૧૩.૨૨

બુખારિન નિકોલાઈ ઇવાનૉવિચથી બુલંદ દરવાજો

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં…

વધુ વાંચો >

બુખારી, મહેમૂદશાહ ભડિયાદી

બુખારી, મહેમૂદશાહ ભડિયાદી (સત્તરમી સદી) : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક. તેઓ સત્તરમી સદીમાં બુખારાથી ભારત આવીને ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસલમાન – બધા લોકોને શાંતિથી, હળીમળીને રહેવાનો બોધ આપતા હતા. તેમના સંદેશામાં કોમી એકતાનાં દર્શન થતાં હતાં. તેથી તેમના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધોબી,…

વધુ વાંચો >

બુખારી, શરફુદ્દીન મુહમ્મદ

બુખારી, શરફુદ્દીન મુહમ્મદ (જ. ?; અ. 1515) : ‘તારીખે ગુજરાત’ નામના ફારસી ગ્રંથના લેખક. શરફુદ્દીન મુહમ્મદ બિન અહમદ બિન ઈસા બિન અલી બુખારી વિશે માહિતી ઉપલબ્ધ નથી. તેમના ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે કે તેમણે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રણ ખંડોમાં ફારસી ભાષામાં લખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેના પહેલા બે ખંડ…

વધુ વાંચો >

બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક

બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક (સોળમી સદીમાં હયાત) : ફારસી તવારીખકાર. તેઓ વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુખારી સંત હ. બુરહાનુદ્દીન કુત્બે આલમના વંશજ હતા. તેમનું વાંશિક નામ આ પ્રમાણે છે : મહમૂદ બિન જલાલ મુનવ્વિરુલ મુલ્ક બિન મુહમ્મદ ઉર્ફે સય્યદજી બિન અબ્દુલવહાબ બિન એહમદ ઉર્ફે શાહપીર બિન બુરહાનુદ્દીન કુત્બે આલમ. તેમનો જન્મ…

વધુ વાંચો >

બુખારેસ્ટ

બુખારેસ્ટ : રુમાનિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 28´ ઉ. અ. અને 26° 08´ પૂ. રે. તે રુમાનિયાના અગ્નિભાગમાં ડેન્યૂબની શાખાનદી દિમ્બોવિતાના બંને કાંઠા પર વસેલું છે. 1862થી તે દેશની રાજધાનીનું સ્થળ હોવા ઉપરાંત સાંસ્કૃતિક અને વાણિજ્યમથક પણ છે. ઓગણીસમી અને વીસમી સદીના સંક્રાંતિકાળ દરમિયાન…

વધુ વાંચો >

બુચ્ચિબાબુ

બુચ્ચિબાબુ (જ. 1916, ગંતૂર; અ. 1967) : તેલુગુના લોકપ્રિય નવલકથાકાર તથા નવલિકાકાર. ‘બુચ્ચિબાબુ’ એમનું તખલ્લુસ હતું. એમનું મૂળ નામ શિવરાજુ વ્યંકટ સુબારાવ હતું. તેઓ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા, અને એમનું શિક્ષણ ગંતૂર અને ચેન્નાઈમાં થયું હતું. તેઓ અંગ્રેજી સાહિત્યના વિષયમાં એમ.એ. થયા હતા તથા અનંતપુર અને વિશાખાપટ્ટનમની કૉલેજોમાં…

વધુ વાંચો >

બુજુમ્બુરા

બુજુમ્બુરા : મધ્ય આફ્રિકાના બુરુન્ડી દેશનું પાટનગર તથા સૌથી મોટું શહેર. તે દેશના પશ્ચિમ ભાગમાં ટાંગાનીકા સરોવરના ઈશાન ખૂણા પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 3° 23´ દ.અ. અને 29° 22´ પૂ. રે. તેની વસ્તી 3,00,000 (1994) છે. બુજુમ્બુરા દેશની મોટાભાગની વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલું છે. તે ટાંગાનીકા સરોવર…

વધુ વાંચો >

બુઝર્વા

બુઝર્વા : ઔદ્યોગિક માલિકી દ્વારા હંમેશાં રાજકીય પ્રભુત્વ જાળવી રાખવા ઉત્સુક મૂડીવાદી વર્ગ. મધ્યયુગમાં ફ્રાંસમાં શહેરની દીવાલોની અંદર વસતો ગ્રામીણ પ્રજા કરતાં કંઈક ધનિક એવો વર્ગ. શબ્દકોશોમાં તેને મધ્યમવર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે. ફ્રાંસનો આ શહેરી, ધનિક અને નાનકડો વર્ગ સમાજમાં ઉપલા વર્ગ તરીકેની માન્યતા ધરાવતો નહોતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના…

વધુ વાંચો >

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત (જ. 21 મે 1851, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1925, શેટો દ’ ઑંજેં, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજપુરુષ તથા નોબેલ પારિતોષિકવિજેતા શાંતિવાદી કાર્યકર. કાયદાનું શિક્ષણ પૂરું કરીને લિયોં 1876માં ફ્રાન્સની શાસનસેવામાં અધિકારી તરીકે જોડાયા. 1887માં તેઓ પૅરિસના સેઇન વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારી થયા. 1888માં માર્ની મંડળમાંથી રાષ્ટ્રીય સંસદમાં…

વધુ વાંચો >

બુઝુર્ગ અલવી

બુઝુર્ગ અલવી (જ. 1907, ઈરાન) : આધુનિક ફારસી લેખક. તેઓ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, પાશ્ચાત્ય શૈલી અપનાવવા છતાં, પોતાની કલાને મૂળભૂત રીતે ઈરાની વિશિષ્ટતાઓવાળી રાખવામાં સફળ રહ્યા છે. આધુનિક ફારસી ગદ્યકારોમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ 1922માં અભ્યાસાર્થે જર્મની ગયા હતા અને ત્યાંના નિવાસ દરમિયાન સિગ્મન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થયા હતા.…

વધુ વાંચો >

બુધ (મૂર્તિવિધાન)

Jan 22, 2000

બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ…

વધુ વાંચો >

બુધગુપ્ત

Jan 22, 2000

બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…

વધુ વાંચો >

બુદ્ધિ અને બુદ્ધિમાપન

Jan 22, 2000

બુદ્ધિ અને બુદ્ધિમાપન મનની એક શક્તિ અને તેનું માપન. બુદ્ધિ મનની એક શક્તિ ગણાય છે. પરંતુ એના સ્વરૂપ અંગે અનેક મતમતાંતર છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને મનની એક સાર્વત્રિક શક્તિ માને છે, જે દરેક મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેના આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની…

વધુ વાંચો >

બુદ્ધિધન નિસ્સરણ

Jan 22, 2000

બુદ્ધિધન નિસ્સરણ (brain drain) : કોઈ પણ દેશના નિષ્ણાત લોકો (એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, ટૅકનિશિયનો અને જુદા જુદા વિષયમાં નામાંકિત વ્યક્તિઓ) પોતાનો દેશ છોડીને વધારે આવક મેળવવા માટે થોડાં વર્ષો કે કાયમ માટે બીજા દેશોમાં નોકરી-ધંધા સ્વીકારી ત્યાં સ્થળાંતર કરે તે. બુદ્ધિધન નિસ્સરણને માનવમૂડીની નિકાસ પણ કહી શકાય. બુદ્ધિધન નિસ્સરણ એ…

વધુ વાંચો >

બુદ્ધિપ્રકાશ

Jan 22, 2000

બુદ્ધિપ્રકાશ (1854થી ચાલુ) : ગુજરાત વિદ્યાસભા(અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નું ગુજરાતી મુખપત્ર. 1818માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા. ઇતિહાસમાં તેમજ ઇતિહાસને લગતાં તથા અન્ય પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ કરવાનો તેમને ભારે શોખ હતો. ગુજરાતની પ્રજામાં વિદ્યા-કેળવણીનો પ્રસાર થાય, તેમને માટે પુસ્તકો સુલભ બને,…

વધુ વાંચો >

બુદ્ધિસાગરસૂરિ

Jan 22, 2000

બુદ્ધિસાગરસૂરિ (જ. 31 જાન્યુઆરી 1874, વિજાપુર; અ. 9 જૂન 1925, વિજાપુર) : જૈન ધર્મના સુપ્રસિદ્ધ કવિ, લેખક, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય. દીક્ષા પૂર્વેનું નામ બેચરદાસ શિવાભાઈ પટેલ. જ્ઞાતિએ કડવા પાટીદાર. વિજાપુરની ગ્રામશાળામાં ગુજરાતી છ ચોપડી સુધી અભ્યાસ. ધીમે ધીમે સ્વપ્રયત્ને સંસ્કૃત અને પ્રાકૃત શીખ્યા. પિતૃપક્ષે શિવપૂજક અને માતૃપક્ષે વૈષ્ણવ ધર્મના…

વધુ વાંચો >

બુનબુન (લછમન રૈના)

Jan 22, 2000

બુનબુન (લછમન રૈના) (જ. 1812; અ. 1884) : કાશ્મીરી લેખક.  ફારસી મહાકાવ્ય ‘શાહનામા’નું ‘સમનામા’ નામે કાશ્મીરીમાં રૂપાંતર કરનાર ‘બુનબુન’ (તખલ્લુસ) કાશ્મીરી સાહિત્યના અગ્રગણ્ય કવિ છે. રૂપાંતર કરતાં, એમણે મૂળ ફારસીના માળખાનું એવું પરિવર્તન કર્યું છે, કે એ કાવ્ય પૂર્ણાંશે કાશ્મીરી લાગે. પાત્રોનાં નામો, સ્થળવર્ણનો, અલંકારો, રીતરિવાજો અને સમગ્ર વાતાવરણ કાશ્મીરનું…

વધુ વાંચો >

બુનવેલ, લૂઈ

Jan 22, 2000

બુનવેલ, લૂઈ (જ. 22 ફેબ્રુઆરી 1900, કાલાન્ડા, સ્પેન; અ. 1983) : અતિવાસ્તવવાદી (Surrealistic) ફ્રેન્ચ ચલચિત્રદિગ્દર્શક. પિતા જમીનદાર હતા. મૅડ્રિડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન સાલ્વાડોર ડાલી, ગાર્સિયા લૉરકા અને સ્પેનના અન્ય આશાસ્પદ બુદ્ધિજીવીઓ સાથે મિત્રતા થઈ. સિનેમામાં રસ જાગતાં 1920માં તેમણે સિને-ક્લબ સ્થાપી, જે યુરોપની પ્રારંભની સિને-ક્લબોમાંની એક ગણાઈ. 1925માં તેઓ પૅરિસની…

વધુ વાંચો >

બુનિયાદી શિક્ષણ

Jan 22, 2000

બુનિયાદી શિક્ષણ : ગાંધીવિચાર અનુસારનું પાયાનું શિક્ષણ. આ શિક્ષણને મહાત્મા ગાંધીજીની ભારતને દેન માનવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણવિષયક પોતાના વિચારો 1937ના જુલાઈ માસના ‘હરિજન’માં રજૂ કર્યા હતા અને પછી તે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937ના ઑક્ટોબર માસમાં રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન વર્ધા મુકામે યોજવામાં આવ્યું હતું. એ સંમેલનમાં ગાંધીજીના વિચારો…

વધુ વાંચો >

બુન્દાબર્ગ

Jan 22, 2000

બુન્દાબર્ગ : ઑસ્ટ્રેલિયા ખંડના ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિકોણમાં પેસિફિક મહાસાગરને કિનારે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 24° 52´ દ. અ. અને 152° 21´ પૂ. રે. તે બ્રિસ્બેનથી આશરે 320 કિમી. અંતરે ઉત્તર તરફ બર્નેટ નદી પર વસેલું છે. તેની વસ્તી 52,267 (1993) જેટલી છે. બુન્દાબર્ગ અહીં શેરડી ઉગાડતા પટ્ટાના દક્ષિણ ભાગનું…

વધુ વાંચો >