૧૬.૦૬

મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી)થી મીંઢીઆવળ (સોનામુખી)

મીરા દાતાર સૈયદઅલી

મીરા દાતાર સૈયદઅલી (જ. 1474, ગુજરાત; અ. 1492, મીરા દાતાર, ઉનાવા, જિ. મહેસાણા) : સલ્તનતકાલીન ગુજરાતના એક પ્રસિદ્ધ પીર. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે મીરા દાતાર સૈયદઅલીની દરગાહ છે. મીરા દાતાર સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. તેમને બે પુત્રો હતા. મોટો પુત્ર અબુ મહંમદ અને…

વધુ વાંચો >

મીરાન, તોપ્પિલ મોહમ્મદ

મીરાન, તોપ્પિલ મોહમ્મદ (જ. 26 સપ્ટેમ્બર 1944, નાગરકોઈલ, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર. તેમને ‘ચાયવુ નારકાલિ’ નવલકથા માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વ્યવસાયી લેખકે ચાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તે માટે તેમને તમિળનાડુ રાજ્ય પુરસ્કાર, ઇલક્કિય ચિંતામણિ પુરસ્કાર વગેરે પુરસ્કારોનું સન્માન સાંપડ્યું…

વધુ વાંચો >

મીરાં

મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે…

વધુ વાંચો >

મીરાંબહેન

મીરાંબહેન (જ. 22 નવેમ્બર 1892, ઇંગ્લૅન્ડ; અ. 20 જુલાઈ 1982, વિયેના, ઑસ્ટ્રિયા) : મહાત્મા ગાંધીનાં અંતેવાસી અંગ્રેજ મહિલા. રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનું નામ મેડેલિન સ્લેડ હતું. તેમના પિતા સર એડમંડ સ્લેડ ઉમરાવ કુટુંબના વિશિષ્ટ અંગ્રેજ સદગૃહસ્થ હતા. મેડેલિને પોતાના ઘરમાં શિક્ષણ લીધું હતું. તેમને ફૂલ, પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ…

વધુ વાંચો >

મીરી જિયરી

મીરી જિયરી (1895) : મીરી જનજાતિના જીવન પર આધારિત રજનીકાન્ત બરદલૈ(1867–1939)ની પ્રસિદ્ધ અસમિયા નવલકથા. રજનીકાન્ત બરદલૈએ ‘મનોમતી’, ‘રંગિલિ’, ‘નિર્મલ ભક્ત’, ‘રાહદોઇ લિગિર’, ‘તામ્રેશ્વરીર મંદિર’ જેવી આઠેક નવલકથાઓ લખી છે; જેમાં ‘મીરી જિયરી’ (મીરી કન્યા) સૌથી પહેલી છે. આદિમ જનજાતિઓ વિશે જે સમયે ભાગ્યે જ કોઈ વિચાર કરતું તે વખતે રજનીકાન્ત…

વધુ વાંચો >

મીરો, જોન

મીરો, જોન (જ. 20 એપ્રિલ 1893, આધુનિક બાર્સિલોના, સ્પેન; અ. 25 ડિસેમ્બર 1983, મર્જોસ્કા, સ્પેન) : સ્પૅનિશ પરાવાસ્તવવાદી (Surrealist) ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ કર્યો કારકુન તરીકે, પણ તેમાં નિષ્ફળતા મળી. તે પછી તેમણે પૅરિસ તથા બાર્સિલોનાની કલાશાળામાં અને કૅલી અકાદમીમાં તાલીમ લીધી. 1920 દરમિયાન તેઓ પરાવાસ્તવવાદના સંપર્કમાં આવ્યા અને એ શૈલીના…

વધુ વાંચો >

મીર્ટેસી

મીર્ટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 80 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનું બનેલું છે અને લગભગ સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય વિતરણ ધરાવે છે. તેના વિતરણનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અનષ્ઠિલ (berry) ફળ ધરાવતા મીર્ટોઇડી ઉપકુળ માટે ઉષ્ણકટિબંધીય અમેરિકા; અને (2) પ્રાવર (capsule) ફળવાળા લેપ્ટોસ્પર્મોઇડી ઉપકુળ માટે…

વધુ વાંચો >

મી લાઈની ઘટના

મી લાઈની ઘટના : વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની સંડોવણીની અત્યંત નિર્દય ઘટના. આ ઘટનામાં 16 માર્ચ 1968ના રોજ અમેરિકન પાયદળ ટુકડીએ મી લાઈ 4 નામના ગામડામાં 400 નિ:શસ્ત્ર વિયેટનામી નાગરિકોની સામૂહિક કતલ કરી હતી. અમેરિકન ટુકડીને દક્ષિણ વિયેટનામના ઈશાન કાંઠે આવેલા ક્વાંગ ન્ગાઈ પ્રાંતમાં હેલિકૉપ્ટરથી ઉતારવામાં આવી હતી. આ પ્રદેશ દાયકાઓથી…

વધુ વાંચો >

મીલૉઝ, ચેસ્લૉ

મીલૉઝ, ચેસ્લૉ (જ. 30 જૂન 1911; ઝેતેઝની, વિલનિયસ લિથ્યુએનિયા; અ. 14 ઑગષ્ટ 2004, Krakow, પોલૅન્ડ) : પોલિશ કવિ, નવલકથાકાર, નિબંધકાર, અનુવાદક તથા ભાષાશાસ્ત્રી. 1980ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારવિજેતા. પોલિશ ઉપરાંત અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓના પણ જાણકાર. ટી. એસ. એલિયટ, વૉલ્ટ વ્હિટમન અને કાર્લ સૅન્ડબર્ગનાં અંગ્રેજી કાવ્યો અને…

વધુ વાંચો >

મીસા

મીસા : 1975માં ભારતમાં જાહેર થયેલી આંતરિક કટોકટી દરમિયાન સુધારાઓ સાથે સખ્તાઈપૂર્વક અમલમાં મુકાયેલો અટકાયતી ધારો. ‘મીસા’(MISA)ના ટૂંકાક્ષરી નામે જાણીતા થયેલા ભારતની આંતરિક સલામતી માટેના કાનૂન(Maintenance of Internal Security Act)ને લીધે, 1975ની આંતરિક કટોકટી દરમિયાન પ્રજાજીવનનાં વિભિન્ન ક્ષેત્રો પર, અનેક સ્તરે, ગંભીર અસરો સર્જાઈ હતી. ખાસ કરીને ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ…

વધુ વાંચો >

મીનળદેવી (મયણલ્લાદેવી)

Feb 6, 2002

મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી) : સોલંકી રાજા કર્ણદેવ(રાજ્યકાલ : 1064–1094)ની રાણી અને સિદ્ધરાજ જયસિંહ(રાજ્યકાલ : 1094–1142)ની માતા. તે ચંદ્રપુર(કોંકણ)ના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી હતી. જયકેશી કર્ણાટકના ચાલુક્ય રાજાનો સામંત હતો. ગુજરાતના રાજા કર્ણદેવ સાથે લગ્ન કરવાનો નિશ્ર્ચય કરી તે પાટણ આવી હતી; પરંતુ એ કદરૂપી હોવાથી કર્ણદેવે તેના પ્રત્યે…

વધુ વાંચો >

મીનાકુમારી

Feb 6, 2002

મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની…

વધુ વાંચો >

મીનાસ્ય

Feb 6, 2002

મીનાસ્ય : દક્ષિણ ગોળાર્ધનો એક તેજસ્વી તારો. પશ્ચિમના દેશોમાં તે Fomalhaut તરીકે ઓળખાય છે. 1.17 તેજાંકનો આ તારો, આકાશના તેજસ્વી તારાઓમાં 18મા ક્રમે આવે છે. જેને ‘યામમત્સ્ય’ એટલે કે ‘દક્ષિણની માછલી’ કહેવામાં આવે છે. ‘Piscis Austrinus’ નામના તારામંડળનો આ પ્રમુખ તારો હોઈ, ખગોળવિજ્ઞાનીઓ એને α Piscis Austrinus નામે ઓળખે છે.…

વધુ વાંચો >

મીનિયા

Feb 6, 2002

મીનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એકેન્થેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Meyenia erecta syn. Thunbergia erecta છે. તેનો છોડ એકાદ મીટર ઊંચો થાય છે અને સારી રીતે ભરાવદાર હોય છે. પર્ણો સાધારણ નાનાં લંબગોળ, થોડી અણીવાળાં અને લીલાંછમ હોય છે. તેને શિયાળામાં પુષ્પો આવે છે.…

વધુ વાંચો >

મીનિયેરનો વ્યાધિ

Feb 6, 2002

મીનિયેરનો વ્યાધિ (Meniere’s disease) : ચક્કર, વધઘટ પામતી ચેતાસંવેદનાના વિકારથી થતી બહેરાશ તથા કાનમાં ઘંટડીનાદ(tinnitus)ના વારંવાર થતા અધિપ્રસંગો(episodes)વાળો રોગ. શરૂઆતમાં ફક્ત ચક્કર(vertigo)ની જ તકલીફ હોય અને જેમ જેમ રોગ વધે તેમ તેમ વધુ તીવ્રતા સાથે ચક્કર આવે છે તથા બહેરાશ અને ઘંટડીનાદની તકલીફો ઉમેરાય છે. તેનો વાર્ષિક નવસંભાવ્યદર (incidence) 0.5થી…

વધુ વાંચો >

મીનેટ

Feb 6, 2002

મીનેટ (1) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ‘લેમ્પ્રોફાયર’ જેવા સામૂહિક નામથી ઓળખાતા અગ્નિકૃત ખડકો પૈકીનો એક લાક્ષણિક પ્રકાર. તે મુખ્યત્વે મૅફિક ખનિજો પૈકી બાયૉટાઇટથી અને ફેલ્સ્પાર ખનિજો પૈકી ઑર્થોક્લેઝથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં નજીવા પ્રમાણમાં કેટલાંક અન્ય ખનિજો પણ હોઈ શકે છે. મીનેટ તેમજ ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ…

વધુ વાંચો >

મીર

Feb 6, 2002

મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી,…

વધુ વાંચો >

મીર અનીસ

Feb 6, 2002

મીર અનીસ (જ. 1801, ફૈઝાબાદ; અ. 1874) : ઉર્દૂના ખ્યાતનામ મરસિયા-લેખક. આખું નામ મીર બબર-અલી અનીસ. તેમના પિતા મીર મુહમ્મદ મુસ્તહસન ખલીક પણ મરસિયા-લેખક હતા. પિતાની સાથે બાળપણમાં જ તેઓ લખનૌ જઈ વસ્યા હતા. તેમણે અરબી-ફારસી તથા ધાર્મિક ગ્રંથોના અભ્યાસની સાથે સાથે ઘોડેસવારીની તથા લશ્કરી તાલીમ પણ મેળવી હતી. તેમણે…

વધુ વાંચો >

મીર અબૂ તુરાબ વલી

Feb 6, 2002

 મીર અબૂ તુરાબ વલી: જુઓ, અબૂ તુરાબ વલી

વધુ વાંચો >

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો)

Feb 6, 2002

મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો) : ઉર્દૂ ગદ્યલેખક તથા કવિ અને ‘બાગ વ બહાર’ નામની દાસ્તાનના કર્તા. તેમનાં ઉપનામ ‘લુત્ફ’, ‘અમ્મન’ હતાં. તેમના વડવાઓ મુઘલ બાદશાહ હુમાયૂંના સમયથી રાજદરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. મીર અમ્મન દિલ્હીના છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહના સમયમાં થઈ ગયા. તેઓ દિલ્હીમાં જમીન-જાગીર ધરાવતા હતા, પરંતુ અહમદશાહ…

વધુ વાંચો >