરાબ વલી

વધુ વાંચો >

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો)

Feb 6, 2002

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો) : ઉર્દૂ ગદ્યલેખક તથા કવિ અને ‘બાગ વ બહાર’ નામની દાસ્તાનના કર્તા. તેમનાં ઉપનામ ‘લુત્ફ’, ‘અમ્મન’ હતાં. તેમના વડવાઓ મુઘલ બાદશાહ હુમાયૂંના સમયથી રાજદરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. મીર અમ્મન દિલ્હીના છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહના સમયમાં થઈ ગયા. તેઓ દિલ્હીમાં જમીન-જાગીર ધરાવતા હતા, પરંતુ અહમદશાહ…

વધુ વાંચો >