૧૩.૦૭

બહાઈ પંથથી બહુજનીનિક વારસો

બહાઈ પંથ

બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…

વધુ વાંચો >

બહાદુરખાં

બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…

વધુ વાંચો >

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…

વધુ વાંચો >

બહાદુરશાહ ‘ઝફર’

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…

વધુ વાંચો >

બહાદુરશાહ સુલતાન

બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…

વધુ વાંચો >

બહામા

બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…

વધુ વાંચો >

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો…

વધુ વાંચો >

બહિણાબાઈ

બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…

વધુ વાંચો >

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…

વધુ વાંચો >

બહિર્મુખતા

બહિર્મુખતા (convexity) : અવકાશમાં ઉપગણ B એવો હોય કે જેથી તેની અંદર આવેલાં કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ Bમાં જ સમાયેલો હોય તો ગણ Bને બહિર્મુખ ગણ [આકૃતિ 1(a)] અને આવા ગુણધર્મને બહિર્મુખતા કહેવામાં આવે છે. આ ઉપરાંત રેખાખંડ, કિરણ, રેખા, સમતલ, અર્ધતલ, ખૂણાનો અંદરનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ,…

વધુ વાંચો >

બહિર્મુખ વ્યક્તિત્વ

Jan 7, 2000

બહિર્મુખ વ્યક્તિત્વ : માણસના વ્યક્તિત્વનો વિશેષ ગુણ. મનોવિજ્ઞાનમાં માનવ-વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટેના બે અભિગમો પ્રચલિત છે : 1. વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ (idiographic approach) અને 2. સામાન્ય-કેન્દ્રિત અભિગમ (nomothetic approach). વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ, માનવ-વ્યક્તિત્વની વિશેષતાઓ, તેના વિશેષ ગુણો (traits) તથા વ્યક્તિગત ભિન્નતાઓ પર ભાર મૂકે છે. જ્યારે સામાન્ય-કેન્દ્રિત અભિગમ વિવિધ વ્યક્તિત્વોમાં રહેલા સામાન્ય…

વધુ વાંચો >

બહિ:ક્ષેપ

Jan 7, 2000

બહિ:ક્ષેપ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

બહુકોણ

Jan 7, 2000

બહુકોણ (polygon) : બેથી વધુ સમરેખ ન હોય એવાં n સમતલીય બિંદુઓ P1, P2, ………., Pn અને રેખાખંડો  P2P3, ……..Pn–1Pn, PnP1નો યોગગણ. બિંદુઓને બહુકોણનાં શિરોબિંદુઓ અને રેખાખંડોને તેની બાજુઓ કહેવાય છે. બહુકોણની બાજુઓ એકબીજીને છેદે તો તેમના અંત્યબિંદુમાં જ છેદે છે. 3, 4, 5, 6, 7, 8 વગેરે શિરોબિંદુઓવાળા બહુકોણોને…

વધુ વાંચો >

બહુગુણા, સુંદરલાલ

Jan 7, 2000

બહુગુણા, સુંદરલાલ (જ. 1928) : ખ્યાતનામ પર્યાવરણવાદી અને ‘ચિપકો’ આંદોલનના પ્રણેતા. તેમનો ઉછેર પ્રકૃતિની ગોદમાં થયો હોવાથી પ્રકૃતિપ્રેમનો વારસો તેમને મળ્યો છે. કિશોરાવસ્થામાં ગાંધીવિચારોથી પ્રભાવિત થયા અને પંદર વર્ષની વયે રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવા કુટુંબનો ત્યાગ કર્યો. જુદે જુદે સમયે જેલવાસ પણ વેઠ્યો. ઇન્ટરની પરીક્ષા પણ તેમણે જેલમાંથી જ આપી…

વધુ વાંચો >

બહુગુણા, હેમવતીનંદન

Jan 7, 2000

બહુગુણા, હેમવતીનંદન (જ. 25 એપ્રિલ 1919, બુઘાઈ, ઉત્તરપ્રદેશ; અ. 17 માર્ચ, 1989) : ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા રેવતીનંદા. માતા કમલા. પ્રારંભે ઉત્તરપ્રદેશની રાજ્યસરકારમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં તેઓ મંત્રીપદે રહ્યા હતા. 1977માં તેમણે ‘કૉંગ્રેસ ફૉર ડેમૉક્રસી’ની સ્થાપના કરી અને તેના તેઓ સામાન્ય મંત્રી બન્યા. એ પૂર્વે લાંબા સમય સુધી તેઓ…

વધુ વાંચો >

બહુચરાજી

Jan 7, 2000

બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે. ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર…

વધુ વાંચો >

બહુચલીય વિશ્લેષણ

Jan 7, 2000

બહુચલીય વિશ્લેષણ (Multivariate analysis) વ્યક્તિ અથવા વસ્તુઓ કે માનવીય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં ચલલક્ષણો (x1, x2, ………, xp), p ≥ 1 પર જુદા જુદા સમયે કે પ્રસંગે પુનરાવર્તિત પ્રયોગો કે અન્વેષણ કરી પ્રાપ્ત થયેલી બહુચલીય માહિતી પરથી વ્યક્તિ કે વસ્તુની સમષ્ટિના ગુણધર્મો કે માનવીય પ્રક્રિયાના ગુણધર્મો વિશે અનુમાન કે નિર્ણય તારવવા…

વધુ વાંચો >

બહુચેતારુગ્ણતા

Jan 7, 2000

બહુચેતારુગ્ણતા (polyneuropathy) : પેશીમાંની ચેતાના વિકારો. ચેતાતંત્ર(nervous system)ને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે – કેન્દ્રીય અને પરિઘીય (peripheral). કેન્દ્રીય ચેતાતંત્ર વિવિધ ક્રિયાઓનાં નિયંત્રણ, અર્થઘટન અને આદેશસર્જનનું કાર્ય કરે છે. પરિઘીય ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર તથા પેશીઓ વચ્ચે આવતા-જતા સંદેશાઓનું વહન કરે છે. તેમાં વિવિધ ચેતાઓ (nerves) આવેલી છે. આ ચેતાઓના વિકારોને…

વધુ વાંચો >

બહુજનસમાજ

Jan 7, 2000

બહુજનસમાજ : દલિતો સહિતના નિમ્ન ગણાતા શોષિતો-પીડિતોનો સમુદાય. બહુજનસમાજનો ખ્યાલ ઐતિહાસિક રીતે ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત છે. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકામાં ‘દલિત-બહુજન’ એ રીતે આ ખ્યાલ પ્રચલિત બન્યો છે. ‘બહુજનહિતાય, બહુજન સુખાય’ – એવી ભાવના અને વિચારસરણી સ્થાપિત અસમાનતાને પોષતી હિંદુ સમાજવ્યવસ્થામાં માળખાગત પરિવર્તનો માટેનો બુદ્ધ–મહાવીરનો પ્રયાસ હતો. બ્રાહ્મણવાદી…

વધુ વાંચો >

બહુજનસમાજ પક્ષ

Jan 7, 2000

બહુજનસમાજ પક્ષ : ભારતના બહુજનસમાજના ઉત્કર્ષ માટે રચાયેલો રાજકીય પક્ષ. તેની સ્થાપના પક્ષના સ્થાપક પ્રમુખ કાંસીરામે એપ્રિલ 1984માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે દિલ્હી ખાતે કરી હતી અને તેનું પહેલું અધિવેશન જૂન 1984માં દિલ્હી ખાતે જ મળ્યું હતું. ભારતના બહુજનસમાજમાં અનુસૂચિત જાતિના 15 %, અનુસૂચિત જનજાતિના 7.5 %, અન્ય પછાત…

વધુ વાંચો >