૧૫.૧૬

મહારાજા અજિતસિંહથી મહિલાઓ અને કાયદો

મહારાજા અજિતસિંહ

મહારાજા અજિતસિંહ : મુઘલ બાદશાહ ફર્રુખસિયરના ગુજરાતના સૂબેદાર (1715–17 અને 1719–21). ગુજરાતમાં શાહજાદા મુહમ્મદ આઝમશાહની સૂબેદારી દરમિયાન દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડો સાથેનું સમાધાન સ્વીકાર્યું હતું; પરંતુ મહારાજા અજિતસિંહને પોતાને મળેલી જાગીરોથી સંતોષ નહોતો. તેઓ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતા. સુજાતખાનના અવસાન(ઈ. સ. 1701)થી એમના પર રહેલો…

વધુ વાંચો >

મહારાજા જશવંતસિંહ

મહારાજા જશવંતસિંહ (ઈ. સ. 1659–62 અને 1670–72) : જોધપુરના મહારાજા અને ઔરંગઝેબના ગુજરાતના સૂબેદાર. શાહજહાંના નાના પુત્ર મુરાક્ષના સમય(ઈ. સ. 1657)માં જોધપુરના મહારાજા જશવંતસિંહ માળવાના સૂબેદાર નિમાયેલા. ઈ. સ. 1659માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી મહારાજા જશવંતસિંહને સોંપી. દખ્ખણમાં શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઇસ્તખાનને મદદ કરવા અને સોરઠના ફોજદાર કુત્બુદ્દીનને નવો…

વધુ વાંચો >

મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે

મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે : સન 1888માં પુણેમાં સ્થાપવામાં આવેલી એક વેધશાળા. આ વેધશાળા 1888થી 1912 સુધી કાર્યરત રહી. મહારાજા તખ્તસિંહજી વેધશાળા તરીકે ઓળખાતી આ વેધશાળા તેના નામ સાથે સંકળાયેલા ભાવનગરના મહારાજાની માલિકીની નહિ, પરંતુ તે કાળના મુંબઈ પ્રાન્તની સરકારની માલિકીની હતી. તખ્તસિંહજી વેધશાળાના સ્થાપક કાવસજી દાદાભાઈ નાયગામવાલા (1857–1938) એક…

વધુ વાંચો >

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા (1961) : વડોદરાનું મૂલ્યવાન કલા-સંગ્રહાલય. મોતીબાગમાં આવેલી મોતીબાગ સ્કૂલના મકાનમાં આ મ્યુઝિયમ આવેલું છે. મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરા શહેર અને રાજ્યને કલાકૃતિઓથી સમૃદ્ધ કરવા માટે દેશવિદેશમાંથી ખરીદેલી અને કેટલીક ખાસ તૈયાર કરાવેલી કલાકૃતિઓને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં 22 ખંડો અને વિશાળ ગૅલરી છે. તેમાં…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા : ગુજરાતનું પુરાતત્વવિષયક એક મહત્વનું મ્યુઝિયમ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ તરફથી અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્થળ-તપાસ અને ઉત્ખનનની તાલીમ અર્થે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનનાં પુરાતાત્ત્વિક મહત્વ ધરાવતાં સ્થાનોએ સંશોધન-ઉત્ખનન હાથ ધરવામાં આવતાં અને તે નિમિત્તે જે સામગ્રી પ્રાપ્ત થતી તેનો સંગ્રહ…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા : પશ્ચિમ ભારતની જાણીતી યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ. સ્થાપનાનું બીજ વીસમી સદીના પ્રથમ દાયકામાં જ રોપાયું હતું. વડોદરા કૉલેજના આચાર્ય ડૉ. જેકસને વડોદરામાં સ્વતંત્ર વહીવટી સત્તાવાળા વિજ્ઞાન વિદ્યાલયની આવશ્યકતા જણાવી. આના અનુસંધાનમાં 1909માં…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ : મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસાર્થે સ્થાપવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યની કેન્દ્રીય સાહિત્યિક સંસ્થા. તેની સ્થાપના 1906માં લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સન 2001માં તેના આજીવન સભ્યોની સંખ્યા 7,000 જેટલી હતી તથા તેની શાખાઓની સંખ્યા 35 જેટલી હતી. પરિષદનું કાર્ય મુખ્યત્વે સાહિત્યવિષયક હોવાથી વર્ષ દરમિયાન…

વધુ વાંચો >

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…

વધુ વાંચો >

મહાલેનોબીસ મૉડેલ

મહાલેનોબીસ મૉડેલ : વિખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહાલેનોબીસે ભારતના આર્થિક આયોજન દ્વારા દેશનો ઝડપી વિકાસ સાધવાની દિશામાં ઉપયુક્ત ગણાય તેવાં રજૂ કરેલ મૉડેલ. 1. ભારતના આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આયોજનની વિચારધારાની નક્કર ભૂમિકા 1919ની રશિયન ક્રાંતિ પછી બંધાઈ. 1934માં તત્કાલીન મૈસૂર રાજ્યના ઘડવૈયા અને વિખ્યાત ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાએ ભારતના ઝડપી…

વધુ વાંચો >

મહાવર્તુળ માર્ગ

Jan 16, 2002

મહાવર્તુળ માર્ગ (great circle route) : પૃથ્વીના ગોળા પરનાં બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું (સૌથી નાનું) અંતર. આ અંતર, જે સપાટી (plane) પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય તેમાં સમાવાય છે. આ હકીકતનો ખ્યાલ ગણિતજ્ઞોને કોલંબસના સમય પહેલાંથી હતો; પરંતુ અઢારમી સદી પછી પૃથ્વી પરની આડી રેખાઓ, હવાઓના પ્રવાહો વગેરેની જાણકારી વધી…

વધુ વાંચો >

મહાવિસ્ફોટ

Jan 16, 2002

મહાવિસ્ફોટ (Big Bang) : વિશ્વના આરંભે મળતી અસામાન્યતા (singularity). આ મહાવિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. તે છતાં અતિદાબ હેઠળ જકડાઈ રહેલી ઊર્જાના વિસ્ફોટને કારણે તે થયો હોવાનું મનાય છે. તે સાથે તેનાં અભ્યાસ અને અર્થઘટનોના પ્રયાસો ચાલુ જ છે. બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)ના સિદ્ધાંતોને આધારે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આશરે 12થી 20…

વધુ વાંચો >

મહાવીરચરિય (1083)

Jan 16, 2002

મહાવીરચરિય (1083) : પ્રાકૃત ભાષાનું ઉત્તમ ગદ્યકાવ્ય. આ કૃતિના કર્તા ગુણચન્દ્ર પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ દેવભદ્રસૂરિ હતું. તેઓ સુમતિવાચકના પણ શિષ્ય હતા. તેમણે ‘કહારયણકોસ’, ‘પાસનાહચરિય’, ‘અનંતનાથસ્તોત્ર’, ‘વીતરાગસ્તોત્ર’ અને ‘પ્રમાણપ્રકાશ’ વગેરે ગ્રંથો રચ્યા છે. ગુરુના ઉપદેશથી અને છત્રાલનિવાસી શેઠ શિષ્ટ અને વીરની પ્રાર્થનાથી આ કૃતિ રચાઈ હતી. પ્રાકૃતભાષાબદ્ધ, ગદ્યપદ્યાત્મક…

વધુ વાંચો >

મહાવીર સ્વામી

Jan 16, 2002

મહાવીર સ્વામી (જ. ઈ. પૂ. 599, ક્ષત્રિયકુંડપુર; નિર્વાણ : ઈ. પૂ. 527, પાવાપુરી, બિહાર) : જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર. તેમનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડપુર એ પટણાથી થોડા માઈલ દૂર આવેલું આજનું બસાડ ગામ હોવાનું ઇતિહાસકારો માને છે. મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. માતા…

વધુ વાંચો >

મહાવીરાચાર્ય

Jan 16, 2002

મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ.…

વધુ વાંચો >

મહાશિવરાત્રિ

Jan 16, 2002

મહાશિવરાત્રિ : ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ. દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષશિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની…

વધુ વાંચો >

મહાશ્વેતા કાદંબરી

Jan 16, 2002

મહાશ્વેતા કાદંબરી : કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તરે લખેલું ગુજરાતી નાટક. સંસ્કૃત ભાષાના કવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના આધારે રચાયેલું આ નાટક 1910માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’એ ભજવ્યું હતું. બાણભટ્ટની અટપટી અને આંટીઘૂંટીવાળી લાંબી કથાને નાટકમાં ઢાળતાં એમણે ઘણી કાપકૂપ કરી છે. નાટકો માટે સંસ્કૃત કથાને પસંદ કરી નવો અભિગમ અપનાવવાનું તેમનું ર્દષ્ટિબિંદુ…

વધુ વાંચો >

મહાશ્વેતાદેવી

Jan 16, 2002

મહાશ્વેતાદેવી (જ. 1926, ઢાકા, બંગાળ) : જાણીતાં બંગાળી વાર્તાકાર અને નવલકથાકાર – અભ્યાસી સર્જક. કલાપ્રેમી બંગાળી પરિવારમાં જન્મ. પિતા મનીષ ઘટક અને માતા ધરિત્રીદેવી. પિતા લેખકોના નવતર કલ્લોલ જૂથના સભ્ય. ફિલ્મ-નિર્દેશક ઋત્વિક ઘટકનાં તેઓ બહેન થાય. વિશ્વભારતીમાંથી 1946માં બી. એ., કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપરાંત…

વધુ વાંચો >

મહાસાગર-સ્થિત ટાપુઓ

Jan 16, 2002

મહાસાગર-સ્થિત ટાપુઓ (Oceanic Islands) : ઊંડા સાગરતળમાંથી ઉદભવેલા અને સમુદ્રસપાટી પર બહાર દેખાતા ટાપુઓ. વિશાળ મહાસાગરથાળાની ધાર પર આવેલા સમુદ્રો અને અખાતોમાં જોવા મળતા મોટાભાગના ટાપુઓ તેમજ છીછરી ખંડીય છાજલીઓ પરના ટાપુઓ નજીક આવેલા ખંડોનાં ભૂસ્તરીય લક્ષણોવાળા હોય છે, તેથી તેમનો અહીં સમાવેશ થતો નથી. મહાસાગર-થાળાંઓમાંથી ઉદભવેલા, પરવાળાંના ખરાબાઓ સહિત…

વધુ વાંચો >

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો

Jan 16, 2002

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો : સમુદ્ર કે મહાસાગરતળમાં જોવા મળતાં સીધા ઢોળાવવાળાં, સાંકડાં, ઊંડાં ગર્ત. આ પ્રકારનાં ગર્ત ભૂમિસ્વરૂપોમાં જોવા મળતી ઊભી, સાંકડી V-આકારની ખીણોને સમકક્ષ હોય છે. તેમની દીવાલો છેક તેમના તળ સુધી વિસ્તરેલી હોય છે. આમ તો સમુદ્ર કે મહાસાગરનું તળ જાતજાતનાં વિવિધ લક્ષણો ધરાવતું હોય છે, પરંતુ આ…

વધુ વાંચો >